રાહુલ ગાંધી આજે ખાલી કરશે સરકારી બંગલો! સરકારી બંગલો લોકસભા સચિવાલયને સોંપશે, સોનિયા ગાંધીની જોડે રહેશે રાહુલ ગાંધી!


  • Published By :
  • Published Date : 2023-04-22 09:49:17

મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જે બાદ સુરતની કોર્ટમાં આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદ તેમનું સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું અને સરકારી બંગલો ખાલી કરવા પણ નોટિસ આપવામાં આવી હતી. ત્યારે થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ પોતાનો સામાન સોનિયા ગાંધીના ઘરે શિફ્ટ કરી દીધો હતો. ત્યારે મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી પોતાનો સરકારી બંગલો લોકસભા સચિવાલયને સોંપી દેશે.


સરકારી બંગલો ખાલી કરવા આપવામાં આવી હતી નોટિસ!

2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમ અંગે નિવેદન આપ્યું હતું. જે બાદ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ પૂર્વમંત્રી પૂર્ણેશ મોદીએ કર્યો હતો. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. તેમને બે વર્ષની સજા તેમજ દંડ ફટકાર્યો હતો. જેને લઈ રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ્દ થઈ ગયું હતું. ઉપરાંત સરકારી બંગલો ખાલી કરવા પણ આદેશ કર્યો હતો.


થોડા સમય પહેલા સોનિયા ગાંધીના ઘરે રાહુલ ગાંધીએ સામાન કર્યો હતો શિફ્ટ!

સુરતની કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય પર સ્ટે મૂકવામાં આવે તેવી અરજી સુરતની સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી. ત્યારે ગુરૂવારે આ મામલે સેશન્સ કોર્ટે ચૂકાદો આપ્યો હતો અને નિર્ણય પર સ્ટે મૂકવામાં આવે તે અરજીને ફગાવી દીધી હતી. જેને લઈ રાહુલ ગાંધીની સજા યથાવત રહી હતી. સજા મળતા રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે રાહુલ ગાંધી સરકારી બંગલો લોકસભા સચિવાલયને સોંપી શકે છે. ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા રાહુલ ગાંધીએ પોતાનો સામાન માતા સોનિયા ગાંધીના ઘરે શિફ્ટ કર્યો હતો. ત્યારે હવે રાહુલ ગાંધી પોતાની માતાની સાથે રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.