રાહુલ ગાંધી માનહાનિ કેસના ચુકાદાને સેશન્સ કોર્ટમાં આજે પડકારશે, રાહુલ ગાંધી ફરી આવશે સુરત


  • Published By :
  • Published Date : 2023-04-03 08:59:21

રાહુલ ગાંધી આજે સુરત આવવાના છે. મોદી સરનેમ અંગે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈ સુરત ચીફ જ્યુડિશિયલ કોર્ટે તેમને સજા ફટકારી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરતની કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજાને સેશન કોર્ટમાં પડકારશે. પોતાની અરજીમાં મેજિસ્ટ્રેટના આદેશને રદ્દ કરવાની માગ પણ કરી છે.કેસના નિકાલ સુધી દોષિત ઠેરવવા પર વચગાળાનો સ્ટે લગાવવાની માગ પણ અરજીમાં કરાઈ છે. દિલ્હીથી પણ અનેક નેતાઓ સુરત આવવાના છે. એટલે સુરતમાં માત્ર સ્થાનિક કે ગુજરાતના જ નહીં પરંતુ દિલ્હીના નેતાઓ પણ જોવા મળશે.    


પૂર્ણેશ મોદીએ  રાહુલ ગાંધી વિરૂદ્ધ કર્યો હતો કેસ 

લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ ટિપ્પણ કરી હતી. જેને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ ભાજપના નેતા અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનીનો કેસ કર્યો હતો. જે બાદ સુરત કોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો હતો.


સેશન્સ કોર્ટમાં નિર્ણયને પડકારશે  

રાહુલ ગાંધી દોષિત જાહેર થયાના થોડા જ કલાકોમાં તેમનું સંસદ પદ પણ રદ્દ કરી દેવામાં આવ્યું હતું. ઉપરાંત સરકારી ઘર ખાલી કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે રાહુલ ગાંધી આજે ફરી સુરત આવી શકે છે. સુરતમાં આવેલી ઉપલી કોર્ટમાં આ નિર્ણયને પડકારશે. આ દરમિયાન કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેવાના છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત અનેક ગુજરાત કોંગ્રેસના નેતાઓ સુરત ખાતે ઉપસ્થિત રહેવાના છે.     



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.