અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલતા ઘમાસાણ પર બોલ્યા રાહુલ ગાંધી


  • Published By :
  • Published Date : 2022-11-28 16:42:54

છેલ્લા ઘણા સમયથી રાજસ્થાન પોલિટિક્સમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેના અણબનાવની વાતો ચર્ચામાં આવી રહી છે. શાબ્દિક પ્રહારને લઈ રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પાર્ટી માટે બંને નેતાઓ ખૂબ મહત્વના છે. રાજસ્થાનમાં ચાલતો વિવાદની અસર ભારત જોડો યાત્રા પર નહીં પડે.

 


બંને નેતાઓ પાર્ટી માટે મહત્વપૂર્ણ  છે - રાહુલ ગાંધી 

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલ ઈન્દોર પહોંચી હતી. યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ત્યારે રાજસ્થાનમાં ચાલતા રાજકીય ઘમાસાણ અંગે રાહુલે કહ્યું કે અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલતા શાબ્દિક પ્રહારો પર પાર્ટી નજર રાખી રહી છે. બંને નેતાઓ પાર્ટી માટે એસેટ સમાન છે. થોડા દિવસો બાદ બારત જોડો યાત્રા રાજસ્થાનમાં પ્રવેશ કરવાની છે. જેને લઈ રાહુલ ગાંધીએ કહ્યું કે આ વિવાદની અસર ભારત જોડો યાત્રા પર નહીં પડે. પરંતુ મોટી સંખ્યામાં લોકોનું સમર્થન મળશે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.      




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.