વાવાઝોડાને કારણે વરસાદ ગુજરાતને ધમરોળશે? જાણો કયાં વરસી શકે છે ધોધમાર વરસાદ અને ક્યાં આવશે હળવો વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-06-14 12:29:29

રાજ્યમાં ચોમાસાને આવવાની વાર છે. પરંતુ હાલ બિપોરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે. બિપોરજોયને પગલે રાજ્યના અનેક જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. ક્યાંક ધોધમાર વરસાદ વરસી શકે છે તો ક્યાંક હળવો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂન સુધીમાં વાવાઝોડું ગુજરાતમાં ટકરાઈ શકે છે જેને કારણે કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 



વાવાઝોડાને પહલે આ જિલ્લાઓમાં વરસી શકે છે ભારે વરસાદ!

બિપોરજોય વાવાઝોડાને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ચક્રવાતને કારણે અનેક જિલ્લાઓમાં તેજ હવાઓ વહી રહી છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી પ્રમાણે કચ્છ, જૂનાગઢ, પોરબંદર તેમજ દ્વારકામાં અતિભારે વરસાદ વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત અમદાવાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓ માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર દિવસ સુધી વાવાઝોડાને કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સાવચેતીના ભાગરૂપે કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં તંત્ર દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે.  


ક્યાં વરસ્યો હતો ગઈકાલે વરસાદ?

ગઈકાલે વરસેલા વરસાદના આંકડાની વાત કરીએ તો ગુજરાતના 95 જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે દ્વારકાના ખંભાળિયામાં 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે દ્વારકાના કલ્યાણપુરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉપલેટા, જામજોધપુરમાં પોણા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. તે સિવાય જૂનાગઢ તેમજ પોરબંદરમાં બે ઈંચનો વરસાદ નોંધાયો હતો.  


અમદાવાદમાં આ તારીખે થશે વરસાદ! 

આગાહી પ્રમાણે 15 જૂન એટલે આવતી કાલે કચ્છના નલિયા, જખૌ, માંડવી, ગાંધીધામમાં અતિભારે વરસાદ વરસી શકે છે. પવનની ગતિ પણ 100 કિલોમીટરથી વધારે હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં 15,16 તેમજ 17 જૂનના રોજ વરસાદ વરસી શકે છે. તે સિવાય ગીર સોમનાથ, જામનગર સહિત રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામશે તેવી આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.   




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.