અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 20:34:49

અમદાવાદમાં આજે વેહલી સવારથી વાદળછાયું વાતાવરણ છે ત્યારે આજે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં મેઘ મહેર થયો હતો આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસાદનું વાતાવરણ છે . રે અમદાવાદ, વડોદરા, નર્મદા સહિત અરવલ્લી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ત્યારે વરસાદને લીધે ઊભા પાકને નુકસાન પહોંચવાની બીકને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યાં છે. એકબાજુ ચોમાસું જવાની તૈયારી છે. ત્યાં હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.

 

કયા કયા વિસ્તારમાં વરસાદ પડ્યો ?

કાળા ડિબાંગ વાદળાઓ અને વીજના ચમકારાઓ વચ્ચે અમદાવાદ ના પુવઁ મા વરસાદ શરુ થયો હતો અને ધીરે ધીરે સમગ્ર અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો આજે  ખોખરા-હાટકેશ્ર્વર-અમરાઈવાડી-મણિનગર-જશોદાનગર-ઘોડાસર-વટવા-ઈશનપુર -વસ્ત્રાલ-રામોલ-હાથીજણ-નિકોલ-ઓઢવ સહિત ના વિસ્તારોમા સતત વરસાદ રહ્યો હતો.

 

ઉપરાંત અરવલ્લી તથા નર્મદામાં વરસાદ મન મૂકીને વરસ્યો વરસાદને કારણે ઊભા પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા હતા. વધુ વરસાદને લીધે મકાઈ, મગફળી સહિતના પાકને નુકસાન પહોંચી શકે છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .