Navratriને સેટિંગ કરવાનો તહેવાર કહેવા પર Urvashi Solanki પર ભડક્યા Rajbha Gadhvi! સાંભળો પ્રતિક્રિયા આપતા શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-10-23 12:44:49

નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. આ નવ દિવસો દરમિયાન માની ઉપાસના કરીએ છીએ. આદ્યશક્તિની આરતીમાં બોલાતો એક એક શબ્દ ભક્તિમાં લીન કરે તેવો છે. જો શબ્દોના ભાવને નથી સમજી શક્તા તો આ વિષય પર ગંભીરતાથી વિચારવું પડશે. આ તહેવારોને વધારે લોકપ્રિય બનાવવા તેમજ લોકોમાં સમુહની ભાવના વધે તે માટે તેનાં મોટા આયોજનો થવા લાગ્યા. પછીધીરે ધીરે ગરબા જેમ લોકપ્રિય બનતા ગયા તેમ તેમ ગરબા કોમર્શિયલ થયા. આરાધના બાજુમાં મુકાઈ અને ડાન્સ ફેસ્ટીવલ બની ગયો. ગરબાની બદલીમાં ગીતો પર ડાન્સ થવા લાગ્યો... 

અલગ અલગ કલાકારોને નવરાત્રી પર્વ દરમિયાન બોલાવાય છે

અલગ અલગ સ્થળો પર નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે. મોટા મોટા કલાકારો, હસ્તીઓને આમંત્રિત કરવામાં આવે છે. ત્યારે નડીયાદમાં સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માં શક્તિ ઉત્સવ ગરબાનું આયોજન થયું. નવરાત્રીનું આયોજન સફળ બને તે માટે નવરાત્રીના નવ દિવસો દરમિયાન કોઈને કોઈ જાણીતા સિંગર કે એક્ટર એમાં બોલાવાય છે. નડીયાદમાં પણ કોઈક એક્ટ્રેસ અથવા મોડેલ નામે ઉર્વશી સોલંકીને બોલાવવામાં આવ્યા. યુવાનોમાં લોકપ્રિય થવાની ઘેલછામાં બેન જે બોલ્યા એ નવરાત્રીને શક્તિની ઉપાસના માનવા વાળા લોકો માટે સ્વિકાર્ય નહોતું.

સ્ટેજ પરથી કલાકારે આપ્યું હતું વિવાદિત નિવેદન  

પોતાના નિવેદનમાં ઉર્વશી સોલંકીએ કહ્યું હતું આપણાં ગરબા આખા વર્લ્ડમાં ફેમસ છે. અને ગુજરાતમાં કોઈ છોકરો છોકરીને આઈ લવ યુ કહેવું હોય તો આપણે વેલેન્ટાઈન નહીં નવરાત્રીની રાહ જોઈએ છીએ. આ ચાર દિવસમાં કેટલા લોકોએ કીધું? નવ દિવસ તમે ગરબા રમો અને છેલ્લા દિવસે પણ તમે સિંગલ હોવને તો તમે પાક્કું ગરબા જ રમ્યા છો. એવા બહુ બધા હશે જેમને નવ દિવસ સેટીંગ નહીં થાય અને આવતી નવરાત્રીની રાહ જોતા હશે.

નવરાત્રી સેટિંગ કરવાનો સમય નથી... 

નવરાત્રી એ સેટીંગ કરવાનો સમય છે એવું આપણે કેમ આ યુવાનોના મનમાં ઠસાવવા માગીએ છીએ. ટીમલી પર કે ડાકલા પર કે પછી પરી હું મૈં પર નાચતા લોકો ભલે મજા કરતા પણ બાજુ વાળી છોકરી સાથે સેટીંગ કરવા માટે જ આ બધું થતું હોય તો એમને સમજાવવાની જગ્યાએ આમ પ્રમોટ કર્યા કરીએ એ તો ના ચાલે. કદાચ આ બેન એવું સમજતા હોય પણ એમને આયોજકોએ રોકવાની તસ્દી પણ કેમ નહીં લીધી હોય. કે પછી કમર્શીયલ થયેલા ગરબામાં ખાલી નામ જ માં અને શક્તિ જેવા અપાય છે બાકી આરાધનાને કોઈ લેવાદેવા નથી હોતા.

રાજભા ગઢવીએ આ વિવાદિત નિવેદન પર આપી પ્રતિક્રિયા 

આ નિવેદન બાદ વિવાદ છેડાઈ ગયો છે. લોકોની લાગણી દુભાઈ છે, કલાકારોએ આ નિવેદનનો વિરોધ કર્યો છે. રાજભા ગઢવી દ્વારા પણ આ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી છે. પોતાના નિવેદનમાં તેમણે સનાતન ધર્મ વિશે વાત કહી. ઉપરાંત ઉર્વશી સોલંકીને પણ સલાહ આપી છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા દેવાંશી જોષીએ પણ આ વાત કહી હતી કે નવરાત્રી લવરાત્રી નથી. નવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે તેનું મહત્વ શું છે તે જાણવું જરૂરી છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.