આજથી ફરી શરૂ થશે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા


  • Published By :
  • Published Date : 2023-01-03 11:19:18

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંઘીએ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. અનેક રાજ્યોથી આ યાત્રા પસાર થઈ ગઈ છે તો અનેક રાજ્યોમાંથી આ યાત્રા હવે પસાર થવાની છે. 9 દિવસના વિરામ બાદ આ યાત્રા આજથી ફરી શરૂ થઈ ગઈ છે. ભારત જોડો યાત્રા હાલ દિલ્હી છે. હવે આ યાત્રા પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ થઈ જમ્મુ કાશ્મીર પહોંચવાની છે.


દિલ્હી ખાતે લીધો હતો 9 દિવસનો વિરામ 

રાહુલ ગાંધીએ કોંગ્રેસને બેઠી કરવા તેમજ આવનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભારત જોડો યાત્રાનો પ્રારંભ કર્યો હતો. જમ્મુ કાશ્મીર સુધી આ યાત્રા પહોંચવાની છે. આ યાત્રા અનેક રાજ્યોથી પસાર થઈ રહી છે. આ યાત્રાને શરૂ થયે 100 દિવસથી વધુ દિવસો થઈ ગયા છે. દિલ્હી ખાતે આવી આ યાત્રાએ 9 દિવસનો વિરામ લીધો હતો. ત્યારે આજથી આ યાત્રા ફરી શરૂ થવાની છે. શ્રીનગરના લાલ ચોક ખાતે 30 જાન્યુઆરીએ રાહુલ ગાંધી તિરંગો ફરકાવાના છે. 


યાત્રાને મળી રહ્યું છે જનસમર્થન 

ભારત જોડો યાત્રા લાલકિલ્લા પાસે આવેલા હનુમાન મંદિર પાસેથી આ યાત્રા ફરી એક વખત શરૂ થશે. આ યાત્રામાં અનેક કોંગ્રેસના નેતાઓ, સેલિબ્રિટીશ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. લોની બોર્ડરથી ગાઝિયાબાદમાં આ યાત્રા પ્રવેશ કરવાની છે.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.