રાજ્યના અનેક જિલ્લાઓમાં થઈ વરસાદની એન્ટ્રી, વહેલી સવારથી જામ્યો વરસાદી માહોલ


  • Published By :
  • Published Date : 2023-06-24 10:47:31

રાજ્યના અનેક જગ્યાઓ પર વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બિપોરજોયને કારણે થોડા સમય પહેલા સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હતો. પરંતુ તે જ બિપોરજોય વાવાઝોડાએ વરસાદની સિસ્ટમને વેરવિખેર કરી નાખી હતી. આમ તો આ સમય દરમિયાન રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ પરંતુ વાવાઝોડાને કારણે આ વખતે ચોમાસુ મોડું બેઠું છે. વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી. જે મુજબ સવારથી દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોને મેઘરાજા ધમરોળી રહ્યા છે. વડોદરા, પંચમહાલ, ખેડા, ડાંગ, ભરૂચ, નવસારી સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. તો વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. 


બિપોરજોયને કારણે વરસાદી સિસ્ટમ ખોરવાઈ! 

ગુજરાતમાં ચોમાસુ ક્યારે બેસશે તે અંગે અસમંજસ હતું. આ વર્ષે દર વર્ષ કરતા ચોમાસાની શરૂઆત મોડી થઈ છે. ઉનાળામાં કમોસમી વરસાદે વરસાદી સિસ્ટમને અસ્તવ્યસ્ત કરી દીધી હતી. તે બાદ બિપોરજોય વાવાઝોડાએ રાજ્યમાં વરસાદી માહોલ કરી દીધો હતો. અનેક જિલ્લાઓ એવા હતાં જ્યાં વાવાઝોડાને કારણે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાણી ભરાઈ ગયા હતા અને મોટા પાયે નુકસાન પણ થયું હતું. ચક્રવાતને કારણે વરસાદી સિસ્ટમ પર ધણી અસર પડી છે. વરસાદી સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. કેરળમાં ચોમાસાનું આગન સત્તાવાર રીતે થઈ ગયું છે પરંતુ ત્યાંથી આગળ નથી વધી રહ્યું. જેને લઈ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન મોડું થઈ રહ્યું છે.


આ જગ્યાઓ પર વરસ્યો ધોધમાર વરસાદ 

પરંતુ આજે વહેલી સવારથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. વડોદરામાં પણ વરસાદ વરસી રહ્યો છે. વડોદરા, પંચમહાલ, આણંદ, ખેડા, ડભોઈ, છોટા ઉદેપુર સહિતના જિલ્લાઓમાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. ખેડામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ગોધરા, જાંબુઘોડા, કાલોલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબકી રહ્યો છે. વડોદરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તે સિવાય આણંદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. વરસાદને લઈ વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.