રાજધાની દિલ્હી પહોંચી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા


  • Published By :
  • Published Date : 2022-12-24 13:34:40

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દિલ્હી પહોંચી છે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી ભાજપ તેમજ મોદી સરકાર પર અનેક પ્રહારો કર્યા છે. દિલ્હી પહોંચતાની સાથે જ રાહુલ ગાંધીએ પ્રહાર કરતા કહ્યું કે મેં આરએસએસ અને બીજેપીના લોકોને કીધું છે કે અમે તમારા નફરતના બજારમાં પ્યારની દુકાન ખોલવા આવ્યા છીએ.

  

કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ થયા છે યાત્રામાં સામેલ 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા કરવામાં આવી રહી છે. કન્યાકુમારીથી નિકળેલી આ યાત્રાને 108 દિવસ પૂર્ણ થઈ ગયા છે. આ યાત્રા અનેક રાજ્યોથી પસાર થઈ છે. હાલ આ યાત્રા રાજધાની દિલ્હી આવી પહોંચી છે. દિલ્હી પહોંચતાની સાથે જ આરએસએસ અને ભાજપ પર પ્રહાર કર્યા હતા. આ યાત્રામાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પણ સામેલ થયા છે. આ યાત્રામાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ આ યાત્રામાં હાજરી આપી છે. 



2024માં રાહુલ ગાંધી વડાપ્રધાન બનવાના છે - પવન ખેરા

આ યાત્રા દિલ્હી પહોંચી છે. આ યાત્રા સામેલ થયેલા પવન ખેરાએ નિવેદન આપ્યું છે કે પીએમ અંગે પવન ખેરાને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું છે  2024માં રાહુલ ગાંધી વડાપ્રધાન બનવા જોઈએ . ઉપરાંત કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે ભારત જોડો યાત્રામાં કોઈ પણ ભાગ લઈ શકે છે. આ યાત્રામાં નિતિન ગડકરી, રક્ષામંત્રી રાજનાથસિંહ પણ સમેલ થઈ શકે છે. કોઈ પણ જે ભારતને એક કરવા અને નફરતને દૂર કરવામાં વિશ્વાસ કરતા હોય તે આ યાત્રામાં ભાગ લઈ શકે છે.       




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.