દેશના અનેક રાજ્યો માટે કરાઈ વરસાદની આગાહી, આવનાર દિવસોમાં ગગડી શકે છે તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2023-02-13 11:14:53

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેને કારણે દેશના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડી હવાઓ વહી રહી છે જેને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સોમવારે પણ અનેક શહેરોમાં બરફવર્ષા થઈ રહી છે.


તાપમાનનો પારો સતત ઘટતો 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. તે ઉપરાંત પશ્ચિમ હિમાલયના અનેક રાજ્યોમાં મધ્યમ વર્ષા થવાની આગાહી પણ કરવામાં આવી છે. જેને કારણે આવનાર બે-ત્રણ દિવસ દિલ્હી, હરિયાણા, પંજાબ સહિત અનેક રાજ્યોમાં તાપમાન નીચે ગગડી શકે છે.


અનેક રાજ્યોમાં વરસી શકે છે વરસાદ       

અનેક વખત ભારે હિમવર્ષા થવાને કારણે તાપમાનનો પારો હમેશાં ગગડતો હોય છે. ઠંડા પવનનો અનુભવ થતો હોય છે. ત્યારે ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. બરફવર્ષા થવાને કારણે આસપાસના રાજ્યોમાં ઠંડા પવન વહી રહ્યા છે. તાપમાનનો પારો સતત ઘટી રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં અનેક રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે. આવનાર બે-ત્રણ દિવસ રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશમાં તાપમાનનો પારો નીચે નોંધાઈ શકે છે.     




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.