અરવિંદ કેજરીવાલના વાયદાઓનો વરસાદ !!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 19:07:03


ગુજરાત વિધાન સભા ચૂંટણી નજીક આવી રહી છે. અને હવે તમામ પક્ષો મતદારોને રિઝવવાના પ્રયાસ કરી રહ્યા છે.અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતના દોહરા કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ આજે બનાસકાંઠાના ડીસા ખાતે જનમેદનીને સંબોધી હતી. પોતાના સંબોધનમાં ગુજરાતી ભાષાનો પ્રયોગ કરીને ગુજરાતીઓનો આકર્ષવાનો પ્રયાસ પણ કર્યો હતો. કેજરીવાલે જણાવ્યું કે, હવે તમારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી, તમારો ભાઇ આવી ગયો છે. 


કેજરીવાલે શું કહ્યું ??


અરવિંદ કેજરીવાલે કહ્યું " હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારો ભાઈ આવી ગયો છે દરેક મહિલાના ખાતામાં દર મહિને એક હજાર રૂપિયા આપીશું. અત્રે ઉલ્લેખનીય છે કે, હવે દરેક સભામાં તેઓ પોતાની ફ્રીના વચનો ઉપરાંત દિલ્હીની શાળાઓ અને દિલ્હીની હોસ્પિટલોના ઉદાહરણ આપતા જ રહે છે. મોંઘવારી મુદ્દે પણ ભાજપની સરકારને વારંવાર ઘેરવાના પ્રયાસો કરતા રહે છે.


દિલ્હીમાં મધ્યમ વર્ગના લોકો મોજથી રહે છે !!!


અરવિંદ કેજરીવાલએ મોંઘવારીના મુદ્દે કહ્યું દિલ્હીમાં મધ્યમ વર્ગ મોજથી રહે છે.  દિલ્હીમાં મોંઘવારી ઓછી છે તેનું કારણ છે કે, બાળનું શિક્ષણ બિલકુલ મફત છે. આ ઉપરાંત હોસ્પિટલ કે દવાનો પણ એક રૂપિયા ખર્ચ થતો નથી. માટે મધ્યમવર્ગ ન માત્ર શાંતિથી રહી શકે છે પરંતુ પોતાના પરિવારનાં લોકોની જીવન જરૂરી વસ્તુઓ ઉપરાંત કેટલાક મોજશોખ પણ પુરા કરી શકે છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.