આમ આદમી પાર્ટીનો સાથ છોડી શકે છે રાજભા ઝાલા


  • Published By :
  • Published Date : 2022-11-06 15:10:56

ગુજરાતમાં એક તરફ આમ આદમી પાર્ટી પોતાના સંગઠનને મજબૂત કરવા કામ કરી રહી છે ત્યારે આંતરિક ડખા થવાને કારણે અનેક નેતાઓ આમ આદમી પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રીના ચહેરા તરીકે પસંદ કર્યા છે જે બાદ અનેક નેતાઓની નારાજગી ખૂલીને સામે આવી છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને રાજભા ઝાલાએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ઈન્દ્રનીલે આપનો છેડો ફાડી દીધો છે. જ્યારે રાજભા ઝાલા પણ ટૂંક સમયમાં પાર્ટીનો છેડો ફાડી શકે છે તેવા સમાચાર મળી રહ્યા છે. 

Rajbha Zala Archives - ગુજરાત તક

રાજભા ઝાલા છે આમ આદમી પાર્ટીથી નારાજ

ગુજરાતની રાજનીતિમાં ઉતરવા આમ આદમી પાર્ટી જોર લગાવી રહી છે. ગુજરાતમાં સરકાર બનાવા પ્રયાસ કરી રહી છે. આપે ભાજપ અને કોંગ્રેસ પહેલા પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી હતી. જે બાદ મુખ્યમંત્રીના ચહેરાની પણ ઘોષણા કરવામાં આવી હતી, જેને લઈ પાર્ટીમાં અંદરખાને ચાલતો વિવાદ એકાએક બહાર આવી ગયો હતો. કોંગ્રેસને અલવિદા કહી આમ આદમી પાર્ટીમાં ઈન્દ્રનીલ જોડાયા હતા. નારાજ થયેલા ઈન્દ્રનીલે કોંગ્રેસમાં ઘરવાપસી કરી દીધી છે, ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી આપમાં જોડાનાર રાજભા ઝાલા પણ ટૂંક સમયમાં આપનો સાથ છોડી શકે છે. 

गुजरात में ईसूदान गढ़वी होंगे AAP के सीएम कैंडिडेट, केजरीवाल ने किया ऐलान -  Isudan Gadhvi AAP CM candidate in Gujarat Kejriwal announced ntc - AajTak

14 નવેમ્બર બાદ છોડી શકે છે AAPનો સાથ

નારાજ થયેલા રાજભાએ પોતાના સમર્થકો સાથે બેઠક કરી હતી. હાલ ગુજરાતના પ્રવાસે અરવિંદ કેજરીવાલ આવ્યા છે. અનેક જગ્યાએ રોડ-શો કરી તેઓ આપનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે રાજભા ઝાલાએ પોતાને કેજરીવાલથી દૂર રાખ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે 14 નવેમ્બર બાદ રાજભા ઝાલા આપમાંથી પોતાના સમર્થકો સાથે રાજીનામું આપી શકે છે. જો રાજભા ઝાલા આપનો છેડો ફાડી દેશે તો સૌરાષ્ટ્ર આપમાં મોટું ભંગાણ પડી શકે છે.          




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .