Gujaratમાં જામ્યો વરસાદી માહોલ, જાણો વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી છે આગાહી? જુઓ ઠેર-ઠેરથી આવેલી વરસાદની તસવીરો


  • Published By :
  • Published Date : 2023-09-16 11:44:39

સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે.  ઓગસ્ટ મહિનાએ ખેડૂતોની ચિંતા વધારી હતી પરંતુ રાજ્યમાં ફરી એક વખત વરસાદની પધરામણી થતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. રાજ્યના અનેક ભાગોમાં વરસાદે ધબધબાટી બોલાવી છે તો કોઈ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાનમાં ફેરફાર થયો છે. આ બધા વચ્ચે મહીસાગરમાં વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. 

Image

આજે આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

વરસાદને લઈ કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો આજે  છોટા ઉદેપુર, નર્મદામાં મૂશળાધાર વરસાદ વરસી શકે છે તે સિવાય ભારે વરસાદને લઈ પણ આગાહી કરવામાં આવી છે. સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય દાહોદ, પંચમહાલ, વડોદરા તેમજ ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે વહેલી સવારથી જ મહીસાગરના લુણાવાડા, સંતરામ પુર, ખાનપુર, વીરપુર, કડાણા, બાલાસિનોર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. 


મહીસાગરમાં સારા વરસાદના કારણે લુણાવાડાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ હતી. 

મેઘો મહેરબાન થતાં લુણાવાડા શહેરના દરકોલી દરવાજા, હાટડિયા બજાર, અસ્થાના બજાર, હુસૈની ચોક સહિત બસસ્ટેન્ડમાં પણ પાણી ભરાઈ ગયા હતા. 


 દાહોદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાનું આગમન થયું છે. જોકે, સતત વરસાદ બાદ રોડ રસ્તા ગટરના પાણીથી તરબોળ થયાં છે. લીમડીમાં વરસાદ થતાં ગટરના પાણી રોડ રસ્તા પર ફરી વળ્યાં છે. ગટરના પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

દાહોદ પંચમહાલમાં સારો વરસાદ થશે અને મહીસાગરમાં આગાહી હવામાન વિભાગે વ્યક્ત નથી કરી એની વચ્ચે મહીસાગરમાં પણ વરસાદ થયો તે ખેડૂતો માટે સારી વાત કહેવાય. 


Image

17 સપ્ટેમ્બર માટે વાત કરવામાં આવે તો આણંદ, પંચમહાલ, દાહોદ તેમજ તાપીમાં વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ હળવો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 18 સપ્ટેમ્બરને લઈ હવામાન દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો સુરત, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, પાટણ, મહેસાણા સહિતના વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ શકે છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.