રાજકોટ: જેતપુર માર્કેટ યાર્ડમાં બોલેરો ચાલકે વેપારી પર કાર ચઢાવી દેવાનો કર્યો પ્રયાસ, ઘટના CCTVમાં કેદ


  • Published By :
  • Published Date : 2024-02-16 14:23:35

રાજકોટ જિલ્લાના જેતપુર માર્કેટ યાર્ડમાં એક માથાફરેલ બોલેરો ચાલકે વેપારી પર બોલેરો કાર ચઢાવી દેવાનો પ્રયાસ કરતા હાહાકાર મચી ગયો છે. જણસી આપવા આવેલા બોલેરો ડ્રાઈવરે વેપારી પર ચઢાવી દેવાનો પ્રયાસ થયો હતો. બોલેરો ચાલકે ત્રણ જેટલા વેપારીઓને પણ ઢોર માર માર્યો હતો. આ ઘટના બાદ વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે અને જેતપુર માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ હરાજી બંધ કરવાનો સામુહિક નિર્ણય કર્યો છે. 


શા માટે કાર ચઢાવવાનો કર્યો પ્રયાસ?


વેપારી પર કાર ચઢાવવાની કોશિશ પાછળનું કારણ અંગત અદાવત હોવાની શક્યતાઓ હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે. મરચા ઉતરતા સમયે બોલેરો ચાલક સાથે વેપારીને તકરાર થઈ હોવાની માહિતી સામે આવી છે. મરચાં ઉતારવાની બાબતે બોલાચાલી થયા પછી ઉશ્કેરાયેલા વ્યક્તિએ વેપારી પર માલ-સામાન ભરેલું વાહન ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. હવે આ મામલે પોલીસની વધુ તપાસ બાદ હકીકત સામે આવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. આ મામલે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે જોકે વાહન ચાલક ફરાર થઈ ગયો છે.  


લોકો અને વેપારીઓમાં ભયનો માહોલ

 

જેતપુર માર્કેટ યાર્ડમાં બનેલી ઘટના બાદ સ્થાનિક લોકો અને વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. બનાવ બાદ વેપારીઓએ માર્કેટ યાર્ડમાં હરાજી બંધ કરવાનો નિર્ણય લીધો છે. જે રીતે કાર લોકોના ટોળાની વચ્ચેથી પસાર થઈ તે જોતા સ્થિતિ ગંભીર જણાવાઈ રહી છે. ટોળા ઉપર બોલેરો ચડાવવાની ઘટના CCTV માં થઈ કેદ થઈ છે. ઇજાગ્રસ્ત ત્રણ વેપારીઓને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.