છેલ્લા 24 કલાકમાં 135 તાલુકામાં વરસાદ મેઘ મહેર, ડાંગના વઘઈમાં સૌથી વધુ છ ઇંચ વરસાદ ખાબક્યો, હજુ પણ 5 દિવસ થશે અમીવર્ષા


  • Published By :
  • Published Date : 2023-09-08 14:14:11

છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી રિછાયેલા મેઘરાજાએ અંતે મહેર કરી છે. જન્માષ્ટમીના દિવસે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 135 તાલુકામાં વરસાદ પડ્યો છે. આજે પણ સવારથી રાજ્યના કેટલાક ભાગોમાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સવારના 10 વાગ્યા સુધીમાં રાજ્યના 53 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના માંગરોળમાં 40 મિ.મી., કપરાડામાં 33 મિ.મી. અને ધરમપુરમાં 32 મિ.મી. વરસાદ વરસ્યો છે. આજે આ જિલ્લાઓમાં મેઘ મહેરઆજે સવારથી રાજ્યના આણંદ, ભરૂચ, દાહોદ, ડાંગ, ખેડા, મહીસાગર, નર્મદા, નવસારી, સુરત, તાપી, વડોદરા અને વલસાડ જિલ્લામાં વરસાદ વરસ્યો છે.

 

ક્યા કેટલો વરસાદ ખાબક્યો?


ગત 24 કલાકમાં રાજ્યના 135 તાલુકામાં વરસાદગત 24 કલાકમાં રાજ્યના 135 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. ડાંગના વઘઈમાં સૌથી વધુ છ ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 28 તાલુકામાં 1 ઇંચથી 6 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જ્યારે 107 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વઘઇમાં 5.6 ઇંચ, ઉમરાપાડામાં 4.9 ઇંચ, આહવામાં 2.9, સુબિરમાં 2.7, કપરાડામાં 2.4 ઇંચ, સોનગઢમાં 2.2 અને કઠલાલમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.


આગામી પાંચ દિવસ થશે મેઘ મહેર


રાજ્ય હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને લીધે રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. આ તરફ સંઘ પ્રદેશ દીવ, દમણ, અને દાદરાનગર હવેલીમાં પણ મેઘરાજા મહેરબાન થશે તેવી હવામાન વિભાગની આગાહી છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.