આજથી ફરી શરૂ થશે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા


  • Published By :
  • Published Date : 2023-01-03 11:19:18

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંઘીએ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. અનેક રાજ્યોથી આ યાત્રા પસાર થઈ ગઈ છે તો અનેક રાજ્યોમાંથી આ યાત્રા હવે પસાર થવાની છે. 9 દિવસના વિરામ બાદ આ યાત્રા આજથી ફરી શરૂ થઈ ગઈ છે. ભારત જોડો યાત્રા હાલ દિલ્હી છે. હવે આ યાત્રા પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ થઈ જમ્મુ કાશ્મીર પહોંચવાની છે.


દિલ્હી ખાતે લીધો હતો 9 દિવસનો વિરામ 

રાહુલ ગાંધીએ કોંગ્રેસને બેઠી કરવા તેમજ આવનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભારત જોડો યાત્રાનો પ્રારંભ કર્યો હતો. જમ્મુ કાશ્મીર સુધી આ યાત્રા પહોંચવાની છે. આ યાત્રા અનેક રાજ્યોથી પસાર થઈ રહી છે. આ યાત્રાને શરૂ થયે 100 દિવસથી વધુ દિવસો થઈ ગયા છે. દિલ્હી ખાતે આવી આ યાત્રાએ 9 દિવસનો વિરામ લીધો હતો. ત્યારે આજથી આ યાત્રા ફરી શરૂ થવાની છે. શ્રીનગરના લાલ ચોક ખાતે 30 જાન્યુઆરીએ રાહુલ ગાંધી તિરંગો ફરકાવાના છે. 


યાત્રાને મળી રહ્યું છે જનસમર્થન 

ભારત જોડો યાત્રા લાલકિલ્લા પાસે આવેલા હનુમાન મંદિર પાસેથી આ યાત્રા ફરી એક વખત શરૂ થશે. આ યાત્રામાં અનેક કોંગ્રેસના નેતાઓ, સેલિબ્રિટીશ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. લોની બોર્ડરથી ગાઝિયાબાદમાં આ યાત્રા પ્રવેશ કરવાની છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.