બિપોરજોયને કારણે રાજસ્થાનમાં જામ્યો વરસાદી માહોલ,અનેક જિલ્લાઓમાં ચોમાસાની સિઝન પહેલા તૂટ્યો રેકોર્ડ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-20 14:44:46

બિપોરજોયને કારણે ગુજરાત બાદ રાજસ્થાનની હાલત ખરાબ થઈ રહી છે. વાવાઝોડાને કારણે રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. બિપોરજોયને કારણે આ વર્ષે અનેક જિલ્લાઓ એવા છે જેમાં ચોમાસાનો રેકોર્ડ બ્રેક થઈ ગયો છે. બાડમેર, અજમેર, ભીલવાડા સહિતના વિસ્તારોમાં પૂર આવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અજમેરમાં વરસાદને કારણે 100 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. વરસાદને જોતા અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

    

રાજસ્થાનમાં બિપોરજોયે સર્જી તારાજી!

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું હતું. વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયાઈકાંઠા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા પણ અગમચેતીના ભાગરૂપે તમામ પ્રકારના પગલા લેવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાતમાં તબાહી મચાવી રાજસ્થાન તરફ વાવાઝોડું આગળ વધી ગયું હતું. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. ત્યારે વાવાઝોડાને કારણે રાજસ્થાનની પરિસ્થિતિ ખુબ ખરાબ થઈ રહી છે. ભારે વરસાદે અનેક વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. 

અનેક જગ્યાઓ પર વરસાદે તોડ્યો રેકોર્ડ!

દેશના અનેક રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. તો કોઈ રાજ્ય એવા છે જ્યાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે બિપોરજોયને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. બિપોરજોય વાવાઝોડું પોતાની પાછળ તબાહી છોડતું ગયું હતું. ત્યારે બિપોરજોયને કારણે રાજસ્થાનમાં હાહાકાર સર્જાયો છે. વાવાઝોડાને કારણે વરસેલા વરસાદે અનેક વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. અજમેરમાં 105 વર્ષનો રેકોર્ડ બ્રેક થયો છે. તે સિવાય જોધપુરમાં 12 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. મોનસુન પહેલાં જ ચોમાસાએ અનેક ટકાનો કોટા પૂરો કરી લીધો છે.       



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.