ભાજપ કાર્યાલયના ધાબા પર ઉભા રહેલા ભાજપના કાર્યકર્તાઓ પર વરસ્યો રાહુલ ગાંધીનો પ્રેમ!!!!


  • Published By :
  • Published Date : 2022-12-06 12:42:28

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલનારી આ યાત્રા હાલ રાજસ્તાન પહોંચી છે. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના અલગ-અલગ અંદાજ જોવા મળ્યા છે. અનેક વીડિયો તેમજ ફોટા વાયરલ થતા રહે છે ત્યારે વધુ એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. ભારત જોડો યાત્રા જ્યારે ભાજપ કાર્યાલય આગળથી પસાર થઈ રહી હતી તે સમયે રાહુલ ગાંધીએ ભાજપના કાર્યકર્તાઓને ફ્લાઈંગ કિસ આપી હોવાનું ચર્ચામાં છે.


કોંગ્રેસે વીડિયો કર્યો ટ્વિટ 

જ્યારથી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે ત્યારથી તેમના અનેક ફોટા તેમજ વીડિયો સામે આવી રહ્યા છે. અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ત્યારે એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં રાહુલ ગાંધી ભાજપના કાર્યકર્તાઓને ફ્લાઈંગ કિસ આપતા દેખાય છે. રાજસ્તાન ખાતે આ યાત્રા પહોંચી છે. 

Image

રાહુલે ભાજપના કાર્યકર્તાઓને આપી ફ્લાઈંગ કિસ! 

સવારના સમયમાં ઝાલાવાડમાં આવેલી સંકુલથી રાહુલ ગાંધીએ પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. યાત્રા જે રૂટ ઉપરથી નીકળી રહી હતી તે રૂટ પર ભાજપ કાર્યાલય પણ આવતું હતું. ભાજપ કાર્યાલયના ધાબા પર ભાજપના કાર્યકર્તાઓ ઉભા હતા અને રાહુલ ગાંધીએ ભાજપના કાર્યકર્તાઓને ફ્લાઈંગ કિસ આપતા નજરે પડે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ યાત્રામાં રાજસ્તાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, સચિન પાયલટ તેમજ કોંગ્રેસના અનેક નેતાઓ હાજર હતા.       



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.