Rajkot Fire Accident : આગમાં ભસ્મ થયેલા ગેમઝોનમાંથી દારૂની બોટલ-સિગારેટના પેકેટો મળ્યા!


  • Published By :
  • Published Date : 2024-05-27 12:10:15

ગઈકાલે રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટનામાં એક સૌથી મોટી અપડેટ સામે આવી છે.. ગેમ ઝોનમાંથી દારુની બોટલો મળી આવી છે.. ગેમઝોનની બિલ્ડીંગમાંથી, ગેમઝોનના સંચાલકની ઓફિસમાંથી દારૂની બોટલો તેમજ સિગરેટના ખાલી પેકેટો મળી આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ત્યાં દારૂપાર્ટી ચાલતી હોવાની શક્યતાઓ છે.. આ મામલે 6 લોકો વિરૂદ્ધ એફઆઈઆર કરવામાં આવી છે..    



શું ગેમ ઝોનમાં ચાલી રહી હતી પાર્ટી?

રાજકોટના ટીઆરપી મોલમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ જેમાં 28 જેટલા લોકોના મોત થઈ ગયા છે.. આ ઘટના બાદ ગેમ ઝોનના બાંધકામને લઈ અનેક સવાલો થયા છે.. આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે પાછળનું વાસ્તવિક કારણ સામે નથી આવ્યું, પરંતુ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે આ દુર્ઘટના પાછળ.. આ મામલે તપાસ કરવા માટે સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે.  પરંતુ આ મામલે એક મોટી અપડેટ સામે આવી છે કે ગેમ ઝોનમાંથી પરમિટ વાળી બિયરની ખાલી બોટલો મળી આવી છે.. તે ઉપરાંત સિગારેટના ખાલી પેકેટો મળી આવ્યા છે.. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ત્યાં પાર્ટી પણ ચાલી રહી હોવાની શક્યતાઓ છે.. આ મામલે જ્યારે પોલીસને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ મામલે બોલવાનું ટાળ્યું હતું.. એવી માહિતી સામે આવી છે કે પોલીસે આ બિયરની બોટલને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.