ભાજપ કાર્યાલયના ધાબા પર ઉભા રહેલા ભાજપના કાર્યકર્તાઓ પર વરસ્યો રાહુલ ગાંધીનો પ્રેમ!!!!


  • Published By :
  • Published Date : 2022-12-06 12:42:28

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલનારી આ યાત્રા હાલ રાજસ્તાન પહોંચી છે. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના અલગ-અલગ અંદાજ જોવા મળ્યા છે. અનેક વીડિયો તેમજ ફોટા વાયરલ થતા રહે છે ત્યારે વધુ એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. ભારત જોડો યાત્રા જ્યારે ભાજપ કાર્યાલય આગળથી પસાર થઈ રહી હતી તે સમયે રાહુલ ગાંધીએ ભાજપના કાર્યકર્તાઓને ફ્લાઈંગ કિસ આપી હોવાનું ચર્ચામાં છે.


કોંગ્રેસે વીડિયો કર્યો ટ્વિટ 

જ્યારથી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે ત્યારથી તેમના અનેક ફોટા તેમજ વીડિયો સામે આવી રહ્યા છે. અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ત્યારે એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં રાહુલ ગાંધી ભાજપના કાર્યકર્તાઓને ફ્લાઈંગ કિસ આપતા દેખાય છે. રાજસ્તાન ખાતે આ યાત્રા પહોંચી છે. 

Image

રાહુલે ભાજપના કાર્યકર્તાઓને આપી ફ્લાઈંગ કિસ! 

સવારના સમયમાં ઝાલાવાડમાં આવેલી સંકુલથી રાહુલ ગાંધીએ પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. યાત્રા જે રૂટ ઉપરથી નીકળી રહી હતી તે રૂટ પર ભાજપ કાર્યાલય પણ આવતું હતું. ભાજપ કાર્યાલયના ધાબા પર ભાજપના કાર્યકર્તાઓ ઉભા હતા અને રાહુલ ગાંધીએ ભાજપના કાર્યકર્તાઓને ફ્લાઈંગ કિસ આપતા નજરે પડે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ યાત્રામાં રાજસ્તાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, સચિન પાયલટ તેમજ કોંગ્રેસના અનેક નેતાઓ હાજર હતા.       



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.