રાજધાની દિલ્હી પહોંચી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા


  • Published By :
  • Published Date : 2022-12-24 13:34:40

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દિલ્હી પહોંચી છે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી ભાજપ તેમજ મોદી સરકાર પર અનેક પ્રહારો કર્યા છે. દિલ્હી પહોંચતાની સાથે જ રાહુલ ગાંધીએ પ્રહાર કરતા કહ્યું કે મેં આરએસએસ અને બીજેપીના લોકોને કીધું છે કે અમે તમારા નફરતના બજારમાં પ્યારની દુકાન ખોલવા આવ્યા છીએ.

  

કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ થયા છે યાત્રામાં સામેલ 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા કરવામાં આવી રહી છે. કન્યાકુમારીથી નિકળેલી આ યાત્રાને 108 દિવસ પૂર્ણ થઈ ગયા છે. આ યાત્રા અનેક રાજ્યોથી પસાર થઈ છે. હાલ આ યાત્રા રાજધાની દિલ્હી આવી પહોંચી છે. દિલ્હી પહોંચતાની સાથે જ આરએસએસ અને ભાજપ પર પ્રહાર કર્યા હતા. આ યાત્રામાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પણ સામેલ થયા છે. આ યાત્રામાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ આ યાત્રામાં હાજરી આપી છે. 



2024માં રાહુલ ગાંધી વડાપ્રધાન બનવાના છે - પવન ખેરા

આ યાત્રા દિલ્હી પહોંચી છે. આ યાત્રા સામેલ થયેલા પવન ખેરાએ નિવેદન આપ્યું છે કે પીએમ અંગે પવન ખેરાને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું છે  2024માં રાહુલ ગાંધી વડાપ્રધાન બનવા જોઈએ . ઉપરાંત કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે ભારત જોડો યાત્રામાં કોઈ પણ ભાગ લઈ શકે છે. આ યાત્રામાં નિતિન ગડકરી, રક્ષામંત્રી રાજનાથસિંહ પણ સમેલ થઈ શકે છે. કોઈ પણ જે ભારતને એક કરવા અને નફરતને દૂર કરવામાં વિશ્વાસ કરતા હોય તે આ યાત્રામાં ભાગ લઈ શકે છે.       




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.