ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, આ જિલ્લામાં વરસી શકે છે વરસાદ, જાણો તમારા ત્યાં વરસાદ થશે કે નહીં?


  • Published By :
  • Published Date : 2023-07-08 16:27:00

રાજ્યમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. ભારે વરસાદે અનેક જિલ્લાઓને ધમરોળી નાખ્યું છે. હવામાન વિભાગે પાંચ દિવસ માટે સમગ્ર રાજ્યમાં વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. સાર્વત્રિક વરસાદ પણ નોંધાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓ એવા છે જ્યાં માત્ર અમુક કલાકોમાં જ અનેક ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના 7 અને 8 તારીખ માટે કરવામાં આવી હતી. છેલ્લા થોડા કલાકોની વાત કરીએ તો ગુજરાતના 188 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો.


જામનગરમાં ચાર કલાકમાં વરસ્યો ચાર ઈંચ વરસાદ 

ચોમાસા સિઝનનું આગમન થઈ ચૂક્યું છે. મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. વરસાદના બીજી ઈનિંગની શરૂઆત થઈ ગઈ છે. બે ત્રણ દિવસના વિરામ બાદ મેઘરાજા ગુજરાતને ધમરોળવા તૈયાર છે. અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે પાંચ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અનેક જિલ્લાઓમાં એલર્ટ પણ જાહેર કરી દેવાયા છે. ક્યાંક રેડ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ આપી લોકોને સાવચેત રહેવા જણાવી દીધું છે. ત્યારે અનેક જિલ્લાઓ એવા છે જ્યાં અનેક ઈંચ વરસાદ વરસી ગયો છે. સવારના કલાકોની વાત કરીએ તો જામનગરમાં માત્ર ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ થયો હતો. જે સિવાય દ્વારકામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. 


રસ્તાઓ પર વહેતી દેખાઈ નદી!

તાલુકા વાઈસ વરસાદની વાત કરીએ તો રાજ્યના 13 તાલુકાઓ એવા છે જ્યાં 1થી 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે 76 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. અનેક જગ્યાઓ પર એટલો ભારે વરસાદ છે કે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જામનગરમાં ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. પાણી ભરાઈ જવાને કારણે રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કચ્છના ભુજમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. પોરબંદરમાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. 


આ જિલ્લાઓમાં આજે થઈ શકે છે વરસાદ 

અમદાવાદમાં પણ વહેલી સવારથી અનેક જગ્યાઓ પર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. સેટેલાઈટ, સિંદુભવન, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે. વરસાદને લઈ કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો આજે એટલે કે 8 જૂલાઈના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ, ભાવનગર, જામનગર, કચ્છ, સુરત, નવસારી, વલસાડ, આણંદ અને વડોદરામાં ધોધમાર વરસાદ વરસશે. 


ભારેથી અતિભારે વરસાદ આ જિલ્લાઓમાં વરસી શકે છે

આવતી કાલ એટલે 9 જુલાઈના રોજ કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં ધોધમાર વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 10 જુલાઈના કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  11 જુલાઈના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. મહત્વનું છે કે ચોમાસાની શરૂઆત થતાં જ અનેક ડેમોમાં પાણીની ભરપૂર આવક થઈ છે. અનેક ડેમોના દરવાજાને ખોલી દેવાયા છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.