બિપોરજોયને કારણે રાજસ્થાનમાં જામ્યો વરસાદી માહોલ,અનેક જિલ્લાઓમાં ચોમાસાની સિઝન પહેલા તૂટ્યો રેકોર્ડ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-20 14:44:46

બિપોરજોયને કારણે ગુજરાત બાદ રાજસ્થાનની હાલત ખરાબ થઈ રહી છે. વાવાઝોડાને કારણે રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. બિપોરજોયને કારણે આ વર્ષે અનેક જિલ્લાઓ એવા છે જેમાં ચોમાસાનો રેકોર્ડ બ્રેક થઈ ગયો છે. બાડમેર, અજમેર, ભીલવાડા સહિતના વિસ્તારોમાં પૂર આવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અજમેરમાં વરસાદને કારણે 100 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. વરસાદને જોતા અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

    

રાજસ્થાનમાં બિપોરજોયે સર્જી તારાજી!

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું હતું. વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયાઈકાંઠા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા પણ અગમચેતીના ભાગરૂપે તમામ પ્રકારના પગલા લેવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાતમાં તબાહી મચાવી રાજસ્થાન તરફ વાવાઝોડું આગળ વધી ગયું હતું. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. ત્યારે વાવાઝોડાને કારણે રાજસ્થાનની પરિસ્થિતિ ખુબ ખરાબ થઈ રહી છે. ભારે વરસાદે અનેક વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. 

અનેક જગ્યાઓ પર વરસાદે તોડ્યો રેકોર્ડ!

દેશના અનેક રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. તો કોઈ રાજ્ય એવા છે જ્યાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે બિપોરજોયને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. બિપોરજોય વાવાઝોડું પોતાની પાછળ તબાહી છોડતું ગયું હતું. ત્યારે બિપોરજોયને કારણે રાજસ્થાનમાં હાહાકાર સર્જાયો છે. વાવાઝોડાને કારણે વરસેલા વરસાદે અનેક વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. અજમેરમાં 105 વર્ષનો રેકોર્ડ બ્રેક થયો છે. તે સિવાય જોધપુરમાં 12 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. મોનસુન પહેલાં જ ચોમાસાએ અનેક ટકાનો કોટા પૂરો કરી લીધો છે.       



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.