રાજકોટ: જેતપુર માર્કેટ યાર્ડમાં બોલેરો ચાલકે વેપારી પર કાર ચઢાવી દેવાનો કર્યો પ્રયાસ, ઘટના CCTVમાં કેદ


  • Published By :
  • Published Date : 2024-02-16 14:23:35

રાજકોટ જિલ્લાના જેતપુર માર્કેટ યાર્ડમાં એક માથાફરેલ બોલેરો ચાલકે વેપારી પર બોલેરો કાર ચઢાવી દેવાનો પ્રયાસ કરતા હાહાકાર મચી ગયો છે. જણસી આપવા આવેલા બોલેરો ડ્રાઈવરે વેપારી પર ચઢાવી દેવાનો પ્રયાસ થયો હતો. બોલેરો ચાલકે ત્રણ જેટલા વેપારીઓને પણ ઢોર માર માર્યો હતો. આ ઘટના બાદ વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે અને જેતપુર માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ હરાજી બંધ કરવાનો સામુહિક નિર્ણય કર્યો છે. 


શા માટે કાર ચઢાવવાનો કર્યો પ્રયાસ?


વેપારી પર કાર ચઢાવવાની કોશિશ પાછળનું કારણ અંગત અદાવત હોવાની શક્યતાઓ હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે. મરચા ઉતરતા સમયે બોલેરો ચાલક સાથે વેપારીને તકરાર થઈ હોવાની માહિતી સામે આવી છે. મરચાં ઉતારવાની બાબતે બોલાચાલી થયા પછી ઉશ્કેરાયેલા વ્યક્તિએ વેપારી પર માલ-સામાન ભરેલું વાહન ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. હવે આ મામલે પોલીસની વધુ તપાસ બાદ હકીકત સામે આવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. આ મામલે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે જોકે વાહન ચાલક ફરાર થઈ ગયો છે.  


લોકો અને વેપારીઓમાં ભયનો માહોલ

 

જેતપુર માર્કેટ યાર્ડમાં બનેલી ઘટના બાદ સ્થાનિક લોકો અને વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. બનાવ બાદ વેપારીઓએ માર્કેટ યાર્ડમાં હરાજી બંધ કરવાનો નિર્ણય લીધો છે. જે રીતે કાર લોકોના ટોળાની વચ્ચેથી પસાર થઈ તે જોતા સ્થિતિ ગંભીર જણાવાઈ રહી છે. ટોળા ઉપર બોલેરો ચડાવવાની ઘટના CCTV માં થઈ કેદ થઈ છે. ઇજાગ્રસ્ત ત્રણ વેપારીઓને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે