ભાજપ કાર્યાલયના ધાબા પર ઉભા રહેલા ભાજપના કાર્યકર્તાઓ પર વરસ્યો રાહુલ ગાંધીનો પ્રેમ!!!!


  • Published By :
  • Published Date : 2022-12-06 12:42:28

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલનારી આ યાત્રા હાલ રાજસ્તાન પહોંચી છે. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના અલગ-અલગ અંદાજ જોવા મળ્યા છે. અનેક વીડિયો તેમજ ફોટા વાયરલ થતા રહે છે ત્યારે વધુ એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. ભારત જોડો યાત્રા જ્યારે ભાજપ કાર્યાલય આગળથી પસાર થઈ રહી હતી તે સમયે રાહુલ ગાંધીએ ભાજપના કાર્યકર્તાઓને ફ્લાઈંગ કિસ આપી હોવાનું ચર્ચામાં છે.


કોંગ્રેસે વીડિયો કર્યો ટ્વિટ 

જ્યારથી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે ત્યારથી તેમના અનેક ફોટા તેમજ વીડિયો સામે આવી રહ્યા છે. અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ત્યારે એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં રાહુલ ગાંધી ભાજપના કાર્યકર્તાઓને ફ્લાઈંગ કિસ આપતા દેખાય છે. રાજસ્તાન ખાતે આ યાત્રા પહોંચી છે. 

Image

રાહુલે ભાજપના કાર્યકર્તાઓને આપી ફ્લાઈંગ કિસ! 

સવારના સમયમાં ઝાલાવાડમાં આવેલી સંકુલથી રાહુલ ગાંધીએ પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. યાત્રા જે રૂટ ઉપરથી નીકળી રહી હતી તે રૂટ પર ભાજપ કાર્યાલય પણ આવતું હતું. ભાજપ કાર્યાલયના ધાબા પર ભાજપના કાર્યકર્તાઓ ઉભા હતા અને રાહુલ ગાંધીએ ભાજપના કાર્યકર્તાઓને ફ્લાઈંગ કિસ આપતા નજરે પડે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ યાત્રામાં રાજસ્તાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, સચિન પાયલટ તેમજ કોંગ્રેસના અનેક નેતાઓ હાજર હતા.       



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.