દેશના અનેક રાજ્યોમાં વરસાદે મચાવી તબાહી! ભારે વરસાદને કારણે રસ્તા પર ભરાયું પાણી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-21 11:28:38

દેશના કોઈ રાજ્યમાં કાળઝાળ ગરમી વરસી રહી છે તો કોઈ રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે પરંતુ અનેક રાજ્યોમાં તો ચોમાસુ બેસે તે પહેલા જ વરસાદના રેકોર્ડ તૂટી ગયા છે. દિલ્હીમાં ગરમીથી તો રાહત મળી પરંતુ વરસાદએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ગુરુગ્રામમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ધોધમાર વરસાદને કારણે 2 ફીટથી વધારે પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવવાને કારણે ગાડીઓ ડૂબતી જોવા મળી હતી. તે સિવાય આસામની હાલત પણ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. અતિવૃષ્ટિને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.


ભારે વરસાદને કારણે ગુરૂગ્રામમાં ભરાયા પાણી!

બિપોરજોયને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. પરંતુ દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં પ્રિ મોનસુનને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. હરિયાણામાં પ્રિમોનસુનને લઈ જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. ગરમીથી તો લોકોને રાહત મળી છે પરંતુ વરસાદથી લોકો પરેશાન થઈ ગયા છે. આસામમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેને લઈ હજારો લોકો પ્રભાવિત થયા છે. ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તે સિવાય હરિયાણાના ગુરુગ્રામથી એવા દ્રશ્યો સામે આવ્યા છે, જે ત્યાંની સ્થિતિ કેવી હશે તે દર્શાવી રહ્યા છે.          

અનેક રાજ્યો માટે કરાયું એલર્ટ જાહેર!

જો વરસાદની આગાહીની વાત કરીએ તો દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં વરસાદ થઈ શકે છે. આગામી કલાકો દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોસમ વિભાગની આગાહી મુજબ દિલ્હીમાં 25 જૂનથી વરસાદની શરૂઆત થશે. તે સિવાય ઉત્તર પ્રદેશ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. 22 જૂન સુધી ઉત્તર પ્રદેશમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. તે સિવાય બિહાર માટે પણ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. ઓડિશામાં પણ 24 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.