દેશના અનેક રાજ્યોમાં વરસાદે મચાવી તબાહી! ભારે વરસાદને કારણે રસ્તા પર ભરાયું પાણી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-21 11:28:38

દેશના કોઈ રાજ્યમાં કાળઝાળ ગરમી વરસી રહી છે તો કોઈ રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે પરંતુ અનેક રાજ્યોમાં તો ચોમાસુ બેસે તે પહેલા જ વરસાદના રેકોર્ડ તૂટી ગયા છે. દિલ્હીમાં ગરમીથી તો રાહત મળી પરંતુ વરસાદએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ગુરુગ્રામમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ધોધમાર વરસાદને કારણે 2 ફીટથી વધારે પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવવાને કારણે ગાડીઓ ડૂબતી જોવા મળી હતી. તે સિવાય આસામની હાલત પણ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. અતિવૃષ્ટિને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.


ભારે વરસાદને કારણે ગુરૂગ્રામમાં ભરાયા પાણી!

બિપોરજોયને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. પરંતુ દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં પ્રિ મોનસુનને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. હરિયાણામાં પ્રિમોનસુનને લઈ જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. ગરમીથી તો લોકોને રાહત મળી છે પરંતુ વરસાદથી લોકો પરેશાન થઈ ગયા છે. આસામમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેને લઈ હજારો લોકો પ્રભાવિત થયા છે. ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તે સિવાય હરિયાણાના ગુરુગ્રામથી એવા દ્રશ્યો સામે આવ્યા છે, જે ત્યાંની સ્થિતિ કેવી હશે તે દર્શાવી રહ્યા છે.          

અનેક રાજ્યો માટે કરાયું એલર્ટ જાહેર!

જો વરસાદની આગાહીની વાત કરીએ તો દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં વરસાદ થઈ શકે છે. આગામી કલાકો દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોસમ વિભાગની આગાહી મુજબ દિલ્હીમાં 25 જૂનથી વરસાદની શરૂઆત થશે. તે સિવાય ઉત્તર પ્રદેશ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. 22 જૂન સુધી ઉત્તર પ્રદેશમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. તે સિવાય બિહાર માટે પણ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. ઓડિશામાં પણ 24 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.