રાહુલ ગાંધીનો PA બોલું છું કહી ગુજરાતના કોંગી નેતાઓ પાસે પૈસાની માંગણી


  • Published By :
  • Published Date : 2022-11-04 15:00:53

                  ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ફરી એકવાર સાયબર ઠગો સક્રિય થયા છે અને નેતાઓના નામે રૂપિયા માંગવાનું શરૂ કરી દીધું છે. આવુજ કંઈક થયું છે વડોદરાના નેતા સાથે વડોદરામાં કોંગ્રેસના નેતાને રાહુલ ગાંધીના PAના નામ પર ફોન આવ્યો અને તેમની સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો.કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને કોલ આવ્યો કે તમારે વિધાનસભા ટિકિટ જોઈતી હોય તો તમારે પૈસા આપવા પડશે કહીને નાણાં ખંખેરવાનો પ્રયાસ કર્યો હતો 


કોંગ્રેસના બે નેતાઓ સાથે આવું થયું 

માત્ર ચંદ્રકાંત શ્રીવાસ્તવ જ નહિ અગાઉ સત્યજિત ગાયકવાડને પણ ફેક ફોન આવ્યો હતો.રાહુલ ગાંધીના PA કનિષ્ક સિંહના નામે ઠગે પૈસાની માંગણી કરી હતી.નાણાંની માંગણી કરતો કોલ આવતા બન્નેએ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે આથી વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે 


બન્ને કોંગ્રેસના દાવેદારો 

વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવાના નામે લાખો રૂપિયાની ઠગ લોકો માંગણી કરી રહ્યા છે વડોદરાની વાઘોડિયા અને રાવપુરા બેઠક પર ટિકિટ અપાવવાના નામે ઠગાઈનો પ્રયાસ આચરવામાં આવી રહ્યો છે. આ બન્ને નેતાઓ કોંગ્રેસના અલગ અલગ બેઠકના દાવેદારો છે.ચંદ્રકાન્ત શ્રીવાસ્તવએ કોંગ્રેસના વોર્ડ ન.16ના કાઉન્સિલર અને પૂર્વી વિપક્ષી નેતા છે 


પોલીસ ફરિયાદ નોંધાઈ 

ફરિયાદમાં જણાવ્યું છે કે રાવપુર બેઠકથી ટિકિટ આપવા ગઠિયાએ ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને કોલ કર્યો હતો.પ્રિયંકા ગાંધીના નંબર પર બાયોડેટા મોકલવા કહ્યું.ગઠિયાએ આપેલો નંબર ખોટો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ તેમજ ગુજરાત વિધાનસભાની વાઘોડિયા બેઠકના કોંગ્રેસના વરિષ્ઠ નેતા સત્યજિતસિંહ ગાયકવાડ સાથે પણ આ જ નંબર પરથી ફોન અને મેસેજ આવ્યા હતા. જેથી આ અંગે બન્નેની સંયુક્ત ફરિયાદ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.