Navratriને સેટિંગ કરવાનો તહેવાર કહેવા પર Urvashi Solanki પર ભડક્યા Rajbha Gadhvi! સાંભળો પ્રતિક્રિયા આપતા શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-10-23 12:44:49

નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. આ નવ દિવસો દરમિયાન માની ઉપાસના કરીએ છીએ. આદ્યશક્તિની આરતીમાં બોલાતો એક એક શબ્દ ભક્તિમાં લીન કરે તેવો છે. જો શબ્દોના ભાવને નથી સમજી શક્તા તો આ વિષય પર ગંભીરતાથી વિચારવું પડશે. આ તહેવારોને વધારે લોકપ્રિય બનાવવા તેમજ લોકોમાં સમુહની ભાવના વધે તે માટે તેનાં મોટા આયોજનો થવા લાગ્યા. પછીધીરે ધીરે ગરબા જેમ લોકપ્રિય બનતા ગયા તેમ તેમ ગરબા કોમર્શિયલ થયા. આરાધના બાજુમાં મુકાઈ અને ડાન્સ ફેસ્ટીવલ બની ગયો. ગરબાની બદલીમાં ગીતો પર ડાન્સ થવા લાગ્યો... 

અલગ અલગ કલાકારોને નવરાત્રી પર્વ દરમિયાન બોલાવાય છે

અલગ અલગ સ્થળો પર નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે. મોટા મોટા કલાકારો, હસ્તીઓને આમંત્રિત કરવામાં આવે છે. ત્યારે નડીયાદમાં સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માં શક્તિ ઉત્સવ ગરબાનું આયોજન થયું. નવરાત્રીનું આયોજન સફળ બને તે માટે નવરાત્રીના નવ દિવસો દરમિયાન કોઈને કોઈ જાણીતા સિંગર કે એક્ટર એમાં બોલાવાય છે. નડીયાદમાં પણ કોઈક એક્ટ્રેસ અથવા મોડેલ નામે ઉર્વશી સોલંકીને બોલાવવામાં આવ્યા. યુવાનોમાં લોકપ્રિય થવાની ઘેલછામાં બેન જે બોલ્યા એ નવરાત્રીને શક્તિની ઉપાસના માનવા વાળા લોકો માટે સ્વિકાર્ય નહોતું.

સ્ટેજ પરથી કલાકારે આપ્યું હતું વિવાદિત નિવેદન  

પોતાના નિવેદનમાં ઉર્વશી સોલંકીએ કહ્યું હતું આપણાં ગરબા આખા વર્લ્ડમાં ફેમસ છે. અને ગુજરાતમાં કોઈ છોકરો છોકરીને આઈ લવ યુ કહેવું હોય તો આપણે વેલેન્ટાઈન નહીં નવરાત્રીની રાહ જોઈએ છીએ. આ ચાર દિવસમાં કેટલા લોકોએ કીધું? નવ દિવસ તમે ગરબા રમો અને છેલ્લા દિવસે પણ તમે સિંગલ હોવને તો તમે પાક્કું ગરબા જ રમ્યા છો. એવા બહુ બધા હશે જેમને નવ દિવસ સેટીંગ નહીં થાય અને આવતી નવરાત્રીની રાહ જોતા હશે.

નવરાત્રી સેટિંગ કરવાનો સમય નથી... 

નવરાત્રી એ સેટીંગ કરવાનો સમય છે એવું આપણે કેમ આ યુવાનોના મનમાં ઠસાવવા માગીએ છીએ. ટીમલી પર કે ડાકલા પર કે પછી પરી હું મૈં પર નાચતા લોકો ભલે મજા કરતા પણ બાજુ વાળી છોકરી સાથે સેટીંગ કરવા માટે જ આ બધું થતું હોય તો એમને સમજાવવાની જગ્યાએ આમ પ્રમોટ કર્યા કરીએ એ તો ના ચાલે. કદાચ આ બેન એવું સમજતા હોય પણ એમને આયોજકોએ રોકવાની તસ્દી પણ કેમ નહીં લીધી હોય. કે પછી કમર્શીયલ થયેલા ગરબામાં ખાલી નામ જ માં અને શક્તિ જેવા અપાય છે બાકી આરાધનાને કોઈ લેવાદેવા નથી હોતા.

રાજભા ગઢવીએ આ વિવાદિત નિવેદન પર આપી પ્રતિક્રિયા 

આ નિવેદન બાદ વિવાદ છેડાઈ ગયો છે. લોકોની લાગણી દુભાઈ છે, કલાકારોએ આ નિવેદનનો વિરોધ કર્યો છે. રાજભા ગઢવી દ્વારા પણ આ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી છે. પોતાના નિવેદનમાં તેમણે સનાતન ધર્મ વિશે વાત કહી. ઉપરાંત ઉર્વશી સોલંકીને પણ સલાહ આપી છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા દેવાંશી જોષીએ પણ આ વાત કહી હતી કે નવરાત્રી લવરાત્રી નથી. નવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે તેનું મહત્વ શું છે તે જાણવું જરૂરી છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી