રાજકોટમાં સિટી બસ ડ્રાઈવરે મહિલાને એડફેટે લેતા લોકોમાં આક્રોશ, રોષે ભરાયેલા લોકોએ બસમાં કરી તોડફોડ


  • Published By :
  • Published Date : 2023-09-26 21:40:22

રાજ્યના અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં શહેરીજનોની સુવિધા માટે ખાસ સીટી બસ સેવા છે. જો કે ઘણી વખત એવું બને છે કે આ સીટી બસના ડ્રાઈવરો લોકો માટે સુવિધા કરતા અસુવિધા વધારનારા બની રહે છે. અમદાવાદ હોય કે રાજકોટ એક બાબત તો જગજાહેર છે કે સીટી બસના ડ્રાઈવરો બેફામ બનીને ડ્રાઈવિંગ કરીને લોકોના જીવ જોખમમાં મુકતા હોય છે. રાજકોટમાં સિટી બસે મહિલા એક્ટિવા ચાલકને અડફેટે લેતા મામલો વણસ્યો હતો. આ ઘટના બાદ વિફરેલા લોકોએ સીટી બસમાં તોડફોડ કરી હતી.


સિટી બસ ડ્રાઈવર સામે લોકોમાં ભારે રોષ 


રાજકોટના આનંદ બંગલા ચોક અને ગોંડલ રોડ પુલ નજીક બેફામ રીતે સિટી બસ હંકારી રહેલા બસચાલકે એક્ટિવા લઇને રસ્તા પરથી પસાર થઇ રહેલી મહિલાને અડફેટે લીધી હતી. જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોતજોતામાં એકઠા થયેલા ટોળાએ બસમાં તોડફોડ કરી હતી અને બસના કાચ તોડી નાંખ્યા હતા. અકસ્માતને નજરે જોનારા લોકોનું પણ કહેવું હતું કે, ભૂલ બસચાલકની હતી. તે બેફામ રીતે બસ હંકારી રહ્યો હતો. જ્યારે મહિલાના પરિવારજનોમાં પણ આ ઘટનાને લઇને ભારે રોષ જોવા મળી રહ્યો છે.


મહિલાને સારવાર માટે ખસેડાયા


રાજકોટમાં સીટી બસ ડ્રાઈવરે મહિલાને અડફેટે લીધા બાદ એકઠા થયેલા લોકો દ્વારા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે અકસ્માતની ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેમ કે, અવારનવાર શહેરમાં રસ્તા પરથી પસાર થતાં સામાન્ય લોકો તેનો શિકાર બને છે. ત્યારે લોકોમાં બેફામ ડ્રાઇવિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માગ પણ ઉઠી રહી છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.