રાહુલ ગાંધીનો દાવો - સાવરકરે અંગ્રેજોને પત્ર લખીને કહ્યું હતું કે, સર હું આપનો આજ્ઞાંકિત સેવક બનવા માંગુ છું


  • Published By :
  • Published Date : 2022-11-18 10:17:27

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. હાલ તેમની આ યાત્રા મહારાષ્ટ્ર પહોંચી છે. રાહુલે યાત્રા દરમિયાન વીર સાવરકરને લઈ નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ શરૂ થઈ ગયું છે. ગુરૂવારે રાહુલ ગાંધીએ વીર સાવરકર પર નિશાન સાધતા કહ્યું કે વીર સાવરકરે પત્ર લખીને કહ્યું હતું કે સર, હું તમારો નોકર બનવા માગું છું.

  

રાહુલ ગાંધીએ પત્ર રજૂ કરી સાવરકર પર કર્યા પ્રહાર

રાહુલ ગાંધીએ વીર સાવરકર પર શાબ્દિક પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ એક પત્ર વાંચી દાવો કર્યો હતો કે સાવરકરે ડરના કારણે અંગ્રેજો પાસેથી માફી માગી, નહેરુએ અને પટેલે આવું ક્યારેય ન કર્યું. પત્ર દેખાડી રાહુલે પત્રની અંતિમ લાઈન વાંચતા કહ્યું કે સર, હું તમારો નોકર બનવા માગું છું. આ વિવાદ મંગળવારથી શરૂ થયો હતો જ્યારે રાહુલ ગાંધીએ સાવરકના જીવનને અને આદિવાસી નેતા બિરસા મુંડાની શહાદત સાથે સરખામણી કરી હતી.

  

ભાજપા અને RSS પર સાધ્યું નિશાન 

સાવરકર પર ટિપ્પણી કરતા રાહુલે કહ્યું હતું કે ભાજપા અને આર.એસ.એસના આદર્શ છે તેમણે અંગ્રેજોને દયા માટે અરજી કરી હતી. રાહુલ ગાંધીએ વિવાદ વકર્તા પુરાવા પણ રજૂ કર્યા હતા. તેમણે એક પત્ર એટલે કે સરકારી રેકોર્ડ રજૂ કરી દાવો કર્યો કે આ એજ પત્ર છે જેમાં વીર સાવરકરે અંગ્રેજોના સેવક બનવાની વાત કરી હતી. આ પત્ર પર સાવરકરના હસ્તાક્ષર પણ છે. 


ભાજપે રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

મહારાષ્ટ્રમાં આવા નિવેદનને કારણે મહારાષ્ટ્ર સરકારની ચિંતામાં વધારો થયો છે. શિવસેનાએ રાહુલ ગાંધીની વાતનું સમર્થન નથી કર્યું. એનસીપીએ પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા નથી આપી, પરંતુ આ નિવેદન પર ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદેએ અને નાયબ મુખ્યમંત્રી ફડનવીસે આ નિવેદનને અયોગ્ય ગણાવ્યું છે. 

Veer Savarkar Jayanti: ભારતીય ક્રાંતિના મહાનાયક વીર સાવરકરની જયંતિ પ્રસંગે  વાંચો તેમની સાથેના કોર્ટ રૂમની આ ઘટના | TV9 Gujarati

મહારાષ્ટ્રમાં વીર સાવરકર છે પૂજનીય 

મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સાથી શિવસેના અને એનસીપીને માનવામાં આવે છે.રાહુલ ગાંધીના આવા નિવેદનને કારણે મહારાષ્ટ્રમાં ઉગ્ર વિરોધ થઈ શકે છે. કારણ કે મહારાષ્ટ્રીયન શિવાજી મહારાજ, વીર સાવરકર તેમજ બાલ ગંગાધર તિલકને પૂજનીય માને છે. તેમના પર કરવામાં આવેલી ટિપ્પણીથી મહારાષ્ટ્રમાં વિવાદો સર્જાઈ શકે છે. વીર સાવરકરના પરિવારજનોએ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ પણ કર્યો છે.    




ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .