રાજસ્થાન પોલિટિક્સ: દિલ્હીમાં થયેલી મીટિંગ બાદ સચિન પાયલોટે આપ્યું નિવેદન! પોતાની માગને લઈ પાયલોટ દેખાયા અડગ!


  • Published By :
  • Published Date : 2023-06-01 10:04:16

રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ભ્રષ્ટાચારના આરોપો પર તપાસ કરવાની માગ સચિન પાયલોટ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલતા ઘમાસાણને શાંત કરવા હાઈકમાન્ડ વચ્ચે પડ્યું હતું. બંને નેતાઓ વચ્ચે સમાધાન પણ કરાવી લીધું હતું. ત્યારે ભ્રષ્ટાચારને લઈ સચિન પાયલોટે નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું "મારા દ્વારા ઉઠાવવામાં આવેલા ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર દિલ્હીમાં ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવી પડશે. ભ્રષ્ટાચાર મુદ્દે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં."


મલ્લિકાર્જુન ખડગે તેમજ રાહુલ ગાંધીએ કરી હતી બેઠક!  

રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. ભ્રષ્ટાચારને લઈ સચિન પાયલોટે પોતાની સરકાર વિરૂદ્ધ જ પ્રદર્શન શરૂ કર્યું છે. વસુંધરા રાજેના કાર્યકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર અંગે તપાસ કરાવવામાં આવે તેવી માગ સચિન પાયલોટની છે. રાજસ્થાનની સરકાર વિરૂદ્ધ અનેક વખત પ્રદર્શન પણ કર્યા હતા. યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલતા વિવાદને શાંત કરવા હાઈકમાન્ડે બંને નેતાઓ સાથે બેઠક કરી હતી. મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધીએ બેઠક કરી હતી. જે બાદ કોંગ્રેસે બંને નેતાઓ વચ્ચે સમાધાન થયું હોવાની જાહેરાત કરી હતી. વેણુગોપાલે કહ્યું કે અમે જીતવાના છીએ. બંને નેતાઓ રાજસ્થાનમાં એક થઈને ચૂંટણી લડવા સહેમત થયા છે.  

Image

ભ્રષ્ટાચાર અંગે કોઈ સમાધાન નહીં કરવામાં આવે - સચિન પાયલોટ 

હાઈકમાન્ડ સાથે ચર્ચા કર્યા બાદ એવું લાગતું હતું કે સચિન પાયલોટ દ્વારા જે માગ કરવામાં આવી હતી તેની પર વાત નહીં કરે. પરંતુ સચિન પાયલોટ ભ્રષ્ટાચાર અંગે કોઈ સમાધાન નથી કરવા માંગતા. આ મામલે કઈ ચલાવી લેવા નથી માગતા એવું લાગી રહ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે "મારા દ્વારા ઉઠાવવામાં આવેલા ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર દિલ્હીમાં ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવી પડશે. ભ્રષ્ટાચાર મુદ્દે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં."

  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.