રાહુલ ગાંધી આજે ખાલી કરશે સરકારી બંગલો! સરકારી બંગલો લોકસભા સચિવાલયને સોંપશે, સોનિયા ગાંધીની જોડે રહેશે રાહુલ ગાંધી!


  • Published By :
  • Published Date : 2023-04-22 09:49:17

મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જે બાદ સુરતની કોર્ટમાં આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદ તેમનું સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું અને સરકારી બંગલો ખાલી કરવા પણ નોટિસ આપવામાં આવી હતી. ત્યારે થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ પોતાનો સામાન સોનિયા ગાંધીના ઘરે શિફ્ટ કરી દીધો હતો. ત્યારે મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી પોતાનો સરકારી બંગલો લોકસભા સચિવાલયને સોંપી દેશે.


સરકારી બંગલો ખાલી કરવા આપવામાં આવી હતી નોટિસ!

2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમ અંગે નિવેદન આપ્યું હતું. જે બાદ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ પૂર્વમંત્રી પૂર્ણેશ મોદીએ કર્યો હતો. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. તેમને બે વર્ષની સજા તેમજ દંડ ફટકાર્યો હતો. જેને લઈ રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ્દ થઈ ગયું હતું. ઉપરાંત સરકારી બંગલો ખાલી કરવા પણ આદેશ કર્યો હતો.


થોડા સમય પહેલા સોનિયા ગાંધીના ઘરે રાહુલ ગાંધીએ સામાન કર્યો હતો શિફ્ટ!

સુરતની કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય પર સ્ટે મૂકવામાં આવે તેવી અરજી સુરતની સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી. ત્યારે ગુરૂવારે આ મામલે સેશન્સ કોર્ટે ચૂકાદો આપ્યો હતો અને નિર્ણય પર સ્ટે મૂકવામાં આવે તે અરજીને ફગાવી દીધી હતી. જેને લઈ રાહુલ ગાંધીની સજા યથાવત રહી હતી. સજા મળતા રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે રાહુલ ગાંધી સરકારી બંગલો લોકસભા સચિવાલયને સોંપી શકે છે. ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા રાહુલ ગાંધીએ પોતાનો સામાન માતા સોનિયા ગાંધીના ઘરે શિફ્ટ કર્યો હતો. ત્યારે હવે રાહુલ ગાંધી પોતાની માતાની સાથે રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.