અમરેલીના રજત ધોળકિયા ખુન કેસમાં કોઈ આરોપી ન ઝડપાતા સમાજમાં રોષ, ચુંવાળીયા કોળી સમાજ લડી લેવાના મૂડમાં


  • Published By :
  • Published Date : 2023-06-30 21:53:39

રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, ક્યારેક સામાન્ય બાબતમાં કોઈની ઠંડા કલેજે હત્યા થઈ જાય તો પણ પોલીસ તંત્રનું રૂવાડું પણ ફરકતું નથી. કોઈ મા-બાપ તેમનો વ્હાયસોયો પુત્ર ગુમાવી દે તેમ છતાં પોલીસ તંત્ર કુંભકર્ણની નિદ્રામાં રહે તે કોઈ પણ દેશ અને સમાજ માટે ચિંતાજનક કહીં શકાય. આવું જ કાંઈક અમરેલી જિલ્લાના ચીતલ તાંબાના ટીંબા ગામના રજતભાઈ ધોળકિયા ખુન કેસમાં થયું છે. આ યુવાનના હાથ પગને દોરીથી બાંધીને તેમની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમની લાશને ઉંડી ખીણમાં ફેંકી દેવામાં આવી હતી. જો કે એક મહિનાથી પણ વધુ સમયવીતી ગયો હોવા છતાં પણ પરિવારને હજુ સુધી ન્યાય મળ્યો નથી. 




ન્યાય માટે ચુંવાળીયા કોળી સમાજ મેદાને


સ્વ. રજતભાઈ ધોળકિયાના પરિવારજનોને ન્યાય મળે તે માટે ગુજરાત ચુંવાળીયા કોળી સમાજના અગ્રણીઓ પણ આગળ આવ્યા છે. તેઓ વિવિધ સરકારી કચેરીઓમાં આવેદન પત્ર આપી રહ્યા છે. જો કે આ ખુન કેસમાં હજુ સુધી કોઈ આરોપીની અટકાયત પણ કરવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે રજત ધોળકિયા ખુન કેસની એફઆઈઆર અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં 09-05-23ના રોજ નોંધાઈ હતી. જો કે સ્થાનિક પોલીસ તંત્રએ આ ખુન કેસમાં હજું સુધી કોઈ કાર્યવાહી ન કરતા પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ હોય તેવું જણાઈ રહ્યું છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.