રાહુલ ગાંધીની ઉજ્જૈનમાં નિકળેલી 'ભારત જોડો યાત્રા'માં સ્વરા ભાસ્કર જોડાઈ, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2022-12-01 12:29:32

કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની ઉજ્જૈનમાં નિકળેલી 'ભારત જોડો યાત્રા'માં બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર સાથે જોડાઈ હતી. સ્વરા ભાસ્કરની રાહુલ ગાંધી સાથેની આ તસવીરો સોસિયલ મિડીયા પર ખુબ વાયરલ થઈ રહી છે અને સ્વરા ભાસ્કર ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યું હતું.


સ્વરા ભાસ્કરે પણ ટ્વીટ કર્યુ 


રાહુલ ગાધી સાથે ભારત જોડો યાત્રામાં જોડાયા બાદ સ્વરા ભાસ્કરે પણ ટ્વીટ કર્યું, 'મિલ રહે હૈ કદમ, જુડ રહા હે વતન'. જો કે બાદમાં યુઝર્સે પણ સ્વરા ભાસ્કરને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું હતું. સોશિયલ મિડીયા પર વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે રાહુલ ગાંધી સાથે ચાલતી સ્વરા ભાસ્કર લોકો સામે હાથ હલાવીને અભિવાદન કરતી નજરે પડે છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.