અમરેલીના રજત ધોળકિયા ખુન કેસમાં કોઈ આરોપી ન ઝડપાતા સમાજમાં રોષ, ચુંવાળીયા કોળી સમાજ લડી લેવાના મૂડમાં


  • Published By :
  • Published Date : 2023-06-30 21:53:39

રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, ક્યારેક સામાન્ય બાબતમાં કોઈની ઠંડા કલેજે હત્યા થઈ જાય તો પણ પોલીસ તંત્રનું રૂવાડું પણ ફરકતું નથી. કોઈ મા-બાપ તેમનો વ્હાયસોયો પુત્ર ગુમાવી દે તેમ છતાં પોલીસ તંત્ર કુંભકર્ણની નિદ્રામાં રહે તે કોઈ પણ દેશ અને સમાજ માટે ચિંતાજનક કહીં શકાય. આવું જ કાંઈક અમરેલી જિલ્લાના ચીતલ તાંબાના ટીંબા ગામના રજતભાઈ ધોળકિયા ખુન કેસમાં થયું છે. આ યુવાનના હાથ પગને દોરીથી બાંધીને તેમની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમની લાશને ઉંડી ખીણમાં ફેંકી દેવામાં આવી હતી. જો કે એક મહિનાથી પણ વધુ સમયવીતી ગયો હોવા છતાં પણ પરિવારને હજુ સુધી ન્યાય મળ્યો નથી. 




ન્યાય માટે ચુંવાળીયા કોળી સમાજ મેદાને


સ્વ. રજતભાઈ ધોળકિયાના પરિવારજનોને ન્યાય મળે તે માટે ગુજરાત ચુંવાળીયા કોળી સમાજના અગ્રણીઓ પણ આગળ આવ્યા છે. તેઓ વિવિધ સરકારી કચેરીઓમાં આવેદન પત્ર આપી રહ્યા છે. જો કે આ ખુન કેસમાં હજુ સુધી કોઈ આરોપીની અટકાયત પણ કરવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે રજત ધોળકિયા ખુન કેસની એફઆઈઆર અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં 09-05-23ના રોજ નોંધાઈ હતી. જો કે સ્થાનિક પોલીસ તંત્રએ આ ખુન કેસમાં હજું સુધી કોઈ કાર્યવાહી ન કરતા પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ હોય તેવું જણાઈ રહ્યું છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.