રાહુલ ગાંધીની ઉજ્જૈનમાં નિકળેલી 'ભારત જોડો યાત્રા'માં સ્વરા ભાસ્કર જોડાઈ, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2022-12-01 12:29:32

કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની ઉજ્જૈનમાં નિકળેલી 'ભારત જોડો યાત્રા'માં બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર સાથે જોડાઈ હતી. સ્વરા ભાસ્કરની રાહુલ ગાંધી સાથેની આ તસવીરો સોસિયલ મિડીયા પર ખુબ વાયરલ થઈ રહી છે અને સ્વરા ભાસ્કર ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યું હતું.


સ્વરા ભાસ્કરે પણ ટ્વીટ કર્યુ 


રાહુલ ગાધી સાથે ભારત જોડો યાત્રામાં જોડાયા બાદ સ્વરા ભાસ્કરે પણ ટ્વીટ કર્યું, 'મિલ રહે હૈ કદમ, જુડ રહા હે વતન'. જો કે બાદમાં યુઝર્સે પણ સ્વરા ભાસ્કરને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું હતું. સોશિયલ મિડીયા પર વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે રાહુલ ગાંધી સાથે ચાલતી સ્વરા ભાસ્કર લોકો સામે હાથ હલાવીને અભિવાદન કરતી નજરે પડે છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.