રાહુલ ગાંધીનો દાવો - સાવરકરે અંગ્રેજોને પત્ર લખીને કહ્યું હતું કે, સર હું આપનો આજ્ઞાંકિત સેવક બનવા માંગુ છું


  • Published By :
  • Published Date : 2022-11-18 10:17:27

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. હાલ તેમની આ યાત્રા મહારાષ્ટ્ર પહોંચી છે. રાહુલે યાત્રા દરમિયાન વીર સાવરકરને લઈ નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ શરૂ થઈ ગયું છે. ગુરૂવારે રાહુલ ગાંધીએ વીર સાવરકર પર નિશાન સાધતા કહ્યું કે વીર સાવરકરે પત્ર લખીને કહ્યું હતું કે સર, હું તમારો નોકર બનવા માગું છું.

  

રાહુલ ગાંધીએ પત્ર રજૂ કરી સાવરકર પર કર્યા પ્રહાર

રાહુલ ગાંધીએ વીર સાવરકર પર શાબ્દિક પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ એક પત્ર વાંચી દાવો કર્યો હતો કે સાવરકરે ડરના કારણે અંગ્રેજો પાસેથી માફી માગી, નહેરુએ અને પટેલે આવું ક્યારેય ન કર્યું. પત્ર દેખાડી રાહુલે પત્રની અંતિમ લાઈન વાંચતા કહ્યું કે સર, હું તમારો નોકર બનવા માગું છું. આ વિવાદ મંગળવારથી શરૂ થયો હતો જ્યારે રાહુલ ગાંધીએ સાવરકના જીવનને અને આદિવાસી નેતા બિરસા મુંડાની શહાદત સાથે સરખામણી કરી હતી.

  

ભાજપા અને RSS પર સાધ્યું નિશાન 

સાવરકર પર ટિપ્પણી કરતા રાહુલે કહ્યું હતું કે ભાજપા અને આર.એસ.એસના આદર્શ છે તેમણે અંગ્રેજોને દયા માટે અરજી કરી હતી. રાહુલ ગાંધીએ વિવાદ વકર્તા પુરાવા પણ રજૂ કર્યા હતા. તેમણે એક પત્ર એટલે કે સરકારી રેકોર્ડ રજૂ કરી દાવો કર્યો કે આ એજ પત્ર છે જેમાં વીર સાવરકરે અંગ્રેજોના સેવક બનવાની વાત કરી હતી. આ પત્ર પર સાવરકરના હસ્તાક્ષર પણ છે. 


ભાજપે રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

મહારાષ્ટ્રમાં આવા નિવેદનને કારણે મહારાષ્ટ્ર સરકારની ચિંતામાં વધારો થયો છે. શિવસેનાએ રાહુલ ગાંધીની વાતનું સમર્થન નથી કર્યું. એનસીપીએ પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા નથી આપી, પરંતુ આ નિવેદન પર ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદેએ અને નાયબ મુખ્યમંત્રી ફડનવીસે આ નિવેદનને અયોગ્ય ગણાવ્યું છે. 

Veer Savarkar Jayanti: ભારતીય ક્રાંતિના મહાનાયક વીર સાવરકરની જયંતિ પ્રસંગે  વાંચો તેમની સાથેના કોર્ટ રૂમની આ ઘટના | TV9 Gujarati

મહારાષ્ટ્રમાં વીર સાવરકર છે પૂજનીય 

મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સાથી શિવસેના અને એનસીપીને માનવામાં આવે છે.રાહુલ ગાંધીના આવા નિવેદનને કારણે મહારાષ્ટ્રમાં ઉગ્ર વિરોધ થઈ શકે છે. કારણ કે મહારાષ્ટ્રીયન શિવાજી મહારાજ, વીર સાવરકર તેમજ બાલ ગંગાધર તિલકને પૂજનીય માને છે. તેમના પર કરવામાં આવેલી ટિપ્પણીથી મહારાષ્ટ્રમાં વિવાદો સર્જાઈ શકે છે. વીર સાવરકરના પરિવારજનોએ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ પણ કર્યો છે.    




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.