છેલ્લા 24 કલાકમાં 135 તાલુકામાં વરસાદ મેઘ મહેર, ડાંગના વઘઈમાં સૌથી વધુ છ ઇંચ વરસાદ ખાબક્યો, હજુ પણ 5 દિવસ થશે અમીવર્ષા


  • Published By :
  • Published Date : 2023-09-08 14:14:11

છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી રિછાયેલા મેઘરાજાએ અંતે મહેર કરી છે. જન્માષ્ટમીના દિવસે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 135 તાલુકામાં વરસાદ પડ્યો છે. આજે પણ સવારથી રાજ્યના કેટલાક ભાગોમાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સવારના 10 વાગ્યા સુધીમાં રાજ્યના 53 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના માંગરોળમાં 40 મિ.મી., કપરાડામાં 33 મિ.મી. અને ધરમપુરમાં 32 મિ.મી. વરસાદ વરસ્યો છે. આજે આ જિલ્લાઓમાં મેઘ મહેરઆજે સવારથી રાજ્યના આણંદ, ભરૂચ, દાહોદ, ડાંગ, ખેડા, મહીસાગર, નર્મદા, નવસારી, સુરત, તાપી, વડોદરા અને વલસાડ જિલ્લામાં વરસાદ વરસ્યો છે.

 

ક્યા કેટલો વરસાદ ખાબક્યો?


ગત 24 કલાકમાં રાજ્યના 135 તાલુકામાં વરસાદગત 24 કલાકમાં રાજ્યના 135 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. ડાંગના વઘઈમાં સૌથી વધુ છ ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 28 તાલુકામાં 1 ઇંચથી 6 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જ્યારે 107 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વઘઇમાં 5.6 ઇંચ, ઉમરાપાડામાં 4.9 ઇંચ, આહવામાં 2.9, સુબિરમાં 2.7, કપરાડામાં 2.4 ઇંચ, સોનગઢમાં 2.2 અને કઠલાલમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.


આગામી પાંચ દિવસ થશે મેઘ મહેર


રાજ્ય હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને લીધે રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. આ તરફ સંઘ પ્રદેશ દીવ, દમણ, અને દાદરાનગર હવેલીમાં પણ મેઘરાજા મહેરબાન થશે તેવી હવામાન વિભાગની આગાહી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.