રાજ્યના અનેક જિલ્લાઓમાં થઈ વરસાદની એન્ટ્રી, વહેલી સવારથી જામ્યો વરસાદી માહોલ


  • Published By :
  • Published Date : 2023-06-24 10:47:31

રાજ્યના અનેક જગ્યાઓ પર વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બિપોરજોયને કારણે થોડા સમય પહેલા સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હતો. પરંતુ તે જ બિપોરજોય વાવાઝોડાએ વરસાદની સિસ્ટમને વેરવિખેર કરી નાખી હતી. આમ તો આ સમય દરમિયાન રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ પરંતુ વાવાઝોડાને કારણે આ વખતે ચોમાસુ મોડું બેઠું છે. વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી. જે મુજબ સવારથી દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોને મેઘરાજા ધમરોળી રહ્યા છે. વડોદરા, પંચમહાલ, ખેડા, ડાંગ, ભરૂચ, નવસારી સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. તો વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. 


બિપોરજોયને કારણે વરસાદી સિસ્ટમ ખોરવાઈ! 

ગુજરાતમાં ચોમાસુ ક્યારે બેસશે તે અંગે અસમંજસ હતું. આ વર્ષે દર વર્ષ કરતા ચોમાસાની શરૂઆત મોડી થઈ છે. ઉનાળામાં કમોસમી વરસાદે વરસાદી સિસ્ટમને અસ્તવ્યસ્ત કરી દીધી હતી. તે બાદ બિપોરજોય વાવાઝોડાએ રાજ્યમાં વરસાદી માહોલ કરી દીધો હતો. અનેક જિલ્લાઓ એવા હતાં જ્યાં વાવાઝોડાને કારણે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાણી ભરાઈ ગયા હતા અને મોટા પાયે નુકસાન પણ થયું હતું. ચક્રવાતને કારણે વરસાદી સિસ્ટમ પર ધણી અસર પડી છે. વરસાદી સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. કેરળમાં ચોમાસાનું આગન સત્તાવાર રીતે થઈ ગયું છે પરંતુ ત્યાંથી આગળ નથી વધી રહ્યું. જેને લઈ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન મોડું થઈ રહ્યું છે.


આ જગ્યાઓ પર વરસ્યો ધોધમાર વરસાદ 

પરંતુ આજે વહેલી સવારથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. વડોદરામાં પણ વરસાદ વરસી રહ્યો છે. વડોદરા, પંચમહાલ, આણંદ, ખેડા, ડભોઈ, છોટા ઉદેપુર સહિતના જિલ્લાઓમાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. ખેડામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ગોધરા, જાંબુઘોડા, કાલોલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબકી રહ્યો છે. વડોદરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તે સિવાય આણંદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. વરસાદને લઈ વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.