રાહુલ ગાંધી માનહાનિ કેસના ચુકાદાને સેશન્સ કોર્ટમાં આજે પડકારશે, રાહુલ ગાંધી ફરી આવશે સુરત


  • Published By :
  • Published Date : 2023-04-03 08:59:21

રાહુલ ગાંધી આજે સુરત આવવાના છે. મોદી સરનેમ અંગે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈ સુરત ચીફ જ્યુડિશિયલ કોર્ટે તેમને સજા ફટકારી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરતની કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજાને સેશન કોર્ટમાં પડકારશે. પોતાની અરજીમાં મેજિસ્ટ્રેટના આદેશને રદ્દ કરવાની માગ પણ કરી છે.કેસના નિકાલ સુધી દોષિત ઠેરવવા પર વચગાળાનો સ્ટે લગાવવાની માગ પણ અરજીમાં કરાઈ છે. દિલ્હીથી પણ અનેક નેતાઓ સુરત આવવાના છે. એટલે સુરતમાં માત્ર સ્થાનિક કે ગુજરાતના જ નહીં પરંતુ દિલ્હીના નેતાઓ પણ જોવા મળશે.    


પૂર્ણેશ મોદીએ  રાહુલ ગાંધી વિરૂદ્ધ કર્યો હતો કેસ 

લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ ટિપ્પણ કરી હતી. જેને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ ભાજપના નેતા અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનીનો કેસ કર્યો હતો. જે બાદ સુરત કોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો હતો.


સેશન્સ કોર્ટમાં નિર્ણયને પડકારશે  

રાહુલ ગાંધી દોષિત જાહેર થયાના થોડા જ કલાકોમાં તેમનું સંસદ પદ પણ રદ્દ કરી દેવામાં આવ્યું હતું. ઉપરાંત સરકારી ઘર ખાલી કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે રાહુલ ગાંધી આજે ફરી સુરત આવી શકે છે. સુરતમાં આવેલી ઉપલી કોર્ટમાં આ નિર્ણયને પડકારશે. આ દરમિયાન કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેવાના છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત અનેક ગુજરાત કોંગ્રેસના નેતાઓ સુરત ખાતે ઉપસ્થિત રહેવાના છે.     



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે