હવામાન વિભાગે નવરાત્રીમાં વરસાદ પડવાની આગાહી કરી છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 16:34:31

કોરોનાના 2 વર્ષ બાદ આ વખતે ધામધૂમથી નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક સ્થળો પર ભવ્ય આયોજન કરાઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં ચોમાસુ 11-13 ઓક્ટોબર વચ્ચે વિદાય લઈ શકે છે. ત્યારે નવરાત્રીમાં વરસાદને કારણે આ વર્ષે ગરબાના આનંદમાં ભંગ પડી શકે છે.

ગરબા રમવા ખેલૈયાઓ તૈયાર

નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જેને લઈ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે. નવરાત્રીના અનેક મહિનાઓ પહેલા ખેલૈયાઓ તૈયારીમાં લાગી જતા હોય છે. ગરબાની પ્રેક્ટિસ કરવાથી લઈ કપડા સુધીની તૈયારી ખેલૈયાઓ કરી લીધી છે. ત્યારે આ વર્ષે ગરબાને કારણે ખેલૈયાના રંગમાં ભંગ ન પડે તે માટે ખેલૈયાઓ પ્રાર્થના કરી રહ્યા છે. 

Historical Dance | Indian festivals, Navratri, Navratri garba

નવરાત્રી બગાડી શકે છે વરસાદ

આ વર્ષે ધામધૂમથી નવરાત્રીની ઉજવણી કરવા અમદાવાદીઓ તૈયાર છે. છેલ્લા 2 વર્ષથી ગરબે ધૂમવા ન મળતા આ વર્ષે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરી છે. ત્યારે આ વર્ષે ગરબા રમવા મળશે કે નહીં એ તો વરસાદ પર નિર્ભર છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .