રાજેન્દ્ર ત્રિવેદીએ BJPને માતાનો દરજ્જો આપ્યો !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-11 19:29:28


ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે  એને હવે  ભાજપે પણ 160 ઉમેદવારોની યાદી બહાર પાડી દીધી છે. એમાં ઘણા નેતાઓને ટિકિટ ફાળવવામાં નથી આવી તો ઘણા નેતાએ સ્વેચ્છાએ જ ચૂંટણી ન લડવાનો નિર્ણય પાર્ટીને કહ્યો છે. વળી આ વખતે યુવા ચહેરાઓને પણ સારી તક મળી છે. રાવપુરા વિધાનસભા બેઠક પરથી બાળુ શુક્લાને ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે. એમને શુભેચ્છા પાઠવવા માટે રાજેન્દ્ર ત્રિવેદીના કાર્યલયે બેઠક યોજાઈ હતી. જેમાં અનેક અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.


શું કહ્યું રાજેન્દ્ર ત્રિવેદીએ ?


રાવપુરા વિધાનસભા બેઠક પરથી બાળુભાઈ શુક્લને ઉમેદવાર તરીકે ભાજપે પસંદ કર્યા છે. ત્યારે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે ભાજપમાં આ બેઠક પર જે પરિવર્તન જોવા મળે છે એ નામનું જ લાગે છે. મારા મત મુજબ તો ચૂંટણીમાં કમળ જ સર્વોપરી છે. તથા અત્યારસુધી કમળ જ ચૂંટણી લડતું આવે છે.


રાજેન્દ્ર ત્રિવેદીએ ભાજપને માતાનો દરજ્જો આપ્યો


રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું "ભાજપના સિદ્ધાંતો મારામાં રોપાયેલા છે. આ પાર્ટી સાથે હું લગભગ 16 વર્ષથી જોડાયેલો છું. મને ભાજપે ઘણું બધુ આપ્યું છે. વળી આ પાર્ટીમાં જ હું મોટો થયું છે એટલે ભાજપ મારા માતા સમાન છે"



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.