રાજકોટમાં સિટી બસ ડ્રાઈવરે મહિલાને એડફેટે લેતા લોકોમાં આક્રોશ, રોષે ભરાયેલા લોકોએ બસમાં કરી તોડફોડ


  • Published By :
  • Published Date : 2023-09-26 21:40:22

રાજ્યના અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં શહેરીજનોની સુવિધા માટે ખાસ સીટી બસ સેવા છે. જો કે ઘણી વખત એવું બને છે કે આ સીટી બસના ડ્રાઈવરો લોકો માટે સુવિધા કરતા અસુવિધા વધારનારા બની રહે છે. અમદાવાદ હોય કે રાજકોટ એક બાબત તો જગજાહેર છે કે સીટી બસના ડ્રાઈવરો બેફામ બનીને ડ્રાઈવિંગ કરીને લોકોના જીવ જોખમમાં મુકતા હોય છે. રાજકોટમાં સિટી બસે મહિલા એક્ટિવા ચાલકને અડફેટે લેતા મામલો વણસ્યો હતો. આ ઘટના બાદ વિફરેલા લોકોએ સીટી બસમાં તોડફોડ કરી હતી.


સિટી બસ ડ્રાઈવર સામે લોકોમાં ભારે રોષ 


રાજકોટના આનંદ બંગલા ચોક અને ગોંડલ રોડ પુલ નજીક બેફામ રીતે સિટી બસ હંકારી રહેલા બસચાલકે એક્ટિવા લઇને રસ્તા પરથી પસાર થઇ રહેલી મહિલાને અડફેટે લીધી હતી. જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોતજોતામાં એકઠા થયેલા ટોળાએ બસમાં તોડફોડ કરી હતી અને બસના કાચ તોડી નાંખ્યા હતા. અકસ્માતને નજરે જોનારા લોકોનું પણ કહેવું હતું કે, ભૂલ બસચાલકની હતી. તે બેફામ રીતે બસ હંકારી રહ્યો હતો. જ્યારે મહિલાના પરિવારજનોમાં પણ આ ઘટનાને લઇને ભારે રોષ જોવા મળી રહ્યો છે.


મહિલાને સારવાર માટે ખસેડાયા


રાજકોટમાં સીટી બસ ડ્રાઈવરે મહિલાને અડફેટે લીધા બાદ એકઠા થયેલા લોકો દ્વારા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે અકસ્માતની ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેમ કે, અવારનવાર શહેરમાં રસ્તા પરથી પસાર થતાં સામાન્ય લોકો તેનો શિકાર બને છે. ત્યારે લોકોમાં બેફામ ડ્રાઇવિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માગ પણ ઉઠી રહી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.