રાજધાની દિલ્હી પહોંચી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા


  • Published By :
  • Published Date : 2022-12-24 13:34:40

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દિલ્હી પહોંચી છે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી ભાજપ તેમજ મોદી સરકાર પર અનેક પ્રહારો કર્યા છે. દિલ્હી પહોંચતાની સાથે જ રાહુલ ગાંધીએ પ્રહાર કરતા કહ્યું કે મેં આરએસએસ અને બીજેપીના લોકોને કીધું છે કે અમે તમારા નફરતના બજારમાં પ્યારની દુકાન ખોલવા આવ્યા છીએ.

  

કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ થયા છે યાત્રામાં સામેલ 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા કરવામાં આવી રહી છે. કન્યાકુમારીથી નિકળેલી આ યાત્રાને 108 દિવસ પૂર્ણ થઈ ગયા છે. આ યાત્રા અનેક રાજ્યોથી પસાર થઈ છે. હાલ આ યાત્રા રાજધાની દિલ્હી આવી પહોંચી છે. દિલ્હી પહોંચતાની સાથે જ આરએસએસ અને ભાજપ પર પ્રહાર કર્યા હતા. આ યાત્રામાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પણ સામેલ થયા છે. આ યાત્રામાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ આ યાત્રામાં હાજરી આપી છે. 



2024માં રાહુલ ગાંધી વડાપ્રધાન બનવાના છે - પવન ખેરા

આ યાત્રા દિલ્હી પહોંચી છે. આ યાત્રા સામેલ થયેલા પવન ખેરાએ નિવેદન આપ્યું છે કે પીએમ અંગે પવન ખેરાને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું છે  2024માં રાહુલ ગાંધી વડાપ્રધાન બનવા જોઈએ . ઉપરાંત કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે ભારત જોડો યાત્રામાં કોઈ પણ ભાગ લઈ શકે છે. આ યાત્રામાં નિતિન ગડકરી, રક્ષામંત્રી રાજનાથસિંહ પણ સમેલ થઈ શકે છે. કોઈ પણ જે ભારતને એક કરવા અને નફરતને દૂર કરવામાં વિશ્વાસ કરતા હોય તે આ યાત્રામાં ભાગ લઈ શકે છે.       




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે