રાજ્યના અનેક જિલ્લાઓમાં થઈ વરસાદની એન્ટ્રી, વહેલી સવારથી જામ્યો વરસાદી માહોલ


  • Published By :
  • Published Date : 2023-06-24 10:47:31

રાજ્યના અનેક જગ્યાઓ પર વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બિપોરજોયને કારણે થોડા સમય પહેલા સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હતો. પરંતુ તે જ બિપોરજોય વાવાઝોડાએ વરસાદની સિસ્ટમને વેરવિખેર કરી નાખી હતી. આમ તો આ સમય દરમિયાન રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ પરંતુ વાવાઝોડાને કારણે આ વખતે ચોમાસુ મોડું બેઠું છે. વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી. જે મુજબ સવારથી દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોને મેઘરાજા ધમરોળી રહ્યા છે. વડોદરા, પંચમહાલ, ખેડા, ડાંગ, ભરૂચ, નવસારી સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. તો વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. 


બિપોરજોયને કારણે વરસાદી સિસ્ટમ ખોરવાઈ! 

ગુજરાતમાં ચોમાસુ ક્યારે બેસશે તે અંગે અસમંજસ હતું. આ વર્ષે દર વર્ષ કરતા ચોમાસાની શરૂઆત મોડી થઈ છે. ઉનાળામાં કમોસમી વરસાદે વરસાદી સિસ્ટમને અસ્તવ્યસ્ત કરી દીધી હતી. તે બાદ બિપોરજોય વાવાઝોડાએ રાજ્યમાં વરસાદી માહોલ કરી દીધો હતો. અનેક જિલ્લાઓ એવા હતાં જ્યાં વાવાઝોડાને કારણે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાણી ભરાઈ ગયા હતા અને મોટા પાયે નુકસાન પણ થયું હતું. ચક્રવાતને કારણે વરસાદી સિસ્ટમ પર ધણી અસર પડી છે. વરસાદી સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. કેરળમાં ચોમાસાનું આગન સત્તાવાર રીતે થઈ ગયું છે પરંતુ ત્યાંથી આગળ નથી વધી રહ્યું. જેને લઈ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન મોડું થઈ રહ્યું છે.


આ જગ્યાઓ પર વરસ્યો ધોધમાર વરસાદ 

પરંતુ આજે વહેલી સવારથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. વડોદરામાં પણ વરસાદ વરસી રહ્યો છે. વડોદરા, પંચમહાલ, આણંદ, ખેડા, ડભોઈ, છોટા ઉદેપુર સહિતના જિલ્લાઓમાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. ખેડામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ગોધરા, જાંબુઘોડા, કાલોલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબકી રહ્યો છે. વડોદરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તે સિવાય આણંદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. વરસાદને લઈ વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.