આમ આદમી પાર્ટીનો સાથ છોડી શકે છે રાજભા ઝાલા


  • Published By :
  • Published Date : 2022-11-06 15:10:56

ગુજરાતમાં એક તરફ આમ આદમી પાર્ટી પોતાના સંગઠનને મજબૂત કરવા કામ કરી રહી છે ત્યારે આંતરિક ડખા થવાને કારણે અનેક નેતાઓ આમ આદમી પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રીના ચહેરા તરીકે પસંદ કર્યા છે જે બાદ અનેક નેતાઓની નારાજગી ખૂલીને સામે આવી છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને રાજભા ઝાલાએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ઈન્દ્રનીલે આપનો છેડો ફાડી દીધો છે. જ્યારે રાજભા ઝાલા પણ ટૂંક સમયમાં પાર્ટીનો છેડો ફાડી શકે છે તેવા સમાચાર મળી રહ્યા છે. 

Rajbha Zala Archives - ગુજરાત તક

રાજભા ઝાલા છે આમ આદમી પાર્ટીથી નારાજ

ગુજરાતની રાજનીતિમાં ઉતરવા આમ આદમી પાર્ટી જોર લગાવી રહી છે. ગુજરાતમાં સરકાર બનાવા પ્રયાસ કરી રહી છે. આપે ભાજપ અને કોંગ્રેસ પહેલા પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી હતી. જે બાદ મુખ્યમંત્રીના ચહેરાની પણ ઘોષણા કરવામાં આવી હતી, જેને લઈ પાર્ટીમાં અંદરખાને ચાલતો વિવાદ એકાએક બહાર આવી ગયો હતો. કોંગ્રેસને અલવિદા કહી આમ આદમી પાર્ટીમાં ઈન્દ્રનીલ જોડાયા હતા. નારાજ થયેલા ઈન્દ્રનીલે કોંગ્રેસમાં ઘરવાપસી કરી દીધી છે, ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી આપમાં જોડાનાર રાજભા ઝાલા પણ ટૂંક સમયમાં આપનો સાથ છોડી શકે છે. 

गुजरात में ईसूदान गढ़वी होंगे AAP के सीएम कैंडिडेट, केजरीवाल ने किया ऐलान -  Isudan Gadhvi AAP CM candidate in Gujarat Kejriwal announced ntc - AajTak

14 નવેમ્બર બાદ છોડી શકે છે AAPનો સાથ

નારાજ થયેલા રાજભાએ પોતાના સમર્થકો સાથે બેઠક કરી હતી. હાલ ગુજરાતના પ્રવાસે અરવિંદ કેજરીવાલ આવ્યા છે. અનેક જગ્યાએ રોડ-શો કરી તેઓ આપનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે રાજભા ઝાલાએ પોતાને કેજરીવાલથી દૂર રાખ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે 14 નવેમ્બર બાદ રાજભા ઝાલા આપમાંથી પોતાના સમર્થકો સાથે રાજીનામું આપી શકે છે. જો રાજભા ઝાલા આપનો છેડો ફાડી દેશે તો સૌરાષ્ટ્ર આપમાં મોટું ભંગાણ પડી શકે છે.          




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.