રાહુલ ગાંધી આજે ખાલી કરશે સરકારી બંગલો! સરકારી બંગલો લોકસભા સચિવાલયને સોંપશે, સોનિયા ગાંધીની જોડે રહેશે રાહુલ ગાંધી!


  • Published By :
  • Published Date : 2023-04-22 09:49:17

મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જે બાદ સુરતની કોર્ટમાં આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદ તેમનું સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું અને સરકારી બંગલો ખાલી કરવા પણ નોટિસ આપવામાં આવી હતી. ત્યારે થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ પોતાનો સામાન સોનિયા ગાંધીના ઘરે શિફ્ટ કરી દીધો હતો. ત્યારે મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી પોતાનો સરકારી બંગલો લોકસભા સચિવાલયને સોંપી દેશે.


સરકારી બંગલો ખાલી કરવા આપવામાં આવી હતી નોટિસ!

2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમ અંગે નિવેદન આપ્યું હતું. જે બાદ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ પૂર્વમંત્રી પૂર્ણેશ મોદીએ કર્યો હતો. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. તેમને બે વર્ષની સજા તેમજ દંડ ફટકાર્યો હતો. જેને લઈ રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ્દ થઈ ગયું હતું. ઉપરાંત સરકારી બંગલો ખાલી કરવા પણ આદેશ કર્યો હતો.


થોડા સમય પહેલા સોનિયા ગાંધીના ઘરે રાહુલ ગાંધીએ સામાન કર્યો હતો શિફ્ટ!

સુરતની કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય પર સ્ટે મૂકવામાં આવે તેવી અરજી સુરતની સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી. ત્યારે ગુરૂવારે આ મામલે સેશન્સ કોર્ટે ચૂકાદો આપ્યો હતો અને નિર્ણય પર સ્ટે મૂકવામાં આવે તે અરજીને ફગાવી દીધી હતી. જેને લઈ રાહુલ ગાંધીની સજા યથાવત રહી હતી. સજા મળતા રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે રાહુલ ગાંધી સરકારી બંગલો લોકસભા સચિવાલયને સોંપી શકે છે. ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા રાહુલ ગાંધીએ પોતાનો સામાન માતા સોનિયા ગાંધીના ઘરે શિફ્ટ કર્યો હતો. ત્યારે હવે રાહુલ ગાંધી પોતાની માતાની સાથે રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે.    



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.