છેલ્લા 24 કલાકમાં 135 તાલુકામાં વરસાદ મેઘ મહેર, ડાંગના વઘઈમાં સૌથી વધુ છ ઇંચ વરસાદ ખાબક્યો, હજુ પણ 5 દિવસ થશે અમીવર્ષા


  • Published By :
  • Published Date : 2023-09-08 14:14:11

છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી રિછાયેલા મેઘરાજાએ અંતે મહેર કરી છે. જન્માષ્ટમીના દિવસે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 135 તાલુકામાં વરસાદ પડ્યો છે. આજે પણ સવારથી રાજ્યના કેટલાક ભાગોમાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સવારના 10 વાગ્યા સુધીમાં રાજ્યના 53 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના માંગરોળમાં 40 મિ.મી., કપરાડામાં 33 મિ.મી. અને ધરમપુરમાં 32 મિ.મી. વરસાદ વરસ્યો છે. આજે આ જિલ્લાઓમાં મેઘ મહેરઆજે સવારથી રાજ્યના આણંદ, ભરૂચ, દાહોદ, ડાંગ, ખેડા, મહીસાગર, નર્મદા, નવસારી, સુરત, તાપી, વડોદરા અને વલસાડ જિલ્લામાં વરસાદ વરસ્યો છે.

 

ક્યા કેટલો વરસાદ ખાબક્યો?


ગત 24 કલાકમાં રાજ્યના 135 તાલુકામાં વરસાદગત 24 કલાકમાં રાજ્યના 135 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. ડાંગના વઘઈમાં સૌથી વધુ છ ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 28 તાલુકામાં 1 ઇંચથી 6 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જ્યારે 107 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વઘઇમાં 5.6 ઇંચ, ઉમરાપાડામાં 4.9 ઇંચ, આહવામાં 2.9, સુબિરમાં 2.7, કપરાડામાં 2.4 ઇંચ, સોનગઢમાં 2.2 અને કઠલાલમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.


આગામી પાંચ દિવસ થશે મેઘ મહેર


રાજ્ય હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને લીધે રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. આ તરફ સંઘ પ્રદેશ દીવ, દમણ, અને દાદરાનગર હવેલીમાં પણ મેઘરાજા મહેરબાન થશે તેવી હવામાન વિભાગની આગાહી છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.