અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 20:34:49

અમદાવાદમાં આજે વેહલી સવારથી વાદળછાયું વાતાવરણ છે ત્યારે આજે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં મેઘ મહેર થયો હતો આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસાદનું વાતાવરણ છે . રે અમદાવાદ, વડોદરા, નર્મદા સહિત અરવલ્લી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ત્યારે વરસાદને લીધે ઊભા પાકને નુકસાન પહોંચવાની બીકને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યાં છે. એકબાજુ ચોમાસું જવાની તૈયારી છે. ત્યાં હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.

 

કયા કયા વિસ્તારમાં વરસાદ પડ્યો ?

કાળા ડિબાંગ વાદળાઓ અને વીજના ચમકારાઓ વચ્ચે અમદાવાદ ના પુવઁ મા વરસાદ શરુ થયો હતો અને ધીરે ધીરે સમગ્ર અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો આજે  ખોખરા-હાટકેશ્ર્વર-અમરાઈવાડી-મણિનગર-જશોદાનગર-ઘોડાસર-વટવા-ઈશનપુર -વસ્ત્રાલ-રામોલ-હાથીજણ-નિકોલ-ઓઢવ સહિત ના વિસ્તારોમા સતત વરસાદ રહ્યો હતો.

 

ઉપરાંત અરવલ્લી તથા નર્મદામાં વરસાદ મન મૂકીને વરસ્યો વરસાદને કારણે ઊભા પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા હતા. વધુ વરસાદને લીધે મકાઈ, મગફળી સહિતના પાકને નુકસાન પહોંચી શકે છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.