દેશના અનેક રાજ્યોમાં વરસ્યો વરસાદ! ખરાબ હવામાનને કારણે ફ્લાઈટોને કરાઈ ડાયવર્ટ! જાણો કયા રાજ્યો માટે કરવામાં આવી છે વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2023-05-27 12:44:44

દેશના અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો આવ્યો છે. દેશના અનેક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અનેક રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે. શનિવારે દિલ્હીમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો. વિઝીબિલીટી પણ ઓછી થઈ ગઈ છે. ખરાબ હવામાનને કારણે અનેક ફ્લાઈટને ડાઈવર્ટ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દિલ્હી-એનસીઆરના અનેક વિસ્તારોમાં 70 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે.

 


દિલ્હી એનસીઆરના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ!

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના અનેક રાજ્યોમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. દિલ્હી એનસીઆરમાં પણ વહેલી સવારથી વરસાદ આવી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે ત્રણ દિવસ વરસાદ રહેશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત 7 રાજ્યો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં જયપુર, ભોપાલ, રાંચી સહિત અનેક જગ્યાઓ પર વરસાદ થયો હતો. વરસાદને કારણે તાપમાનના પારામાં ઘટાડો થયો છે. 

रांची में आंधी के कारण हिनू में पेड़ गिर गया। इससे दो कारें क्षतिग्रस्त हो गईं।

અનેક ફ્લાઈટને કરવામાં આવી ડાયવર્ટ!

ખરાબ હવામાનની અસર ફ્લાઈટ પર જોવા મળી રહી છે. ભારે પવન અને વરસાદને કારણે અનેક ફ્લાઈટને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. દિલ્હી એરપોર્ટ દ્વારા એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી હતી. ખરાબ હવામાનને કારણે ફ્લાઈટને જયપુર ડાયવર્ટ કરી દેવામાં આવી હતી. વાવાઝોડા અને વાદળોને કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ હતી. વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી. 31મે સુધી દેશના અનેક રાજ્યો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે ગરમીથી પણ રાહત મળી હતી. વરસાદને કારણે બે ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.


આ રાજ્યોમાં પણ જોવા મળ્યો વરસાદી માહોલ!

દિલ્હી સિવાય મધ્યપ્રદેશના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ભોપાલ સહિત 22 જિલ્લાઓમાં તેજ હવા વહી હતી. તે સિવાય 29 જિલ્લાઓમાં વરસાદ પણ  વરસ્યો હતો. આગામી ત્રણ ચાર દિવસ વરસાદી માહોલ જોવા મળશે. તે સિવાય રાજસ્થાનમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જયપુર, અજમેર, કોટા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. હિમાચલ પ્રદેશમાં ભારે વર્ષાને કારણે તાપમાનમાં ઘણો ઘટાડો નોંધાયો છે.     




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.