હવામાન વિભાગે નવરાત્રીમાં વરસાદ પડવાની આગાહી કરી છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 16:34:31

કોરોનાના 2 વર્ષ બાદ આ વખતે ધામધૂમથી નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક સ્થળો પર ભવ્ય આયોજન કરાઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં ચોમાસુ 11-13 ઓક્ટોબર વચ્ચે વિદાય લઈ શકે છે. ત્યારે નવરાત્રીમાં વરસાદને કારણે આ વર્ષે ગરબાના આનંદમાં ભંગ પડી શકે છે.

ગરબા રમવા ખેલૈયાઓ તૈયાર

નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જેને લઈ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે. નવરાત્રીના અનેક મહિનાઓ પહેલા ખેલૈયાઓ તૈયારીમાં લાગી જતા હોય છે. ગરબાની પ્રેક્ટિસ કરવાથી લઈ કપડા સુધીની તૈયારી ખેલૈયાઓ કરી લીધી છે. ત્યારે આ વર્ષે ગરબાને કારણે ખેલૈયાના રંગમાં ભંગ ન પડે તે માટે ખેલૈયાઓ પ્રાર્થના કરી રહ્યા છે. 

Historical Dance | Indian festivals, Navratri, Navratri garba

નવરાત્રી બગાડી શકે છે વરસાદ

આ વર્ષે ધામધૂમથી નવરાત્રીની ઉજવણી કરવા અમદાવાદીઓ તૈયાર છે. છેલ્લા 2 વર્ષથી ગરબે ધૂમવા ન મળતા આ વર્ષે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરી છે. ત્યારે આ વર્ષે ગરબા રમવા મળશે કે નહીં એ તો વરસાદ પર નિર્ભર છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .