સુરતમાં એક રાજસ્થાની યુવાનનું સિવિયર હાર્ટ અટેકથી મોત, 42 વર્ષીય યુવક બાઈક પર જઈ રહ્યો હતો


  • Published By :
  • Published Date : 2023-04-23 12:29:55

ગુજરાતમાં વધી રહેલી  હાર્ટ એટેકની ઘટનાઓ ચિંતાનો વિષય બની છે, કોરોના કાળ બાદ તો યુવાનો પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. સુરતમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. સુરતના ખટોદરા વિસ્તારમાં બાઇક પાછળ બેઠેલા 42 વર્ષના કાનજી સિંહ રાજપુત નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે. રાજસ્થાનનો આ વેપારી ત્રણ દિવસ પહેલા જ રાજસ્થાનથી સુરત આવ્યો હતો. આ યુવાન સુરતથી કાપડ લઈને રાજસ્થાનમાં વેચતો હતો. હાર્ટ એટેક બાદ યુવકને બેભાન અવસ્થામાં તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતા. જો કે તબીબે અહીં તેમને મૃત જાહેર કર્યો હતો. 


કાનજી સિંહ બાઈક પર પાછળ બેઠો હતો


કાનજી સિંહ રાજપુત રાજસ્થાનથી ત્રણ દિવસ પહેલા જ કાપડ ખરીદવા માટે સુરત આવ્યો હતો. સુરતમાં કાનજી સિંહ બાઇક પર પાછળ બેસીને જઈ રહ્યો હતો, આ દરમિયાન જ તેને છાતીમાં દુખાવો થયો હતો. હાર્ટ એટેક બાદ યુવકને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પીએમ બાદ યુવકનું સિવિયર હાર્ટ અટેકના કારણે મોત થયાનો ખુલાસો થયો હતો.



બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.