ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, આ જિલ્લામાં વરસી શકે છે વરસાદ, જાણો તમારા ત્યાં વરસાદ થશે કે નહીં?


  • Published By :
  • Published Date : 2023-07-08 16:27:00

રાજ્યમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. ભારે વરસાદે અનેક જિલ્લાઓને ધમરોળી નાખ્યું છે. હવામાન વિભાગે પાંચ દિવસ માટે સમગ્ર રાજ્યમાં વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. સાર્વત્રિક વરસાદ પણ નોંધાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓ એવા છે જ્યાં માત્ર અમુક કલાકોમાં જ અનેક ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના 7 અને 8 તારીખ માટે કરવામાં આવી હતી. છેલ્લા થોડા કલાકોની વાત કરીએ તો ગુજરાતના 188 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો.


જામનગરમાં ચાર કલાકમાં વરસ્યો ચાર ઈંચ વરસાદ 

ચોમાસા સિઝનનું આગમન થઈ ચૂક્યું છે. મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. વરસાદના બીજી ઈનિંગની શરૂઆત થઈ ગઈ છે. બે ત્રણ દિવસના વિરામ બાદ મેઘરાજા ગુજરાતને ધમરોળવા તૈયાર છે. અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે પાંચ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અનેક જિલ્લાઓમાં એલર્ટ પણ જાહેર કરી દેવાયા છે. ક્યાંક રેડ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ આપી લોકોને સાવચેત રહેવા જણાવી દીધું છે. ત્યારે અનેક જિલ્લાઓ એવા છે જ્યાં અનેક ઈંચ વરસાદ વરસી ગયો છે. સવારના કલાકોની વાત કરીએ તો જામનગરમાં માત્ર ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ થયો હતો. જે સિવાય દ્વારકામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. 


રસ્તાઓ પર વહેતી દેખાઈ નદી!

તાલુકા વાઈસ વરસાદની વાત કરીએ તો રાજ્યના 13 તાલુકાઓ એવા છે જ્યાં 1થી 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે 76 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. અનેક જગ્યાઓ પર એટલો ભારે વરસાદ છે કે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જામનગરમાં ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. પાણી ભરાઈ જવાને કારણે રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કચ્છના ભુજમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. પોરબંદરમાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. 


આ જિલ્લાઓમાં આજે થઈ શકે છે વરસાદ 

અમદાવાદમાં પણ વહેલી સવારથી અનેક જગ્યાઓ પર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. સેટેલાઈટ, સિંદુભવન, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે. વરસાદને લઈ કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો આજે એટલે કે 8 જૂલાઈના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ, ભાવનગર, જામનગર, કચ્છ, સુરત, નવસારી, વલસાડ, આણંદ અને વડોદરામાં ધોધમાર વરસાદ વરસશે. 


ભારેથી અતિભારે વરસાદ આ જિલ્લાઓમાં વરસી શકે છે

આવતી કાલ એટલે 9 જુલાઈના રોજ કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં ધોધમાર વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 10 જુલાઈના કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  11 જુલાઈના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. મહત્વનું છે કે ચોમાસાની શરૂઆત થતાં જ અનેક ડેમોમાં પાણીની ભરપૂર આવક થઈ છે. અનેક ડેમોના દરવાજાને ખોલી દેવાયા છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.