અરવિંદ કેજરીવાલના વાયદાઓનો વરસાદ !!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 19:07:03


ગુજરાત વિધાન સભા ચૂંટણી નજીક આવી રહી છે. અને હવે તમામ પક્ષો મતદારોને રિઝવવાના પ્રયાસ કરી રહ્યા છે.અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતના દોહરા કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ આજે બનાસકાંઠાના ડીસા ખાતે જનમેદનીને સંબોધી હતી. પોતાના સંબોધનમાં ગુજરાતી ભાષાનો પ્રયોગ કરીને ગુજરાતીઓનો આકર્ષવાનો પ્રયાસ પણ કર્યો હતો. કેજરીવાલે જણાવ્યું કે, હવે તમારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી, તમારો ભાઇ આવી ગયો છે. 


કેજરીવાલે શું કહ્યું ??


અરવિંદ કેજરીવાલે કહ્યું " હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારો ભાઈ આવી ગયો છે દરેક મહિલાના ખાતામાં દર મહિને એક હજાર રૂપિયા આપીશું. અત્રે ઉલ્લેખનીય છે કે, હવે દરેક સભામાં તેઓ પોતાની ફ્રીના વચનો ઉપરાંત દિલ્હીની શાળાઓ અને દિલ્હીની હોસ્પિટલોના ઉદાહરણ આપતા જ રહે છે. મોંઘવારી મુદ્દે પણ ભાજપની સરકારને વારંવાર ઘેરવાના પ્રયાસો કરતા રહે છે.


દિલ્હીમાં મધ્યમ વર્ગના લોકો મોજથી રહે છે !!!


અરવિંદ કેજરીવાલએ મોંઘવારીના મુદ્દે કહ્યું દિલ્હીમાં મધ્યમ વર્ગ મોજથી રહે છે.  દિલ્હીમાં મોંઘવારી ઓછી છે તેનું કારણ છે કે, બાળનું શિક્ષણ બિલકુલ મફત છે. આ ઉપરાંત હોસ્પિટલ કે દવાનો પણ એક રૂપિયા ખર્ચ થતો નથી. માટે મધ્યમવર્ગ ન માત્ર શાંતિથી રહી શકે છે પરંતુ પોતાના પરિવારનાં લોકોની જીવન જરૂરી વસ્તુઓ ઉપરાંત કેટલાક મોજશોખ પણ પુરા કરી શકે છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.