રાજસ્થાન રાજકારણ: વિવાદ શાંત કરવા મલ્લિકાર્જુન ખડગે કરશે અશોક ગેહલોત અને સચિન પાયલોટ સાથે બેઠક! અલ્ટિમેટમ બાદ થઈ રહી છે બેઠક !


  • Published By :
  • Published Date : 2023-05-29 11:37:30

રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલું આંતરિક ઘમાસાણ જગ જાહેર છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટ વચ્ચે ચાલતા વિવાદનો અંત કરવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે તેવું લાગી રહ્યું છે. મળતી  માહિતી અનુસાર ચાલતા વિવાદ વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બંને નેતાઓ સાથે અલગ અલગ બેઠક કરવાના છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે સચિન પાયલોટે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે.

  

મલ્લિકાર્જુન ખડગે કરશે નેતાઓ સાથે બેઠક!

સચિન પાયલોટે પોતાની સરકાર સામે બાયો ચઢાવી છે. છેલ્લા ઘણા સમયથી સચિન પાયલોટ પોતાની સરકાર વિરૂદ્ધ કોઈ વખત ધરણા કરે છે તો કોઈ વખત પ્રેસ કોન્ફરન્સ કરે છે. સચિન પાયલોટની માગ છે કે વસુંધરા રાજે સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા કથિત કૌભાંડની તપાસ કરવામાં આવે. ઉચ્ચ સ્તરિય તપાસ કરવામાં આવે તેવી માગ છે. આ મામલે સરકારને તેમણે અલ્ટિમેટમ આપ્યું છે. બંને નેતાઓ વચ્ચે ચાલતા ઘમાસાણને શાંત કરવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે. 


બેઠક બાદ શાંત થશે વિવાદ! 

મળતી માહિતી અનુસાર મલ્લિકાર્જુન ખડગે બંને નેતાઓ સાથે બેઠક કરી શકે છે. પહેલા 26મેના રોજ બેઠક કરવાના હતા પરંતુ હવે આજે નેતાઓ સાથે અલગ અલગ બેઠક કરી શકે છે. આ બેઠક એ વખતે થઈ રહી છે ત્યારે સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જો સચિન પાયલોટ દ્વારા આપવામાં આવે માગ નહીં સ્વીકારવામાં આવે તો રાજ્યવ્યાપી આંદોલનો કરવામાં આવશે. ત્યારે જોવાનું એ રહ્યું કે મલ્લિકાર્જુન ખડગેની બેઠક બાદ બંને નેતાઓ સાથે આવે છે કે નહીં.       



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.