દેશના અનેક રાજ્યોમાં વરસ્યો વરસાદ! ખરાબ હવામાનને કારણે ફ્લાઈટોને કરાઈ ડાયવર્ટ! જાણો કયા રાજ્યો માટે કરવામાં આવી છે વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2023-05-27 12:44:44

દેશના અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો આવ્યો છે. દેશના અનેક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અનેક રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે. શનિવારે દિલ્હીમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો. વિઝીબિલીટી પણ ઓછી થઈ ગઈ છે. ખરાબ હવામાનને કારણે અનેક ફ્લાઈટને ડાઈવર્ટ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દિલ્હી-એનસીઆરના અનેક વિસ્તારોમાં 70 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે.

 


દિલ્હી એનસીઆરના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ!

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના અનેક રાજ્યોમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. દિલ્હી એનસીઆરમાં પણ વહેલી સવારથી વરસાદ આવી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે ત્રણ દિવસ વરસાદ રહેશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત 7 રાજ્યો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં જયપુર, ભોપાલ, રાંચી સહિત અનેક જગ્યાઓ પર વરસાદ થયો હતો. વરસાદને કારણે તાપમાનના પારામાં ઘટાડો થયો છે. 

रांची में आंधी के कारण हिनू में पेड़ गिर गया। इससे दो कारें क्षतिग्रस्त हो गईं।

અનેક ફ્લાઈટને કરવામાં આવી ડાયવર્ટ!

ખરાબ હવામાનની અસર ફ્લાઈટ પર જોવા મળી રહી છે. ભારે પવન અને વરસાદને કારણે અનેક ફ્લાઈટને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. દિલ્હી એરપોર્ટ દ્વારા એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી હતી. ખરાબ હવામાનને કારણે ફ્લાઈટને જયપુર ડાયવર્ટ કરી દેવામાં આવી હતી. વાવાઝોડા અને વાદળોને કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ હતી. વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી. 31મે સુધી દેશના અનેક રાજ્યો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે ગરમીથી પણ રાહત મળી હતી. વરસાદને કારણે બે ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.


આ રાજ્યોમાં પણ જોવા મળ્યો વરસાદી માહોલ!

દિલ્હી સિવાય મધ્યપ્રદેશના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ભોપાલ સહિત 22 જિલ્લાઓમાં તેજ હવા વહી હતી. તે સિવાય 29 જિલ્લાઓમાં વરસાદ પણ  વરસ્યો હતો. આગામી ત્રણ ચાર દિવસ વરસાદી માહોલ જોવા મળશે. તે સિવાય રાજસ્થાનમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જયપુર, અજમેર, કોટા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. હિમાચલ પ્રદેશમાં ભારે વર્ષાને કારણે તાપમાનમાં ઘણો ઘટાડો નોંધાયો છે.     




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.