રાહુલ ગાંધીનો દાવો - સાવરકરે અંગ્રેજોને પત્ર લખીને કહ્યું હતું કે, સર હું આપનો આજ્ઞાંકિત સેવક બનવા માંગુ છું


  • Published By :
  • Published Date : 2022-11-18 10:17:27

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. હાલ તેમની આ યાત્રા મહારાષ્ટ્ર પહોંચી છે. રાહુલે યાત્રા દરમિયાન વીર સાવરકરને લઈ નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ શરૂ થઈ ગયું છે. ગુરૂવારે રાહુલ ગાંધીએ વીર સાવરકર પર નિશાન સાધતા કહ્યું કે વીર સાવરકરે પત્ર લખીને કહ્યું હતું કે સર, હું તમારો નોકર બનવા માગું છું.

  

રાહુલ ગાંધીએ પત્ર રજૂ કરી સાવરકર પર કર્યા પ્રહાર

રાહુલ ગાંધીએ વીર સાવરકર પર શાબ્દિક પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ એક પત્ર વાંચી દાવો કર્યો હતો કે સાવરકરે ડરના કારણે અંગ્રેજો પાસેથી માફી માગી, નહેરુએ અને પટેલે આવું ક્યારેય ન કર્યું. પત્ર દેખાડી રાહુલે પત્રની અંતિમ લાઈન વાંચતા કહ્યું કે સર, હું તમારો નોકર બનવા માગું છું. આ વિવાદ મંગળવારથી શરૂ થયો હતો જ્યારે રાહુલ ગાંધીએ સાવરકના જીવનને અને આદિવાસી નેતા બિરસા મુંડાની શહાદત સાથે સરખામણી કરી હતી.

  

ભાજપા અને RSS પર સાધ્યું નિશાન 

સાવરકર પર ટિપ્પણી કરતા રાહુલે કહ્યું હતું કે ભાજપા અને આર.એસ.એસના આદર્શ છે તેમણે અંગ્રેજોને દયા માટે અરજી કરી હતી. રાહુલ ગાંધીએ વિવાદ વકર્તા પુરાવા પણ રજૂ કર્યા હતા. તેમણે એક પત્ર એટલે કે સરકારી રેકોર્ડ રજૂ કરી દાવો કર્યો કે આ એજ પત્ર છે જેમાં વીર સાવરકરે અંગ્રેજોના સેવક બનવાની વાત કરી હતી. આ પત્ર પર સાવરકરના હસ્તાક્ષર પણ છે. 


ભાજપે રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

મહારાષ્ટ્રમાં આવા નિવેદનને કારણે મહારાષ્ટ્ર સરકારની ચિંતામાં વધારો થયો છે. શિવસેનાએ રાહુલ ગાંધીની વાતનું સમર્થન નથી કર્યું. એનસીપીએ પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા નથી આપી, પરંતુ આ નિવેદન પર ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદેએ અને નાયબ મુખ્યમંત્રી ફડનવીસે આ નિવેદનને અયોગ્ય ગણાવ્યું છે. 

Veer Savarkar Jayanti: ભારતીય ક્રાંતિના મહાનાયક વીર સાવરકરની જયંતિ પ્રસંગે  વાંચો તેમની સાથેના કોર્ટ રૂમની આ ઘટના | TV9 Gujarati

મહારાષ્ટ્રમાં વીર સાવરકર છે પૂજનીય 

મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સાથી શિવસેના અને એનસીપીને માનવામાં આવે છે.રાહુલ ગાંધીના આવા નિવેદનને કારણે મહારાષ્ટ્રમાં ઉગ્ર વિરોધ થઈ શકે છે. કારણ કે મહારાષ્ટ્રીયન શિવાજી મહારાજ, વીર સાવરકર તેમજ બાલ ગંગાધર તિલકને પૂજનીય માને છે. તેમના પર કરવામાં આવેલી ટિપ્પણીથી મહારાષ્ટ્રમાં વિવાદો સર્જાઈ શકે છે. વીર સાવરકરના પરિવારજનોએ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ પણ કર્યો છે.    




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે