Rajkot Fire Accident : આગમાં ભસ્મ થયેલા ગેમઝોનમાંથી દારૂની બોટલ-સિગારેટના પેકેટો મળ્યા!


  • Published By :
  • Published Date : 2024-05-27 12:10:15

ગઈકાલે રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટનામાં એક સૌથી મોટી અપડેટ સામે આવી છે.. ગેમ ઝોનમાંથી દારુની બોટલો મળી આવી છે.. ગેમઝોનની બિલ્ડીંગમાંથી, ગેમઝોનના સંચાલકની ઓફિસમાંથી દારૂની બોટલો તેમજ સિગરેટના ખાલી પેકેટો મળી આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ત્યાં દારૂપાર્ટી ચાલતી હોવાની શક્યતાઓ છે.. આ મામલે 6 લોકો વિરૂદ્ધ એફઆઈઆર કરવામાં આવી છે..    



શું ગેમ ઝોનમાં ચાલી રહી હતી પાર્ટી?

રાજકોટના ટીઆરપી મોલમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ જેમાં 28 જેટલા લોકોના મોત થઈ ગયા છે.. આ ઘટના બાદ ગેમ ઝોનના બાંધકામને લઈ અનેક સવાલો થયા છે.. આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે પાછળનું વાસ્તવિક કારણ સામે નથી આવ્યું, પરંતુ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે આ દુર્ઘટના પાછળ.. આ મામલે તપાસ કરવા માટે સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે.  પરંતુ આ મામલે એક મોટી અપડેટ સામે આવી છે કે ગેમ ઝોનમાંથી પરમિટ વાળી બિયરની ખાલી બોટલો મળી આવી છે.. તે ઉપરાંત સિગારેટના ખાલી પેકેટો મળી આવ્યા છે.. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ત્યાં પાર્ટી પણ ચાલી રહી હોવાની શક્યતાઓ છે.. આ મામલે જ્યારે પોલીસને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ મામલે બોલવાનું ટાળ્યું હતું.. એવી માહિતી સામે આવી છે કે પોલીસે આ બિયરની બોટલને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે