રાજકોટ: જેતપુર માર્કેટ યાર્ડમાં બોલેરો ચાલકે વેપારી પર કાર ચઢાવી દેવાનો કર્યો પ્રયાસ, ઘટના CCTVમાં કેદ


  • Published By :
  • Published Date : 2024-02-16 14:23:35

રાજકોટ જિલ્લાના જેતપુર માર્કેટ યાર્ડમાં એક માથાફરેલ બોલેરો ચાલકે વેપારી પર બોલેરો કાર ચઢાવી દેવાનો પ્રયાસ કરતા હાહાકાર મચી ગયો છે. જણસી આપવા આવેલા બોલેરો ડ્રાઈવરે વેપારી પર ચઢાવી દેવાનો પ્રયાસ થયો હતો. બોલેરો ચાલકે ત્રણ જેટલા વેપારીઓને પણ ઢોર માર માર્યો હતો. આ ઘટના બાદ વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે અને જેતપુર માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ હરાજી બંધ કરવાનો સામુહિક નિર્ણય કર્યો છે. 


શા માટે કાર ચઢાવવાનો કર્યો પ્રયાસ?


વેપારી પર કાર ચઢાવવાની કોશિશ પાછળનું કારણ અંગત અદાવત હોવાની શક્યતાઓ હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે. મરચા ઉતરતા સમયે બોલેરો ચાલક સાથે વેપારીને તકરાર થઈ હોવાની માહિતી સામે આવી છે. મરચાં ઉતારવાની બાબતે બોલાચાલી થયા પછી ઉશ્કેરાયેલા વ્યક્તિએ વેપારી પર માલ-સામાન ભરેલું વાહન ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. હવે આ મામલે પોલીસની વધુ તપાસ બાદ હકીકત સામે આવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. આ મામલે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે જોકે વાહન ચાલક ફરાર થઈ ગયો છે.  


લોકો અને વેપારીઓમાં ભયનો માહોલ

 

જેતપુર માર્કેટ યાર્ડમાં બનેલી ઘટના બાદ સ્થાનિક લોકો અને વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. બનાવ બાદ વેપારીઓએ માર્કેટ યાર્ડમાં હરાજી બંધ કરવાનો નિર્ણય લીધો છે. જે રીતે કાર લોકોના ટોળાની વચ્ચેથી પસાર થઈ તે જોતા સ્થિતિ ગંભીર જણાવાઈ રહી છે. ટોળા ઉપર બોલેરો ચડાવવાની ઘટના CCTV માં થઈ કેદ થઈ છે. ઇજાગ્રસ્ત ત્રણ વેપારીઓને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.