દેશના અનેક રાજ્યો માટે કરાઈ વરસાદની આગાહી, આવનાર દિવસોમાં ગગડી શકે છે તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2023-02-13 11:14:53

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેને કારણે દેશના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડી હવાઓ વહી રહી છે જેને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સોમવારે પણ અનેક શહેરોમાં બરફવર્ષા થઈ રહી છે.


તાપમાનનો પારો સતત ઘટતો 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. તે ઉપરાંત પશ્ચિમ હિમાલયના અનેક રાજ્યોમાં મધ્યમ વર્ષા થવાની આગાહી પણ કરવામાં આવી છે. જેને કારણે આવનાર બે-ત્રણ દિવસ દિલ્હી, હરિયાણા, પંજાબ સહિત અનેક રાજ્યોમાં તાપમાન નીચે ગગડી શકે છે.


અનેક રાજ્યોમાં વરસી શકે છે વરસાદ       

અનેક વખત ભારે હિમવર્ષા થવાને કારણે તાપમાનનો પારો હમેશાં ગગડતો હોય છે. ઠંડા પવનનો અનુભવ થતો હોય છે. ત્યારે ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. બરફવર્ષા થવાને કારણે આસપાસના રાજ્યોમાં ઠંડા પવન વહી રહ્યા છે. તાપમાનનો પારો સતત ઘટી રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં અનેક રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે. આવનાર બે-ત્રણ દિવસ રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશમાં તાપમાનનો પારો નીચે નોંધાઈ શકે છે.     




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.