અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલતા ઘમાસાણ પર બોલ્યા રાહુલ ગાંધી


  • Published By :
  • Published Date : 2022-11-28 16:42:54

છેલ્લા ઘણા સમયથી રાજસ્થાન પોલિટિક્સમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેના અણબનાવની વાતો ચર્ચામાં આવી રહી છે. શાબ્દિક પ્રહારને લઈ રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પાર્ટી માટે બંને નેતાઓ ખૂબ મહત્વના છે. રાજસ્થાનમાં ચાલતો વિવાદની અસર ભારત જોડો યાત્રા પર નહીં પડે.

 


બંને નેતાઓ પાર્ટી માટે મહત્વપૂર્ણ  છે - રાહુલ ગાંધી 

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલ ઈન્દોર પહોંચી હતી. યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ત્યારે રાજસ્થાનમાં ચાલતા રાજકીય ઘમાસાણ અંગે રાહુલે કહ્યું કે અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલતા શાબ્દિક પ્રહારો પર પાર્ટી નજર રાખી રહી છે. બંને નેતાઓ પાર્ટી માટે એસેટ સમાન છે. થોડા દિવસો બાદ બારત જોડો યાત્રા રાજસ્થાનમાં પ્રવેશ કરવાની છે. જેને લઈ રાહુલ ગાંધીએ કહ્યું કે આ વિવાદની અસર ભારત જોડો યાત્રા પર નહીં પડે. પરંતુ મોટી સંખ્યામાં લોકોનું સમર્થન મળશે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.      




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે