દેશના અનેક રાજ્યો માટે કરાઈ વરસાદની આગાહી, આવનાર દિવસોમાં ગગડી શકે છે તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2023-02-13 11:14:53

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેને કારણે દેશના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડી હવાઓ વહી રહી છે જેને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સોમવારે પણ અનેક શહેરોમાં બરફવર્ષા થઈ રહી છે.


તાપમાનનો પારો સતત ઘટતો 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. તે ઉપરાંત પશ્ચિમ હિમાલયના અનેક રાજ્યોમાં મધ્યમ વર્ષા થવાની આગાહી પણ કરવામાં આવી છે. જેને કારણે આવનાર બે-ત્રણ દિવસ દિલ્હી, હરિયાણા, પંજાબ સહિત અનેક રાજ્યોમાં તાપમાન નીચે ગગડી શકે છે.


અનેક રાજ્યોમાં વરસી શકે છે વરસાદ       

અનેક વખત ભારે હિમવર્ષા થવાને કારણે તાપમાનનો પારો હમેશાં ગગડતો હોય છે. ઠંડા પવનનો અનુભવ થતો હોય છે. ત્યારે ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. બરફવર્ષા થવાને કારણે આસપાસના રાજ્યોમાં ઠંડા પવન વહી રહ્યા છે. તાપમાનનો પારો સતત ઘટી રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં અનેક રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે. આવનાર બે-ત્રણ દિવસ રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશમાં તાપમાનનો પારો નીચે નોંધાઈ શકે છે.     




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.