ભાજપ કાર્યાલયના ધાબા પર ઉભા રહેલા ભાજપના કાર્યકર્તાઓ પર વરસ્યો રાહુલ ગાંધીનો પ્રેમ!!!!


  • Published By :
  • Published Date : 2022-12-06 12:42:28

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલનારી આ યાત્રા હાલ રાજસ્તાન પહોંચી છે. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના અલગ-અલગ અંદાજ જોવા મળ્યા છે. અનેક વીડિયો તેમજ ફોટા વાયરલ થતા રહે છે ત્યારે વધુ એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. ભારત જોડો યાત્રા જ્યારે ભાજપ કાર્યાલય આગળથી પસાર થઈ રહી હતી તે સમયે રાહુલ ગાંધીએ ભાજપના કાર્યકર્તાઓને ફ્લાઈંગ કિસ આપી હોવાનું ચર્ચામાં છે.


કોંગ્રેસે વીડિયો કર્યો ટ્વિટ 

જ્યારથી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે ત્યારથી તેમના અનેક ફોટા તેમજ વીડિયો સામે આવી રહ્યા છે. અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ત્યારે એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં રાહુલ ગાંધી ભાજપના કાર્યકર્તાઓને ફ્લાઈંગ કિસ આપતા દેખાય છે. રાજસ્તાન ખાતે આ યાત્રા પહોંચી છે. 

Image

રાહુલે ભાજપના કાર્યકર્તાઓને આપી ફ્લાઈંગ કિસ! 

સવારના સમયમાં ઝાલાવાડમાં આવેલી સંકુલથી રાહુલ ગાંધીએ પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. યાત્રા જે રૂટ ઉપરથી નીકળી રહી હતી તે રૂટ પર ભાજપ કાર્યાલય પણ આવતું હતું. ભાજપ કાર્યાલયના ધાબા પર ભાજપના કાર્યકર્તાઓ ઉભા હતા અને રાહુલ ગાંધીએ ભાજપના કાર્યકર્તાઓને ફ્લાઈંગ કિસ આપતા નજરે પડે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ યાત્રામાં રાજસ્તાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, સચિન પાયલટ તેમજ કોંગ્રેસના અનેક નેતાઓ હાજર હતા.       



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.