અરવિંદ કેજરીવાલના વાયદાઓનો વરસાદ !!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 19:07:03


ગુજરાત વિધાન સભા ચૂંટણી નજીક આવી રહી છે. અને હવે તમામ પક્ષો મતદારોને રિઝવવાના પ્રયાસ કરી રહ્યા છે.અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતના દોહરા કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ આજે બનાસકાંઠાના ડીસા ખાતે જનમેદનીને સંબોધી હતી. પોતાના સંબોધનમાં ગુજરાતી ભાષાનો પ્રયોગ કરીને ગુજરાતીઓનો આકર્ષવાનો પ્રયાસ પણ કર્યો હતો. કેજરીવાલે જણાવ્યું કે, હવે તમારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી, તમારો ભાઇ આવી ગયો છે. 


કેજરીવાલે શું કહ્યું ??


અરવિંદ કેજરીવાલે કહ્યું " હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારો ભાઈ આવી ગયો છે દરેક મહિલાના ખાતામાં દર મહિને એક હજાર રૂપિયા આપીશું. અત્રે ઉલ્લેખનીય છે કે, હવે દરેક સભામાં તેઓ પોતાની ફ્રીના વચનો ઉપરાંત દિલ્હીની શાળાઓ અને દિલ્હીની હોસ્પિટલોના ઉદાહરણ આપતા જ રહે છે. મોંઘવારી મુદ્દે પણ ભાજપની સરકારને વારંવાર ઘેરવાના પ્રયાસો કરતા રહે છે.


દિલ્હીમાં મધ્યમ વર્ગના લોકો મોજથી રહે છે !!!


અરવિંદ કેજરીવાલએ મોંઘવારીના મુદ્દે કહ્યું દિલ્હીમાં મધ્યમ વર્ગ મોજથી રહે છે.  દિલ્હીમાં મોંઘવારી ઓછી છે તેનું કારણ છે કે, બાળનું શિક્ષણ બિલકુલ મફત છે. આ ઉપરાંત હોસ્પિટલ કે દવાનો પણ એક રૂપિયા ખર્ચ થતો નથી. માટે મધ્યમવર્ગ ન માત્ર શાંતિથી રહી શકે છે પરંતુ પોતાના પરિવારનાં લોકોની જીવન જરૂરી વસ્તુઓ ઉપરાંત કેટલાક મોજશોખ પણ પુરા કરી શકે છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે