અદાણી મુદ્દે બોલ્યા રાહુલ ગાંધી, ભાજપ પર પ્રહાર કરતા અદાણીને લઈ રાહુલ ગાંધીએ પૂછ્યો આ સવાલ?


  • Published By :
  • Published Date : 2023-04-04 13:25:36

થોડા સમય પહેલા અદાણી ગ્રુપને લઈ હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો હતો જે બાદ અદાણી ગ્રુપની સંપત્તિનું ધોવાણ થયું હતું. ત્યારે અદાણી મામલે કોંગ્રેસ સહિત વિપક્ષ એકદમ આક્રામક રૂપમાં દેખાઈ હતી. હાલ સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. પરંતુ અદાણી મુદ્દાને લઈ વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવે છે. અદાણી મુદ્દે જેપીસી તપાસ થાય તેવી માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે અદાણીને લઈ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે જેમાં તેમણે એક સવાલ પૂછ્યો છે કે અદાણીની શેલ કંપનીઓમાં 20 હજાર કરોડ રૂપિયા કોના છે?


અનેક વખત સંસદની કાર્યવાહી કરાઈ છે સ્થગિત 

સંસદમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. બીજા તબક્કાની કાર્યવાહી હોબાળાને કારણે છેલ્લા ઘણા દિવસોથી સ્થગિત કરવામાં આવી રહી છે. કારણ કે વિપક્ષ દ્વારા અદાણી મુદ્દે જેપીસી તપાસની માગ કરવામાં આવી રહી છે તો બીજી તરફ ભાજપ દ્વારા રાહુલ ગાંધી લંડનમાં અપાયેલા ભાષણને લઈ માફી માગે તેવી માગ કરવામાં આવી હતી. આ મામલે ભારે હોબાળો કરવામાં આવતા બંને સદનોની કાર્યવાહી અનેક વખત સ્થગિત કરવામાં આવી છે.


રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે પૂછ્યો પ્રશ્ન

આ બધા વચ્ચે રાહુલ ગાંધીએ અદાણીને લઈ નિવેદન આપ્યું છે. અદાણી અને પીએમ વચ્ચેના સંબંધોને લઈ રાહુલ ગાંધી દ્વારા અનેક વખત પ્રહાર કરવામાં આવ્યા છે. બંનેના ફોટા એક સાથે બતાવ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા પૂછ્યું કે અદાણીની શેલ કંપનીઓમાં 20 હજાર કરોડ રૂપિયા કોના છે? 




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.