દેશના અનેક રાજ્યોમાં વરસ્યો વરસાદ! ખરાબ હવામાનને કારણે ફ્લાઈટોને કરાઈ ડાયવર્ટ! જાણો કયા રાજ્યો માટે કરવામાં આવી છે વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2023-05-27 12:44:44

દેશના અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો આવ્યો છે. દેશના અનેક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અનેક રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે. શનિવારે દિલ્હીમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો. વિઝીબિલીટી પણ ઓછી થઈ ગઈ છે. ખરાબ હવામાનને કારણે અનેક ફ્લાઈટને ડાઈવર્ટ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દિલ્હી-એનસીઆરના અનેક વિસ્તારોમાં 70 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે.

 


દિલ્હી એનસીઆરના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ!

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના અનેક રાજ્યોમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. દિલ્હી એનસીઆરમાં પણ વહેલી સવારથી વરસાદ આવી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે ત્રણ દિવસ વરસાદ રહેશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત 7 રાજ્યો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં જયપુર, ભોપાલ, રાંચી સહિત અનેક જગ્યાઓ પર વરસાદ થયો હતો. વરસાદને કારણે તાપમાનના પારામાં ઘટાડો થયો છે. 

रांची में आंधी के कारण हिनू में पेड़ गिर गया। इससे दो कारें क्षतिग्रस्त हो गईं।

અનેક ફ્લાઈટને કરવામાં આવી ડાયવર્ટ!

ખરાબ હવામાનની અસર ફ્લાઈટ પર જોવા મળી રહી છે. ભારે પવન અને વરસાદને કારણે અનેક ફ્લાઈટને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. દિલ્હી એરપોર્ટ દ્વારા એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી હતી. ખરાબ હવામાનને કારણે ફ્લાઈટને જયપુર ડાયવર્ટ કરી દેવામાં આવી હતી. વાવાઝોડા અને વાદળોને કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ હતી. વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી. 31મે સુધી દેશના અનેક રાજ્યો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે ગરમીથી પણ રાહત મળી હતી. વરસાદને કારણે બે ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.


આ રાજ્યોમાં પણ જોવા મળ્યો વરસાદી માહોલ!

દિલ્હી સિવાય મધ્યપ્રદેશના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ભોપાલ સહિત 22 જિલ્લાઓમાં તેજ હવા વહી હતી. તે સિવાય 29 જિલ્લાઓમાં વરસાદ પણ  વરસ્યો હતો. આગામી ત્રણ ચાર દિવસ વરસાદી માહોલ જોવા મળશે. તે સિવાય રાજસ્થાનમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જયપુર, અજમેર, કોટા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. હિમાચલ પ્રદેશમાં ભારે વર્ષાને કારણે તાપમાનમાં ઘણો ઘટાડો નોંધાયો છે.     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.