સચિન પાયલોટની યાત્રાને કારણે ગરમાઈ રાજસ્થાનની રાજનીતિ! યાત્રાના બીજા દિવસે પાયલોટે કહ્યું 'સરકાર અમારી વાત સાંભળે'


  • Published By :
  • Published Date : 2023-05-12 12:12:27

કોંગ્રેસમાં ચાલતા આંતરિક વિવાદ અનેક વખત સામે આવ્યા છે. ત્યારે રાજસ્થાન કોંગ્રેસમાં ચાલતા ઘમાસાણથી બધા લોકો વાકેફ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે જાણો જંગ છેડાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા ભ્રષ્ટાચારને લઈ સચિન પાટલોટ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. ધરણા પૂર્ણ થયા બાદ પણ આ મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી ત્યારે સચિન પાયલોટે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે જન સંઘર્ષ યાત્રા કરવાની જાહેરાત કરી હતી. અજમેરથી જયપુર સુધી ચાલનારી આ યાત્રાનો પ્રારંભ ગઈકાલથી થઈ ગયો હતો.


પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અશોક ગેહલોત પર કર્યા હતા પ્રહાર!

રાજસ્થાનમાં થોડા સમય બાદ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ કોંગ્રેસમાં ચાલતો આંતરિક વિખવાદ ફરી એક વખત રાજસ્થાનથી સામે આવ્યો છે. અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલતું ઘમાસણ ફરી એક વખત સામે આવ્યું છે. ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવામાં આવે તેવી સચિન પાયલોટની માગ છે. જેને લઈ સચિન પાયલોટ દ્વારા થોડા દિવસો પહેલા ધરણા કરવામાં આવ્યા હતા. પરંતુ તપાસ કરવામાં આવી નથી. જે બાદ સચિન પાયલોટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને મુખ્યમંત્રી પર આકરા પ્રહાર કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું હતું કે અશોક ગેહલોતના નેતા સોનિયા ગાંધી નહીં પરંતુ વસુંધરા રાજે છે. ઉપરાંત ભ્રષ્ટાચારને લઈ તેમણે જન સંઘર્ષ યાત્રા કરવાની જાહેરાત કરી હતી. 

ભ્રષ્ટાચારને લઈ સચિન પાયલોટ કરી રહ્યા છે યાત્રા!     

ગઈકાલે સચિન પાયલોટની યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. પરંતુ યાત્રાના પોસ્ટરમાંથી ગાંધી પરિવારના ફોટા ગાયબ હતા. આજે યાત્રાનો બીજો દિવસ છે. એક ઈન્ટરવ્યુંમાં તેમણે કહ્યું કે ભ્રષ્ટાચારના મુદ્દે અને અમારા યુવાનોના ભવિષ્યથી જોડાયેલી સમસ્યા અમને પ્રભાવિત કરે છે. રાજ્યમાં અમારી પાર્ટીની સરકાર છે તો અમને આશા છે કે સરકાર અમારી વાત સાંભળશે. ત્યારે આવનાર દિવસોમાં રાજસ્થાનનું રાજકારણ ગરમાઈ શકે છે તેવું હાલ લાગી રહ્યું છે.           



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.