અદાણી મુદ્દે બોલ્યા રાહુલ ગાંધી, ભાજપ પર પ્રહાર કરતા અદાણીને લઈ રાહુલ ગાંધીએ પૂછ્યો આ સવાલ?


  • Published By :
  • Published Date : 2023-04-04 13:25:36

થોડા સમય પહેલા અદાણી ગ્રુપને લઈ હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો હતો જે બાદ અદાણી ગ્રુપની સંપત્તિનું ધોવાણ થયું હતું. ત્યારે અદાણી મામલે કોંગ્રેસ સહિત વિપક્ષ એકદમ આક્રામક રૂપમાં દેખાઈ હતી. હાલ સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. પરંતુ અદાણી મુદ્દાને લઈ વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવે છે. અદાણી મુદ્દે જેપીસી તપાસ થાય તેવી માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે અદાણીને લઈ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે જેમાં તેમણે એક સવાલ પૂછ્યો છે કે અદાણીની શેલ કંપનીઓમાં 20 હજાર કરોડ રૂપિયા કોના છે?


અનેક વખત સંસદની કાર્યવાહી કરાઈ છે સ્થગિત 

સંસદમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. બીજા તબક્કાની કાર્યવાહી હોબાળાને કારણે છેલ્લા ઘણા દિવસોથી સ્થગિત કરવામાં આવી રહી છે. કારણ કે વિપક્ષ દ્વારા અદાણી મુદ્દે જેપીસી તપાસની માગ કરવામાં આવી રહી છે તો બીજી તરફ ભાજપ દ્વારા રાહુલ ગાંધી લંડનમાં અપાયેલા ભાષણને લઈ માફી માગે તેવી માગ કરવામાં આવી હતી. આ મામલે ભારે હોબાળો કરવામાં આવતા બંને સદનોની કાર્યવાહી અનેક વખત સ્થગિત કરવામાં આવી છે.


રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે પૂછ્યો પ્રશ્ન

આ બધા વચ્ચે રાહુલ ગાંધીએ અદાણીને લઈ નિવેદન આપ્યું છે. અદાણી અને પીએમ વચ્ચેના સંબંધોને લઈ રાહુલ ગાંધી દ્વારા અનેક વખત પ્રહાર કરવામાં આવ્યા છે. બંનેના ફોટા એક સાથે બતાવ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા પૂછ્યું કે અદાણીની શેલ કંપનીઓમાં 20 હજાર કરોડ રૂપિયા કોના છે? 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.