રાજસ્થાન પોલિટિક્સ: દિલ્હીમાં થયેલી મીટિંગ બાદ સચિન પાયલોટે આપ્યું નિવેદન! પોતાની માગને લઈ પાયલોટ દેખાયા અડગ!


  • Published By :
  • Published Date : 2023-06-01 10:04:16

રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ભ્રષ્ટાચારના આરોપો પર તપાસ કરવાની માગ સચિન પાયલોટ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલતા ઘમાસાણને શાંત કરવા હાઈકમાન્ડ વચ્ચે પડ્યું હતું. બંને નેતાઓ વચ્ચે સમાધાન પણ કરાવી લીધું હતું. ત્યારે ભ્રષ્ટાચારને લઈ સચિન પાયલોટે નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું "મારા દ્વારા ઉઠાવવામાં આવેલા ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર દિલ્હીમાં ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવી પડશે. ભ્રષ્ટાચાર મુદ્દે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં."


મલ્લિકાર્જુન ખડગે તેમજ રાહુલ ગાંધીએ કરી હતી બેઠક!  

રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. ભ્રષ્ટાચારને લઈ સચિન પાયલોટે પોતાની સરકાર વિરૂદ્ધ જ પ્રદર્શન શરૂ કર્યું છે. વસુંધરા રાજેના કાર્યકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર અંગે તપાસ કરાવવામાં આવે તેવી માગ સચિન પાયલોટની છે. રાજસ્થાનની સરકાર વિરૂદ્ધ અનેક વખત પ્રદર્શન પણ કર્યા હતા. યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલતા વિવાદને શાંત કરવા હાઈકમાન્ડે બંને નેતાઓ સાથે બેઠક કરી હતી. મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધીએ બેઠક કરી હતી. જે બાદ કોંગ્રેસે બંને નેતાઓ વચ્ચે સમાધાન થયું હોવાની જાહેરાત કરી હતી. વેણુગોપાલે કહ્યું કે અમે જીતવાના છીએ. બંને નેતાઓ રાજસ્થાનમાં એક થઈને ચૂંટણી લડવા સહેમત થયા છે.  

Image

ભ્રષ્ટાચાર અંગે કોઈ સમાધાન નહીં કરવામાં આવે - સચિન પાયલોટ 

હાઈકમાન્ડ સાથે ચર્ચા કર્યા બાદ એવું લાગતું હતું કે સચિન પાયલોટ દ્વારા જે માગ કરવામાં આવી હતી તેની પર વાત નહીં કરે. પરંતુ સચિન પાયલોટ ભ્રષ્ટાચાર અંગે કોઈ સમાધાન નથી કરવા માંગતા. આ મામલે કઈ ચલાવી લેવા નથી માગતા એવું લાગી રહ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે "મારા દ્વારા ઉઠાવવામાં આવેલા ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર દિલ્હીમાં ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવી પડશે. ભ્રષ્ટાચાર મુદ્દે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં."

  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.