દેશના અનેક રાજ્યોમાં વરસ્યો વરસાદ! ખરાબ હવામાનને કારણે ફ્લાઈટોને કરાઈ ડાયવર્ટ! જાણો કયા રાજ્યો માટે કરવામાં આવી છે વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2023-05-27 12:44:44

દેશના અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો આવ્યો છે. દેશના અનેક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અનેક રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે. શનિવારે દિલ્હીમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો. વિઝીબિલીટી પણ ઓછી થઈ ગઈ છે. ખરાબ હવામાનને કારણે અનેક ફ્લાઈટને ડાઈવર્ટ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દિલ્હી-એનસીઆરના અનેક વિસ્તારોમાં 70 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે.

 


દિલ્હી એનસીઆરના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ!

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના અનેક રાજ્યોમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. દિલ્હી એનસીઆરમાં પણ વહેલી સવારથી વરસાદ આવી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે ત્રણ દિવસ વરસાદ રહેશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત 7 રાજ્યો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં જયપુર, ભોપાલ, રાંચી સહિત અનેક જગ્યાઓ પર વરસાદ થયો હતો. વરસાદને કારણે તાપમાનના પારામાં ઘટાડો થયો છે. 

रांची में आंधी के कारण हिनू में पेड़ गिर गया। इससे दो कारें क्षतिग्रस्त हो गईं।

અનેક ફ્લાઈટને કરવામાં આવી ડાયવર્ટ!

ખરાબ હવામાનની અસર ફ્લાઈટ પર જોવા મળી રહી છે. ભારે પવન અને વરસાદને કારણે અનેક ફ્લાઈટને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. દિલ્હી એરપોર્ટ દ્વારા એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી હતી. ખરાબ હવામાનને કારણે ફ્લાઈટને જયપુર ડાયવર્ટ કરી દેવામાં આવી હતી. વાવાઝોડા અને વાદળોને કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ હતી. વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી. 31મે સુધી દેશના અનેક રાજ્યો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે ગરમીથી પણ રાહત મળી હતી. વરસાદને કારણે બે ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.


આ રાજ્યોમાં પણ જોવા મળ્યો વરસાદી માહોલ!

દિલ્હી સિવાય મધ્યપ્રદેશના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ભોપાલ સહિત 22 જિલ્લાઓમાં તેજ હવા વહી હતી. તે સિવાય 29 જિલ્લાઓમાં વરસાદ પણ  વરસ્યો હતો. આગામી ત્રણ ચાર દિવસ વરસાદી માહોલ જોવા મળશે. તે સિવાય રાજસ્થાનમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જયપુર, અજમેર, કોટા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. હિમાચલ પ્રદેશમાં ભારે વર્ષાને કારણે તાપમાનમાં ઘણો ઘટાડો નોંધાયો છે.     




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.