સુરતમાં એક રાજસ્થાની યુવાનનું સિવિયર હાર્ટ અટેકથી મોત, 42 વર્ષીય યુવક બાઈક પર જઈ રહ્યો હતો


  • Published By :
  • Published Date : 2023-04-23 12:29:55

ગુજરાતમાં વધી રહેલી  હાર્ટ એટેકની ઘટનાઓ ચિંતાનો વિષય બની છે, કોરોના કાળ બાદ તો યુવાનો પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. સુરતમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. સુરતના ખટોદરા વિસ્તારમાં બાઇક પાછળ બેઠેલા 42 વર્ષના કાનજી સિંહ રાજપુત નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે. રાજસ્થાનનો આ વેપારી ત્રણ દિવસ પહેલા જ રાજસ્થાનથી સુરત આવ્યો હતો. આ યુવાન સુરતથી કાપડ લઈને રાજસ્થાનમાં વેચતો હતો. હાર્ટ એટેક બાદ યુવકને બેભાન અવસ્થામાં તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતા. જો કે તબીબે અહીં તેમને મૃત જાહેર કર્યો હતો. 


કાનજી સિંહ બાઈક પર પાછળ બેઠો હતો


કાનજી સિંહ રાજપુત રાજસ્થાનથી ત્રણ દિવસ પહેલા જ કાપડ ખરીદવા માટે સુરત આવ્યો હતો. સુરતમાં કાનજી સિંહ બાઇક પર પાછળ બેસીને જઈ રહ્યો હતો, આ દરમિયાન જ તેને છાતીમાં દુખાવો થયો હતો. હાર્ટ એટેક બાદ યુવકને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પીએમ બાદ યુવકનું સિવિયર હાર્ટ અટેકના કારણે મોત થયાનો ખુલાસો થયો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.