દેશના અનેક રાજ્યો માટે કરાઈ વરસાદની આગાહી, આવનાર દિવસોમાં ગગડી શકે છે તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2023-02-13 11:14:53

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેને કારણે દેશના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડી હવાઓ વહી રહી છે જેને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સોમવારે પણ અનેક શહેરોમાં બરફવર્ષા થઈ રહી છે.


તાપમાનનો પારો સતત ઘટતો 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. તે ઉપરાંત પશ્ચિમ હિમાલયના અનેક રાજ્યોમાં મધ્યમ વર્ષા થવાની આગાહી પણ કરવામાં આવી છે. જેને કારણે આવનાર બે-ત્રણ દિવસ દિલ્હી, હરિયાણા, પંજાબ સહિત અનેક રાજ્યોમાં તાપમાન નીચે ગગડી શકે છે.


અનેક રાજ્યોમાં વરસી શકે છે વરસાદ       

અનેક વખત ભારે હિમવર્ષા થવાને કારણે તાપમાનનો પારો હમેશાં ગગડતો હોય છે. ઠંડા પવનનો અનુભવ થતો હોય છે. ત્યારે ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. બરફવર્ષા થવાને કારણે આસપાસના રાજ્યોમાં ઠંડા પવન વહી રહ્યા છે. તાપમાનનો પારો સતત ઘટી રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં અનેક રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે. આવનાર બે-ત્રણ દિવસ રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશમાં તાપમાનનો પારો નીચે નોંધાઈ શકે છે.     




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.