અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલતા ઘમાસાણ પર બોલ્યા રાહુલ ગાંધી


  • Published By :
  • Published Date : 2022-11-28 16:42:54

છેલ્લા ઘણા સમયથી રાજસ્થાન પોલિટિક્સમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેના અણબનાવની વાતો ચર્ચામાં આવી રહી છે. શાબ્દિક પ્રહારને લઈ રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પાર્ટી માટે બંને નેતાઓ ખૂબ મહત્વના છે. રાજસ્થાનમાં ચાલતો વિવાદની અસર ભારત જોડો યાત્રા પર નહીં પડે.

 


બંને નેતાઓ પાર્ટી માટે મહત્વપૂર્ણ  છે - રાહુલ ગાંધી 

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલ ઈન્દોર પહોંચી હતી. યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ત્યારે રાજસ્થાનમાં ચાલતા રાજકીય ઘમાસાણ અંગે રાહુલે કહ્યું કે અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલતા શાબ્દિક પ્રહારો પર પાર્ટી નજર રાખી રહી છે. બંને નેતાઓ પાર્ટી માટે એસેટ સમાન છે. થોડા દિવસો બાદ બારત જોડો યાત્રા રાજસ્થાનમાં પ્રવેશ કરવાની છે. જેને લઈ રાહુલ ગાંધીએ કહ્યું કે આ વિવાદની અસર ભારત જોડો યાત્રા પર નહીં પડે. પરંતુ મોટી સંખ્યામાં લોકોનું સમર્થન મળશે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.      




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.