રાજકોટ: જેતપુર માર્કેટ યાર્ડમાં બોલેરો ચાલકે વેપારી પર કાર ચઢાવી દેવાનો કર્યો પ્રયાસ, ઘટના CCTVમાં કેદ


  • Published By :
  • Published Date : 2024-02-16 14:23:35

રાજકોટ જિલ્લાના જેતપુર માર્કેટ યાર્ડમાં એક માથાફરેલ બોલેરો ચાલકે વેપારી પર બોલેરો કાર ચઢાવી દેવાનો પ્રયાસ કરતા હાહાકાર મચી ગયો છે. જણસી આપવા આવેલા બોલેરો ડ્રાઈવરે વેપારી પર ચઢાવી દેવાનો પ્રયાસ થયો હતો. બોલેરો ચાલકે ત્રણ જેટલા વેપારીઓને પણ ઢોર માર માર્યો હતો. આ ઘટના બાદ વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે અને જેતપુર માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ હરાજી બંધ કરવાનો સામુહિક નિર્ણય કર્યો છે. 


શા માટે કાર ચઢાવવાનો કર્યો પ્રયાસ?


વેપારી પર કાર ચઢાવવાની કોશિશ પાછળનું કારણ અંગત અદાવત હોવાની શક્યતાઓ હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે. મરચા ઉતરતા સમયે બોલેરો ચાલક સાથે વેપારીને તકરાર થઈ હોવાની માહિતી સામે આવી છે. મરચાં ઉતારવાની બાબતે બોલાચાલી થયા પછી ઉશ્કેરાયેલા વ્યક્તિએ વેપારી પર માલ-સામાન ભરેલું વાહન ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. હવે આ મામલે પોલીસની વધુ તપાસ બાદ હકીકત સામે આવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. આ મામલે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે જોકે વાહન ચાલક ફરાર થઈ ગયો છે.  


લોકો અને વેપારીઓમાં ભયનો માહોલ

 

જેતપુર માર્કેટ યાર્ડમાં બનેલી ઘટના બાદ સ્થાનિક લોકો અને વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. બનાવ બાદ વેપારીઓએ માર્કેટ યાર્ડમાં હરાજી બંધ કરવાનો નિર્ણય લીધો છે. જે રીતે કાર લોકોના ટોળાની વચ્ચેથી પસાર થઈ તે જોતા સ્થિતિ ગંભીર જણાવાઈ રહી છે. ટોળા ઉપર બોલેરો ચડાવવાની ઘટના CCTV માં થઈ કેદ થઈ છે. ઇજાગ્રસ્ત ત્રણ વેપારીઓને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"