રાહુલ ગાંધીનો દાવો - સાવરકરે અંગ્રેજોને પત્ર લખીને કહ્યું હતું કે, સર હું આપનો આજ્ઞાંકિત સેવક બનવા માંગુ છું


  • Published By :
  • Published Date : 2022-11-18 10:17:27

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. હાલ તેમની આ યાત્રા મહારાષ્ટ્ર પહોંચી છે. રાહુલે યાત્રા દરમિયાન વીર સાવરકરને લઈ નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ શરૂ થઈ ગયું છે. ગુરૂવારે રાહુલ ગાંધીએ વીર સાવરકર પર નિશાન સાધતા કહ્યું કે વીર સાવરકરે પત્ર લખીને કહ્યું હતું કે સર, હું તમારો નોકર બનવા માગું છું.

  

રાહુલ ગાંધીએ પત્ર રજૂ કરી સાવરકર પર કર્યા પ્રહાર

રાહુલ ગાંધીએ વીર સાવરકર પર શાબ્દિક પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ એક પત્ર વાંચી દાવો કર્યો હતો કે સાવરકરે ડરના કારણે અંગ્રેજો પાસેથી માફી માગી, નહેરુએ અને પટેલે આવું ક્યારેય ન કર્યું. પત્ર દેખાડી રાહુલે પત્રની અંતિમ લાઈન વાંચતા કહ્યું કે સર, હું તમારો નોકર બનવા માગું છું. આ વિવાદ મંગળવારથી શરૂ થયો હતો જ્યારે રાહુલ ગાંધીએ સાવરકના જીવનને અને આદિવાસી નેતા બિરસા મુંડાની શહાદત સાથે સરખામણી કરી હતી.

  

ભાજપા અને RSS પર સાધ્યું નિશાન 

સાવરકર પર ટિપ્પણી કરતા રાહુલે કહ્યું હતું કે ભાજપા અને આર.એસ.એસના આદર્શ છે તેમણે અંગ્રેજોને દયા માટે અરજી કરી હતી. રાહુલ ગાંધીએ વિવાદ વકર્તા પુરાવા પણ રજૂ કર્યા હતા. તેમણે એક પત્ર એટલે કે સરકારી રેકોર્ડ રજૂ કરી દાવો કર્યો કે આ એજ પત્ર છે જેમાં વીર સાવરકરે અંગ્રેજોના સેવક બનવાની વાત કરી હતી. આ પત્ર પર સાવરકરના હસ્તાક્ષર પણ છે. 


ભાજપે રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

મહારાષ્ટ્રમાં આવા નિવેદનને કારણે મહારાષ્ટ્ર સરકારની ચિંતામાં વધારો થયો છે. શિવસેનાએ રાહુલ ગાંધીની વાતનું સમર્થન નથી કર્યું. એનસીપીએ પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા નથી આપી, પરંતુ આ નિવેદન પર ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદેએ અને નાયબ મુખ્યમંત્રી ફડનવીસે આ નિવેદનને અયોગ્ય ગણાવ્યું છે. 

Veer Savarkar Jayanti: ભારતીય ક્રાંતિના મહાનાયક વીર સાવરકરની જયંતિ પ્રસંગે  વાંચો તેમની સાથેના કોર્ટ રૂમની આ ઘટના | TV9 Gujarati

મહારાષ્ટ્રમાં વીર સાવરકર છે પૂજનીય 

મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સાથી શિવસેના અને એનસીપીને માનવામાં આવે છે.રાહુલ ગાંધીના આવા નિવેદનને કારણે મહારાષ્ટ્રમાં ઉગ્ર વિરોધ થઈ શકે છે. કારણ કે મહારાષ્ટ્રીયન શિવાજી મહારાજ, વીર સાવરકર તેમજ બાલ ગંગાધર તિલકને પૂજનીય માને છે. તેમના પર કરવામાં આવેલી ટિપ્પણીથી મહારાષ્ટ્રમાં વિવાદો સર્જાઈ શકે છે. વીર સાવરકરના પરિવારજનોએ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ પણ કર્યો છે.    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.