સુરતમાં એક રાજસ્થાની યુવાનનું સિવિયર હાર્ટ અટેકથી મોત, 42 વર્ષીય યુવક બાઈક પર જઈ રહ્યો હતો


  • Published By :
  • Published Date : 2023-04-23 12:29:55

ગુજરાતમાં વધી રહેલી  હાર્ટ એટેકની ઘટનાઓ ચિંતાનો વિષય બની છે, કોરોના કાળ બાદ તો યુવાનો પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. સુરતમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. સુરતના ખટોદરા વિસ્તારમાં બાઇક પાછળ બેઠેલા 42 વર્ષના કાનજી સિંહ રાજપુત નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે. રાજસ્થાનનો આ વેપારી ત્રણ દિવસ પહેલા જ રાજસ્થાનથી સુરત આવ્યો હતો. આ યુવાન સુરતથી કાપડ લઈને રાજસ્થાનમાં વેચતો હતો. હાર્ટ એટેક બાદ યુવકને બેભાન અવસ્થામાં તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતા. જો કે તબીબે અહીં તેમને મૃત જાહેર કર્યો હતો. 


કાનજી સિંહ બાઈક પર પાછળ બેઠો હતો


કાનજી સિંહ રાજપુત રાજસ્થાનથી ત્રણ દિવસ પહેલા જ કાપડ ખરીદવા માટે સુરત આવ્યો હતો. સુરતમાં કાનજી સિંહ બાઇક પર પાછળ બેસીને જઈ રહ્યો હતો, આ દરમિયાન જ તેને છાતીમાં દુખાવો થયો હતો. હાર્ટ એટેક બાદ યુવકને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પીએમ બાદ યુવકનું સિવિયર હાર્ટ અટેકના કારણે મોત થયાનો ખુલાસો થયો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે