બિપોરજોયને કારણે રાજસ્થાનમાં જામ્યો વરસાદી માહોલ,અનેક જિલ્લાઓમાં ચોમાસાની સિઝન પહેલા તૂટ્યો રેકોર્ડ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-20 14:44:46

બિપોરજોયને કારણે ગુજરાત બાદ રાજસ્થાનની હાલત ખરાબ થઈ રહી છે. વાવાઝોડાને કારણે રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. બિપોરજોયને કારણે આ વર્ષે અનેક જિલ્લાઓ એવા છે જેમાં ચોમાસાનો રેકોર્ડ બ્રેક થઈ ગયો છે. બાડમેર, અજમેર, ભીલવાડા સહિતના વિસ્તારોમાં પૂર આવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અજમેરમાં વરસાદને કારણે 100 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. વરસાદને જોતા અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

    

રાજસ્થાનમાં બિપોરજોયે સર્જી તારાજી!

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું હતું. વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયાઈકાંઠા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા પણ અગમચેતીના ભાગરૂપે તમામ પ્રકારના પગલા લેવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાતમાં તબાહી મચાવી રાજસ્થાન તરફ વાવાઝોડું આગળ વધી ગયું હતું. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. ત્યારે વાવાઝોડાને કારણે રાજસ્થાનની પરિસ્થિતિ ખુબ ખરાબ થઈ રહી છે. ભારે વરસાદે અનેક વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. 

અનેક જગ્યાઓ પર વરસાદે તોડ્યો રેકોર્ડ!

દેશના અનેક રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. તો કોઈ રાજ્ય એવા છે જ્યાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે બિપોરજોયને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. બિપોરજોય વાવાઝોડું પોતાની પાછળ તબાહી છોડતું ગયું હતું. ત્યારે બિપોરજોયને કારણે રાજસ્થાનમાં હાહાકાર સર્જાયો છે. વાવાઝોડાને કારણે વરસેલા વરસાદે અનેક વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. અજમેરમાં 105 વર્ષનો રેકોર્ડ બ્રેક થયો છે. તે સિવાય જોધપુરમાં 12 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. મોનસુન પહેલાં જ ચોમાસાએ અનેક ટકાનો કોટા પૂરો કરી લીધો છે.       



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.