રાજકોટમાં સિટી બસ ડ્રાઈવરે મહિલાને એડફેટે લેતા લોકોમાં આક્રોશ, રોષે ભરાયેલા લોકોએ બસમાં કરી તોડફોડ


  • Published By :
  • Published Date : 2023-09-26 21:40:22

રાજ્યના અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં શહેરીજનોની સુવિધા માટે ખાસ સીટી બસ સેવા છે. જો કે ઘણી વખત એવું બને છે કે આ સીટી બસના ડ્રાઈવરો લોકો માટે સુવિધા કરતા અસુવિધા વધારનારા બની રહે છે. અમદાવાદ હોય કે રાજકોટ એક બાબત તો જગજાહેર છે કે સીટી બસના ડ્રાઈવરો બેફામ બનીને ડ્રાઈવિંગ કરીને લોકોના જીવ જોખમમાં મુકતા હોય છે. રાજકોટમાં સિટી બસે મહિલા એક્ટિવા ચાલકને અડફેટે લેતા મામલો વણસ્યો હતો. આ ઘટના બાદ વિફરેલા લોકોએ સીટી બસમાં તોડફોડ કરી હતી.


સિટી બસ ડ્રાઈવર સામે લોકોમાં ભારે રોષ 


રાજકોટના આનંદ બંગલા ચોક અને ગોંડલ રોડ પુલ નજીક બેફામ રીતે સિટી બસ હંકારી રહેલા બસચાલકે એક્ટિવા લઇને રસ્તા પરથી પસાર થઇ રહેલી મહિલાને અડફેટે લીધી હતી. જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોતજોતામાં એકઠા થયેલા ટોળાએ બસમાં તોડફોડ કરી હતી અને બસના કાચ તોડી નાંખ્યા હતા. અકસ્માતને નજરે જોનારા લોકોનું પણ કહેવું હતું કે, ભૂલ બસચાલકની હતી. તે બેફામ રીતે બસ હંકારી રહ્યો હતો. જ્યારે મહિલાના પરિવારજનોમાં પણ આ ઘટનાને લઇને ભારે રોષ જોવા મળી રહ્યો છે.


મહિલાને સારવાર માટે ખસેડાયા


રાજકોટમાં સીટી બસ ડ્રાઈવરે મહિલાને અડફેટે લીધા બાદ એકઠા થયેલા લોકો દ્વારા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે અકસ્માતની ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેમ કે, અવારનવાર શહેરમાં રસ્તા પરથી પસાર થતાં સામાન્ય લોકો તેનો શિકાર બને છે. ત્યારે લોકોમાં બેફામ ડ્રાઇવિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માગ પણ ઉઠી રહી છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી