સચિન પાયલોટની યાત્રાને કારણે ગરમાઈ રાજસ્થાનની રાજનીતિ! યાત્રાના બીજા દિવસે પાયલોટે કહ્યું 'સરકાર અમારી વાત સાંભળે'


  • Published By :
  • Published Date : 2023-05-12 12:12:27

કોંગ્રેસમાં ચાલતા આંતરિક વિવાદ અનેક વખત સામે આવ્યા છે. ત્યારે રાજસ્થાન કોંગ્રેસમાં ચાલતા ઘમાસાણથી બધા લોકો વાકેફ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે જાણો જંગ છેડાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા ભ્રષ્ટાચારને લઈ સચિન પાટલોટ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. ધરણા પૂર્ણ થયા બાદ પણ આ મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી ત્યારે સચિન પાયલોટે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે જન સંઘર્ષ યાત્રા કરવાની જાહેરાત કરી હતી. અજમેરથી જયપુર સુધી ચાલનારી આ યાત્રાનો પ્રારંભ ગઈકાલથી થઈ ગયો હતો.


પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અશોક ગેહલોત પર કર્યા હતા પ્રહાર!

રાજસ્થાનમાં થોડા સમય બાદ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ કોંગ્રેસમાં ચાલતો આંતરિક વિખવાદ ફરી એક વખત રાજસ્થાનથી સામે આવ્યો છે. અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલતું ઘમાસણ ફરી એક વખત સામે આવ્યું છે. ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવામાં આવે તેવી સચિન પાયલોટની માગ છે. જેને લઈ સચિન પાયલોટ દ્વારા થોડા દિવસો પહેલા ધરણા કરવામાં આવ્યા હતા. પરંતુ તપાસ કરવામાં આવી નથી. જે બાદ સચિન પાયલોટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને મુખ્યમંત્રી પર આકરા પ્રહાર કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું હતું કે અશોક ગેહલોતના નેતા સોનિયા ગાંધી નહીં પરંતુ વસુંધરા રાજે છે. ઉપરાંત ભ્રષ્ટાચારને લઈ તેમણે જન સંઘર્ષ યાત્રા કરવાની જાહેરાત કરી હતી. 

ભ્રષ્ટાચારને લઈ સચિન પાયલોટ કરી રહ્યા છે યાત્રા!     

ગઈકાલે સચિન પાયલોટની યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. પરંતુ યાત્રાના પોસ્ટરમાંથી ગાંધી પરિવારના ફોટા ગાયબ હતા. આજે યાત્રાનો બીજો દિવસ છે. એક ઈન્ટરવ્યુંમાં તેમણે કહ્યું કે ભ્રષ્ટાચારના મુદ્દે અને અમારા યુવાનોના ભવિષ્યથી જોડાયેલી સમસ્યા અમને પ્રભાવિત કરે છે. રાજ્યમાં અમારી પાર્ટીની સરકાર છે તો અમને આશા છે કે સરકાર અમારી વાત સાંભળશે. ત્યારે આવનાર દિવસોમાં રાજસ્થાનનું રાજકારણ ગરમાઈ શકે છે તેવું હાલ લાગી રહ્યું છે.           



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.