આમ આદમી પાર્ટીનો સાથ છોડી શકે છે રાજભા ઝાલા


  • Published By :
  • Published Date : 2022-11-06 15:10:56

ગુજરાતમાં એક તરફ આમ આદમી પાર્ટી પોતાના સંગઠનને મજબૂત કરવા કામ કરી રહી છે ત્યારે આંતરિક ડખા થવાને કારણે અનેક નેતાઓ આમ આદમી પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રીના ચહેરા તરીકે પસંદ કર્યા છે જે બાદ અનેક નેતાઓની નારાજગી ખૂલીને સામે આવી છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને રાજભા ઝાલાએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ઈન્દ્રનીલે આપનો છેડો ફાડી દીધો છે. જ્યારે રાજભા ઝાલા પણ ટૂંક સમયમાં પાર્ટીનો છેડો ફાડી શકે છે તેવા સમાચાર મળી રહ્યા છે. 

Rajbha Zala Archives - ગુજરાત તક

રાજભા ઝાલા છે આમ આદમી પાર્ટીથી નારાજ

ગુજરાતની રાજનીતિમાં ઉતરવા આમ આદમી પાર્ટી જોર લગાવી રહી છે. ગુજરાતમાં સરકાર બનાવા પ્રયાસ કરી રહી છે. આપે ભાજપ અને કોંગ્રેસ પહેલા પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી હતી. જે બાદ મુખ્યમંત્રીના ચહેરાની પણ ઘોષણા કરવામાં આવી હતી, જેને લઈ પાર્ટીમાં અંદરખાને ચાલતો વિવાદ એકાએક બહાર આવી ગયો હતો. કોંગ્રેસને અલવિદા કહી આમ આદમી પાર્ટીમાં ઈન્દ્રનીલ જોડાયા હતા. નારાજ થયેલા ઈન્દ્રનીલે કોંગ્રેસમાં ઘરવાપસી કરી દીધી છે, ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી આપમાં જોડાનાર રાજભા ઝાલા પણ ટૂંક સમયમાં આપનો સાથ છોડી શકે છે. 

गुजरात में ईसूदान गढ़वी होंगे AAP के सीएम कैंडिडेट, केजरीवाल ने किया ऐलान -  Isudan Gadhvi AAP CM candidate in Gujarat Kejriwal announced ntc - AajTak

14 નવેમ્બર બાદ છોડી શકે છે AAPનો સાથ

નારાજ થયેલા રાજભાએ પોતાના સમર્થકો સાથે બેઠક કરી હતી. હાલ ગુજરાતના પ્રવાસે અરવિંદ કેજરીવાલ આવ્યા છે. અનેક જગ્યાએ રોડ-શો કરી તેઓ આપનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે રાજભા ઝાલાએ પોતાને કેજરીવાલથી દૂર રાખ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે 14 નવેમ્બર બાદ રાજભા ઝાલા આપમાંથી પોતાના સમર્થકો સાથે રાજીનામું આપી શકે છે. જો રાજભા ઝાલા આપનો છેડો ફાડી દેશે તો સૌરાષ્ટ્ર આપમાં મોટું ભંગાણ પડી શકે છે.          




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"