રાહુલ ગાંધી માનહાનિ કેસના ચુકાદાને સેશન્સ કોર્ટમાં આજે પડકારશે, રાહુલ ગાંધી ફરી આવશે સુરત


  • Published By :
  • Published Date : 2023-04-03 08:59:21

રાહુલ ગાંધી આજે સુરત આવવાના છે. મોદી સરનેમ અંગે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈ સુરત ચીફ જ્યુડિશિયલ કોર્ટે તેમને સજા ફટકારી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરતની કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજાને સેશન કોર્ટમાં પડકારશે. પોતાની અરજીમાં મેજિસ્ટ્રેટના આદેશને રદ્દ કરવાની માગ પણ કરી છે.કેસના નિકાલ સુધી દોષિત ઠેરવવા પર વચગાળાનો સ્ટે લગાવવાની માગ પણ અરજીમાં કરાઈ છે. દિલ્હીથી પણ અનેક નેતાઓ સુરત આવવાના છે. એટલે સુરતમાં માત્ર સ્થાનિક કે ગુજરાતના જ નહીં પરંતુ દિલ્હીના નેતાઓ પણ જોવા મળશે.    


પૂર્ણેશ મોદીએ  રાહુલ ગાંધી વિરૂદ્ધ કર્યો હતો કેસ 

લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ ટિપ્પણ કરી હતી. જેને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ ભાજપના નેતા અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનીનો કેસ કર્યો હતો. જે બાદ સુરત કોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો હતો.


સેશન્સ કોર્ટમાં નિર્ણયને પડકારશે  

રાહુલ ગાંધી દોષિત જાહેર થયાના થોડા જ કલાકોમાં તેમનું સંસદ પદ પણ રદ્દ કરી દેવામાં આવ્યું હતું. ઉપરાંત સરકારી ઘર ખાલી કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે રાહુલ ગાંધી આજે ફરી સુરત આવી શકે છે. સુરતમાં આવેલી ઉપલી કોર્ટમાં આ નિર્ણયને પડકારશે. આ દરમિયાન કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેવાના છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત અનેક ગુજરાત કોંગ્રેસના નેતાઓ સુરત ખાતે ઉપસ્થિત રહેવાના છે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.