બિપોરજોયને કારણે રાજસ્થાનમાં જામ્યો વરસાદી માહોલ,અનેક જિલ્લાઓમાં ચોમાસાની સિઝન પહેલા તૂટ્યો રેકોર્ડ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-20 14:44:46

બિપોરજોયને કારણે ગુજરાત બાદ રાજસ્થાનની હાલત ખરાબ થઈ રહી છે. વાવાઝોડાને કારણે રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. બિપોરજોયને કારણે આ વર્ષે અનેક જિલ્લાઓ એવા છે જેમાં ચોમાસાનો રેકોર્ડ બ્રેક થઈ ગયો છે. બાડમેર, અજમેર, ભીલવાડા સહિતના વિસ્તારોમાં પૂર આવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અજમેરમાં વરસાદને કારણે 100 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. વરસાદને જોતા અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

    

રાજસ્થાનમાં બિપોરજોયે સર્જી તારાજી!

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું હતું. વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયાઈકાંઠા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા પણ અગમચેતીના ભાગરૂપે તમામ પ્રકારના પગલા લેવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાતમાં તબાહી મચાવી રાજસ્થાન તરફ વાવાઝોડું આગળ વધી ગયું હતું. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. ત્યારે વાવાઝોડાને કારણે રાજસ્થાનની પરિસ્થિતિ ખુબ ખરાબ થઈ રહી છે. ભારે વરસાદે અનેક વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. 

અનેક જગ્યાઓ પર વરસાદે તોડ્યો રેકોર્ડ!

દેશના અનેક રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. તો કોઈ રાજ્ય એવા છે જ્યાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે બિપોરજોયને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. બિપોરજોય વાવાઝોડું પોતાની પાછળ તબાહી છોડતું ગયું હતું. ત્યારે બિપોરજોયને કારણે રાજસ્થાનમાં હાહાકાર સર્જાયો છે. વાવાઝોડાને કારણે વરસેલા વરસાદે અનેક વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. અજમેરમાં 105 વર્ષનો રેકોર્ડ બ્રેક થયો છે. તે સિવાય જોધપુરમાં 12 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. મોનસુન પહેલાં જ ચોમાસાએ અનેક ટકાનો કોટા પૂરો કરી લીધો છે.       



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.