વાવાઝોડાને કારણે વરસાદ ગુજરાતને ધમરોળશે? જાણો કયાં વરસી શકે છે ધોધમાર વરસાદ અને ક્યાં આવશે હળવો વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-06-14 12:29:29

રાજ્યમાં ચોમાસાને આવવાની વાર છે. પરંતુ હાલ બિપોરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે. બિપોરજોયને પગલે રાજ્યના અનેક જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. ક્યાંક ધોધમાર વરસાદ વરસી શકે છે તો ક્યાંક હળવો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂન સુધીમાં વાવાઝોડું ગુજરાતમાં ટકરાઈ શકે છે જેને કારણે કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 



વાવાઝોડાને પહલે આ જિલ્લાઓમાં વરસી શકે છે ભારે વરસાદ!

બિપોરજોય વાવાઝોડાને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ચક્રવાતને કારણે અનેક જિલ્લાઓમાં તેજ હવાઓ વહી રહી છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી પ્રમાણે કચ્છ, જૂનાગઢ, પોરબંદર તેમજ દ્વારકામાં અતિભારે વરસાદ વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત અમદાવાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓ માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર દિવસ સુધી વાવાઝોડાને કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સાવચેતીના ભાગરૂપે કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં તંત્ર દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે.  


ક્યાં વરસ્યો હતો ગઈકાલે વરસાદ?

ગઈકાલે વરસેલા વરસાદના આંકડાની વાત કરીએ તો ગુજરાતના 95 જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે દ્વારકાના ખંભાળિયામાં 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે દ્વારકાના કલ્યાણપુરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉપલેટા, જામજોધપુરમાં પોણા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. તે સિવાય જૂનાગઢ તેમજ પોરબંદરમાં બે ઈંચનો વરસાદ નોંધાયો હતો.  


અમદાવાદમાં આ તારીખે થશે વરસાદ! 

આગાહી પ્રમાણે 15 જૂન એટલે આવતી કાલે કચ્છના નલિયા, જખૌ, માંડવી, ગાંધીધામમાં અતિભારે વરસાદ વરસી શકે છે. પવનની ગતિ પણ 100 કિલોમીટરથી વધારે હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં 15,16 તેમજ 17 જૂનના રોજ વરસાદ વરસી શકે છે. તે સિવાય ગીર સોમનાથ, જામનગર સહિત રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામશે તેવી આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.