દેશના અનેક રાજ્યોમાં વરસાદે મચાવી તબાહી! ભારે વરસાદને કારણે રસ્તા પર ભરાયું પાણી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-21 11:28:38

દેશના કોઈ રાજ્યમાં કાળઝાળ ગરમી વરસી રહી છે તો કોઈ રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે પરંતુ અનેક રાજ્યોમાં તો ચોમાસુ બેસે તે પહેલા જ વરસાદના રેકોર્ડ તૂટી ગયા છે. દિલ્હીમાં ગરમીથી તો રાહત મળી પરંતુ વરસાદએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ગુરુગ્રામમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ધોધમાર વરસાદને કારણે 2 ફીટથી વધારે પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવવાને કારણે ગાડીઓ ડૂબતી જોવા મળી હતી. તે સિવાય આસામની હાલત પણ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. અતિવૃષ્ટિને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.


ભારે વરસાદને કારણે ગુરૂગ્રામમાં ભરાયા પાણી!

બિપોરજોયને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. પરંતુ દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં પ્રિ મોનસુનને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. હરિયાણામાં પ્રિમોનસુનને લઈ જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. ગરમીથી તો લોકોને રાહત મળી છે પરંતુ વરસાદથી લોકો પરેશાન થઈ ગયા છે. આસામમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેને લઈ હજારો લોકો પ્રભાવિત થયા છે. ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તે સિવાય હરિયાણાના ગુરુગ્રામથી એવા દ્રશ્યો સામે આવ્યા છે, જે ત્યાંની સ્થિતિ કેવી હશે તે દર્શાવી રહ્યા છે.          

અનેક રાજ્યો માટે કરાયું એલર્ટ જાહેર!

જો વરસાદની આગાહીની વાત કરીએ તો દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં વરસાદ થઈ શકે છે. આગામી કલાકો દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોસમ વિભાગની આગાહી મુજબ દિલ્હીમાં 25 જૂનથી વરસાદની શરૂઆત થશે. તે સિવાય ઉત્તર પ્રદેશ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. 22 જૂન સુધી ઉત્તર પ્રદેશમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. તે સિવાય બિહાર માટે પણ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. ઓડિશામાં પણ 24 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.