આજથી ફરી શરૂ થશે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા


  • Published By :
  • Published Date : 2023-01-03 11:19:18

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંઘીએ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. અનેક રાજ્યોથી આ યાત્રા પસાર થઈ ગઈ છે તો અનેક રાજ્યોમાંથી આ યાત્રા હવે પસાર થવાની છે. 9 દિવસના વિરામ બાદ આ યાત્રા આજથી ફરી શરૂ થઈ ગઈ છે. ભારત જોડો યાત્રા હાલ દિલ્હી છે. હવે આ યાત્રા પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ થઈ જમ્મુ કાશ્મીર પહોંચવાની છે.


દિલ્હી ખાતે લીધો હતો 9 દિવસનો વિરામ 

રાહુલ ગાંધીએ કોંગ્રેસને બેઠી કરવા તેમજ આવનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભારત જોડો યાત્રાનો પ્રારંભ કર્યો હતો. જમ્મુ કાશ્મીર સુધી આ યાત્રા પહોંચવાની છે. આ યાત્રા અનેક રાજ્યોથી પસાર થઈ રહી છે. આ યાત્રાને શરૂ થયે 100 દિવસથી વધુ દિવસો થઈ ગયા છે. દિલ્હી ખાતે આવી આ યાત્રાએ 9 દિવસનો વિરામ લીધો હતો. ત્યારે આજથી આ યાત્રા ફરી શરૂ થવાની છે. શ્રીનગરના લાલ ચોક ખાતે 30 જાન્યુઆરીએ રાહુલ ગાંધી તિરંગો ફરકાવાના છે. 


યાત્રાને મળી રહ્યું છે જનસમર્થન 

ભારત જોડો યાત્રા લાલકિલ્લા પાસે આવેલા હનુમાન મંદિર પાસેથી આ યાત્રા ફરી એક વખત શરૂ થશે. આ યાત્રામાં અનેક કોંગ્રેસના નેતાઓ, સેલિબ્રિટીશ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. લોની બોર્ડરથી ગાઝિયાબાદમાં આ યાત્રા પ્રવેશ કરવાની છે.    



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.