રાજસ્થાન પોલિટિક્સ: દિલ્હીમાં થયેલી મીટિંગ બાદ સચિન પાયલોટે આપ્યું નિવેદન! પોતાની માગને લઈ પાયલોટ દેખાયા અડગ!


  • Published By :
  • Published Date : 2023-06-01 10:04:16

રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ભ્રષ્ટાચારના આરોપો પર તપાસ કરવાની માગ સચિન પાયલોટ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલતા ઘમાસાણને શાંત કરવા હાઈકમાન્ડ વચ્ચે પડ્યું હતું. બંને નેતાઓ વચ્ચે સમાધાન પણ કરાવી લીધું હતું. ત્યારે ભ્રષ્ટાચારને લઈ સચિન પાયલોટે નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું "મારા દ્વારા ઉઠાવવામાં આવેલા ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર દિલ્હીમાં ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવી પડશે. ભ્રષ્ટાચાર મુદ્દે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં."


મલ્લિકાર્જુન ખડગે તેમજ રાહુલ ગાંધીએ કરી હતી બેઠક!  

રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. ભ્રષ્ટાચારને લઈ સચિન પાયલોટે પોતાની સરકાર વિરૂદ્ધ જ પ્રદર્શન શરૂ કર્યું છે. વસુંધરા રાજેના કાર્યકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર અંગે તપાસ કરાવવામાં આવે તેવી માગ સચિન પાયલોટની છે. રાજસ્થાનની સરકાર વિરૂદ્ધ અનેક વખત પ્રદર્શન પણ કર્યા હતા. યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલતા વિવાદને શાંત કરવા હાઈકમાન્ડે બંને નેતાઓ સાથે બેઠક કરી હતી. મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધીએ બેઠક કરી હતી. જે બાદ કોંગ્રેસે બંને નેતાઓ વચ્ચે સમાધાન થયું હોવાની જાહેરાત કરી હતી. વેણુગોપાલે કહ્યું કે અમે જીતવાના છીએ. બંને નેતાઓ રાજસ્થાનમાં એક થઈને ચૂંટણી લડવા સહેમત થયા છે.  

Image

ભ્રષ્ટાચાર અંગે કોઈ સમાધાન નહીં કરવામાં આવે - સચિન પાયલોટ 

હાઈકમાન્ડ સાથે ચર્ચા કર્યા બાદ એવું લાગતું હતું કે સચિન પાયલોટ દ્વારા જે માગ કરવામાં આવી હતી તેની પર વાત નહીં કરે. પરંતુ સચિન પાયલોટ ભ્રષ્ટાચાર અંગે કોઈ સમાધાન નથી કરવા માંગતા. આ મામલે કઈ ચલાવી લેવા નથી માગતા એવું લાગી રહ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે "મારા દ્વારા ઉઠાવવામાં આવેલા ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર દિલ્હીમાં ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવી પડશે. ભ્રષ્ટાચાર મુદ્દે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં."

  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.