રાજસ્થાન રાજકારણ: વિવાદ શાંત કરવા મલ્લિકાર્જુન ખડગે કરશે અશોક ગેહલોત અને સચિન પાયલોટ સાથે બેઠક! અલ્ટિમેટમ બાદ થઈ રહી છે બેઠક !


  • Published By :
  • Published Date : 2023-05-29 11:37:30

રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલું આંતરિક ઘમાસાણ જગ જાહેર છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટ વચ્ચે ચાલતા વિવાદનો અંત કરવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે તેવું લાગી રહ્યું છે. મળતી  માહિતી અનુસાર ચાલતા વિવાદ વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બંને નેતાઓ સાથે અલગ અલગ બેઠક કરવાના છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે સચિન પાયલોટે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે.

  

મલ્લિકાર્જુન ખડગે કરશે નેતાઓ સાથે બેઠક!

સચિન પાયલોટે પોતાની સરકાર સામે બાયો ચઢાવી છે. છેલ્લા ઘણા સમયથી સચિન પાયલોટ પોતાની સરકાર વિરૂદ્ધ કોઈ વખત ધરણા કરે છે તો કોઈ વખત પ્રેસ કોન્ફરન્સ કરે છે. સચિન પાયલોટની માગ છે કે વસુંધરા રાજે સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા કથિત કૌભાંડની તપાસ કરવામાં આવે. ઉચ્ચ સ્તરિય તપાસ કરવામાં આવે તેવી માગ છે. આ મામલે સરકારને તેમણે અલ્ટિમેટમ આપ્યું છે. બંને નેતાઓ વચ્ચે ચાલતા ઘમાસાણને શાંત કરવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે. 


બેઠક બાદ શાંત થશે વિવાદ! 

મળતી માહિતી અનુસાર મલ્લિકાર્જુન ખડગે બંને નેતાઓ સાથે બેઠક કરી શકે છે. પહેલા 26મેના રોજ બેઠક કરવાના હતા પરંતુ હવે આજે નેતાઓ સાથે અલગ અલગ બેઠક કરી શકે છે. આ બેઠક એ વખતે થઈ રહી છે ત્યારે સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જો સચિન પાયલોટ દ્વારા આપવામાં આવે માગ નહીં સ્વીકારવામાં આવે તો રાજ્યવ્યાપી આંદોલનો કરવામાં આવશે. ત્યારે જોવાનું એ રહ્યું કે મલ્લિકાર્જુન ખડગેની બેઠક બાદ બંને નેતાઓ સાથે આવે છે કે નહીં.       



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.