દેશના અનેક રાજ્યોમાં વરસાદે મચાવી તબાહી! ભારે વરસાદને કારણે રસ્તા પર ભરાયું પાણી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-21 11:28:38

દેશના કોઈ રાજ્યમાં કાળઝાળ ગરમી વરસી રહી છે તો કોઈ રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે પરંતુ અનેક રાજ્યોમાં તો ચોમાસુ બેસે તે પહેલા જ વરસાદના રેકોર્ડ તૂટી ગયા છે. દિલ્હીમાં ગરમીથી તો રાહત મળી પરંતુ વરસાદએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ગુરુગ્રામમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ધોધમાર વરસાદને કારણે 2 ફીટથી વધારે પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવવાને કારણે ગાડીઓ ડૂબતી જોવા મળી હતી. તે સિવાય આસામની હાલત પણ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. અતિવૃષ્ટિને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.


ભારે વરસાદને કારણે ગુરૂગ્રામમાં ભરાયા પાણી!

બિપોરજોયને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. પરંતુ દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં પ્રિ મોનસુનને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. હરિયાણામાં પ્રિમોનસુનને લઈ જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. ગરમીથી તો લોકોને રાહત મળી છે પરંતુ વરસાદથી લોકો પરેશાન થઈ ગયા છે. આસામમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેને લઈ હજારો લોકો પ્રભાવિત થયા છે. ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તે સિવાય હરિયાણાના ગુરુગ્રામથી એવા દ્રશ્યો સામે આવ્યા છે, જે ત્યાંની સ્થિતિ કેવી હશે તે દર્શાવી રહ્યા છે.          

અનેક રાજ્યો માટે કરાયું એલર્ટ જાહેર!

જો વરસાદની આગાહીની વાત કરીએ તો દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં વરસાદ થઈ શકે છે. આગામી કલાકો દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોસમ વિભાગની આગાહી મુજબ દિલ્હીમાં 25 જૂનથી વરસાદની શરૂઆત થશે. તે સિવાય ઉત્તર પ્રદેશ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. 22 જૂન સુધી ઉત્તર પ્રદેશમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. તે સિવાય બિહાર માટે પણ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. ઓડિશામાં પણ 24 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.