રાહુલ ગાંધી માનહાનિ કેસના ચુકાદાને સેશન્સ કોર્ટમાં આજે પડકારશે, રાહુલ ગાંધી ફરી આવશે સુરત


  • Published By :
  • Published Date : 2023-04-03 08:59:21

રાહુલ ગાંધી આજે સુરત આવવાના છે. મોદી સરનેમ અંગે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈ સુરત ચીફ જ્યુડિશિયલ કોર્ટે તેમને સજા ફટકારી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરતની કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજાને સેશન કોર્ટમાં પડકારશે. પોતાની અરજીમાં મેજિસ્ટ્રેટના આદેશને રદ્દ કરવાની માગ પણ કરી છે.કેસના નિકાલ સુધી દોષિત ઠેરવવા પર વચગાળાનો સ્ટે લગાવવાની માગ પણ અરજીમાં કરાઈ છે. દિલ્હીથી પણ અનેક નેતાઓ સુરત આવવાના છે. એટલે સુરતમાં માત્ર સ્થાનિક કે ગુજરાતના જ નહીં પરંતુ દિલ્હીના નેતાઓ પણ જોવા મળશે.    


પૂર્ણેશ મોદીએ  રાહુલ ગાંધી વિરૂદ્ધ કર્યો હતો કેસ 

લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ ટિપ્પણ કરી હતી. જેને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ ભાજપના નેતા અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનીનો કેસ કર્યો હતો. જે બાદ સુરત કોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો હતો.


સેશન્સ કોર્ટમાં નિર્ણયને પડકારશે  

રાહુલ ગાંધી દોષિત જાહેર થયાના થોડા જ કલાકોમાં તેમનું સંસદ પદ પણ રદ્દ કરી દેવામાં આવ્યું હતું. ઉપરાંત સરકારી ઘર ખાલી કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે રાહુલ ગાંધી આજે ફરી સુરત આવી શકે છે. સુરતમાં આવેલી ઉપલી કોર્ટમાં આ નિર્ણયને પડકારશે. આ દરમિયાન કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેવાના છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત અનેક ગુજરાત કોંગ્રેસના નેતાઓ સુરત ખાતે ઉપસ્થિત રહેવાના છે.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.