અમરેલીના રજત ધોળકિયા ખુન કેસમાં કોઈ આરોપી ન ઝડપાતા સમાજમાં રોષ, ચુંવાળીયા કોળી સમાજ લડી લેવાના મૂડમાં


  • Published By :
  • Published Date : 2023-06-30 21:53:39

રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, ક્યારેક સામાન્ય બાબતમાં કોઈની ઠંડા કલેજે હત્યા થઈ જાય તો પણ પોલીસ તંત્રનું રૂવાડું પણ ફરકતું નથી. કોઈ મા-બાપ તેમનો વ્હાયસોયો પુત્ર ગુમાવી દે તેમ છતાં પોલીસ તંત્ર કુંભકર્ણની નિદ્રામાં રહે તે કોઈ પણ દેશ અને સમાજ માટે ચિંતાજનક કહીં શકાય. આવું જ કાંઈક અમરેલી જિલ્લાના ચીતલ તાંબાના ટીંબા ગામના રજતભાઈ ધોળકિયા ખુન કેસમાં થયું છે. આ યુવાનના હાથ પગને દોરીથી બાંધીને તેમની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમની લાશને ઉંડી ખીણમાં ફેંકી દેવામાં આવી હતી. જો કે એક મહિનાથી પણ વધુ સમયવીતી ગયો હોવા છતાં પણ પરિવારને હજુ સુધી ન્યાય મળ્યો નથી. 




ન્યાય માટે ચુંવાળીયા કોળી સમાજ મેદાને


સ્વ. રજતભાઈ ધોળકિયાના પરિવારજનોને ન્યાય મળે તે માટે ગુજરાત ચુંવાળીયા કોળી સમાજના અગ્રણીઓ પણ આગળ આવ્યા છે. તેઓ વિવિધ સરકારી કચેરીઓમાં આવેદન પત્ર આપી રહ્યા છે. જો કે આ ખુન કેસમાં હજુ સુધી કોઈ આરોપીની અટકાયત પણ કરવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે રજત ધોળકિયા ખુન કેસની એફઆઈઆર અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં 09-05-23ના રોજ નોંધાઈ હતી. જો કે સ્થાનિક પોલીસ તંત્રએ આ ખુન કેસમાં હજું સુધી કોઈ કાર્યવાહી ન કરતા પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ હોય તેવું જણાઈ રહ્યું છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.