રાહુલ ગાંધીનો PA બોલું છું કહી ગુજરાતના કોંગી નેતાઓ પાસે પૈસાની માંગણી


  • Published By :
  • Published Date : 2022-11-04 15:00:53

                  ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ફરી એકવાર સાયબર ઠગો સક્રિય થયા છે અને નેતાઓના નામે રૂપિયા માંગવાનું શરૂ કરી દીધું છે. આવુજ કંઈક થયું છે વડોદરાના નેતા સાથે વડોદરામાં કોંગ્રેસના નેતાને રાહુલ ગાંધીના PAના નામ પર ફોન આવ્યો અને તેમની સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો.કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને કોલ આવ્યો કે તમારે વિધાનસભા ટિકિટ જોઈતી હોય તો તમારે પૈસા આપવા પડશે કહીને નાણાં ખંખેરવાનો પ્રયાસ કર્યો હતો 


કોંગ્રેસના બે નેતાઓ સાથે આવું થયું 

માત્ર ચંદ્રકાંત શ્રીવાસ્તવ જ નહિ અગાઉ સત્યજિત ગાયકવાડને પણ ફેક ફોન આવ્યો હતો.રાહુલ ગાંધીના PA કનિષ્ક સિંહના નામે ઠગે પૈસાની માંગણી કરી હતી.નાણાંની માંગણી કરતો કોલ આવતા બન્નેએ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે આથી વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે 


બન્ને કોંગ્રેસના દાવેદારો 

વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવાના નામે લાખો રૂપિયાની ઠગ લોકો માંગણી કરી રહ્યા છે વડોદરાની વાઘોડિયા અને રાવપુરા બેઠક પર ટિકિટ અપાવવાના નામે ઠગાઈનો પ્રયાસ આચરવામાં આવી રહ્યો છે. આ બન્ને નેતાઓ કોંગ્રેસના અલગ અલગ બેઠકના દાવેદારો છે.ચંદ્રકાન્ત શ્રીવાસ્તવએ કોંગ્રેસના વોર્ડ ન.16ના કાઉન્સિલર અને પૂર્વી વિપક્ષી નેતા છે 


પોલીસ ફરિયાદ નોંધાઈ 

ફરિયાદમાં જણાવ્યું છે કે રાવપુર બેઠકથી ટિકિટ આપવા ગઠિયાએ ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને કોલ કર્યો હતો.પ્રિયંકા ગાંધીના નંબર પર બાયોડેટા મોકલવા કહ્યું.ગઠિયાએ આપેલો નંબર ખોટો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ તેમજ ગુજરાત વિધાનસભાની વાઘોડિયા બેઠકના કોંગ્રેસના વરિષ્ઠ નેતા સત્યજિતસિંહ ગાયકવાડ સાથે પણ આ જ નંબર પરથી ફોન અને મેસેજ આવ્યા હતા. જેથી આ અંગે બન્નેની સંયુક્ત ફરિયાદ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"