આજથી ફરી શરૂ થશે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા


  • Published By :
  • Published Date : 2023-01-03 11:19:18

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંઘીએ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. અનેક રાજ્યોથી આ યાત્રા પસાર થઈ ગઈ છે તો અનેક રાજ્યોમાંથી આ યાત્રા હવે પસાર થવાની છે. 9 દિવસના વિરામ બાદ આ યાત્રા આજથી ફરી શરૂ થઈ ગઈ છે. ભારત જોડો યાત્રા હાલ દિલ્હી છે. હવે આ યાત્રા પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ થઈ જમ્મુ કાશ્મીર પહોંચવાની છે.


દિલ્હી ખાતે લીધો હતો 9 દિવસનો વિરામ 

રાહુલ ગાંધીએ કોંગ્રેસને બેઠી કરવા તેમજ આવનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભારત જોડો યાત્રાનો પ્રારંભ કર્યો હતો. જમ્મુ કાશ્મીર સુધી આ યાત્રા પહોંચવાની છે. આ યાત્રા અનેક રાજ્યોથી પસાર થઈ રહી છે. આ યાત્રાને શરૂ થયે 100 દિવસથી વધુ દિવસો થઈ ગયા છે. દિલ્હી ખાતે આવી આ યાત્રાએ 9 દિવસનો વિરામ લીધો હતો. ત્યારે આજથી આ યાત્રા ફરી શરૂ થવાની છે. શ્રીનગરના લાલ ચોક ખાતે 30 જાન્યુઆરીએ રાહુલ ગાંધી તિરંગો ફરકાવાના છે. 


યાત્રાને મળી રહ્યું છે જનસમર્થન 

ભારત જોડો યાત્રા લાલકિલ્લા પાસે આવેલા હનુમાન મંદિર પાસેથી આ યાત્રા ફરી એક વખત શરૂ થશે. આ યાત્રામાં અનેક કોંગ્રેસના નેતાઓ, સેલિબ્રિટીશ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. લોની બોર્ડરથી ગાઝિયાબાદમાં આ યાત્રા પ્રવેશ કરવાની છે.    



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.