રાજેન્દ્ર ત્રિવેદીએ BJPને માતાનો દરજ્જો આપ્યો !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-11 19:29:28


ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે  એને હવે  ભાજપે પણ 160 ઉમેદવારોની યાદી બહાર પાડી દીધી છે. એમાં ઘણા નેતાઓને ટિકિટ ફાળવવામાં નથી આવી તો ઘણા નેતાએ સ્વેચ્છાએ જ ચૂંટણી ન લડવાનો નિર્ણય પાર્ટીને કહ્યો છે. વળી આ વખતે યુવા ચહેરાઓને પણ સારી તક મળી છે. રાવપુરા વિધાનસભા બેઠક પરથી બાળુ શુક્લાને ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે. એમને શુભેચ્છા પાઠવવા માટે રાજેન્દ્ર ત્રિવેદીના કાર્યલયે બેઠક યોજાઈ હતી. જેમાં અનેક અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.


શું કહ્યું રાજેન્દ્ર ત્રિવેદીએ ?


રાવપુરા વિધાનસભા બેઠક પરથી બાળુભાઈ શુક્લને ઉમેદવાર તરીકે ભાજપે પસંદ કર્યા છે. ત્યારે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે ભાજપમાં આ બેઠક પર જે પરિવર્તન જોવા મળે છે એ નામનું જ લાગે છે. મારા મત મુજબ તો ચૂંટણીમાં કમળ જ સર્વોપરી છે. તથા અત્યારસુધી કમળ જ ચૂંટણી લડતું આવે છે.


રાજેન્દ્ર ત્રિવેદીએ ભાજપને માતાનો દરજ્જો આપ્યો


રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું "ભાજપના સિદ્ધાંતો મારામાં રોપાયેલા છે. આ પાર્ટી સાથે હું લગભગ 16 વર્ષથી જોડાયેલો છું. મને ભાજપે ઘણું બધુ આપ્યું છે. વળી આ પાર્ટીમાં જ હું મોટો થયું છે એટલે ભાજપ મારા માતા સમાન છે"



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.