અમરેલીના રજત ધોળકિયા ખુન કેસમાં કોઈ આરોપી ન ઝડપાતા સમાજમાં રોષ, ચુંવાળીયા કોળી સમાજ લડી લેવાના મૂડમાં


  • Published By :
  • Published Date : 2023-06-30 21:53:39

રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, ક્યારેક સામાન્ય બાબતમાં કોઈની ઠંડા કલેજે હત્યા થઈ જાય તો પણ પોલીસ તંત્રનું રૂવાડું પણ ફરકતું નથી. કોઈ મા-બાપ તેમનો વ્હાયસોયો પુત્ર ગુમાવી દે તેમ છતાં પોલીસ તંત્ર કુંભકર્ણની નિદ્રામાં રહે તે કોઈ પણ દેશ અને સમાજ માટે ચિંતાજનક કહીં શકાય. આવું જ કાંઈક અમરેલી જિલ્લાના ચીતલ તાંબાના ટીંબા ગામના રજતભાઈ ધોળકિયા ખુન કેસમાં થયું છે. આ યુવાનના હાથ પગને દોરીથી બાંધીને તેમની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમની લાશને ઉંડી ખીણમાં ફેંકી દેવામાં આવી હતી. જો કે એક મહિનાથી પણ વધુ સમયવીતી ગયો હોવા છતાં પણ પરિવારને હજુ સુધી ન્યાય મળ્યો નથી. 




ન્યાય માટે ચુંવાળીયા કોળી સમાજ મેદાને


સ્વ. રજતભાઈ ધોળકિયાના પરિવારજનોને ન્યાય મળે તે માટે ગુજરાત ચુંવાળીયા કોળી સમાજના અગ્રણીઓ પણ આગળ આવ્યા છે. તેઓ વિવિધ સરકારી કચેરીઓમાં આવેદન પત્ર આપી રહ્યા છે. જો કે આ ખુન કેસમાં હજુ સુધી કોઈ આરોપીની અટકાયત પણ કરવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે રજત ધોળકિયા ખુન કેસની એફઆઈઆર અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં 09-05-23ના રોજ નોંધાઈ હતી. જો કે સ્થાનિક પોલીસ તંત્રએ આ ખુન કેસમાં હજું સુધી કોઈ કાર્યવાહી ન કરતા પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ હોય તેવું જણાઈ રહ્યું છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે