Rajkot Fire Accident : આગમાં ભસ્મ થયેલા ગેમઝોનમાંથી દારૂની બોટલ-સિગારેટના પેકેટો મળ્યા!


  • Published By :
  • Published Date : 2024-05-27 12:10:15

ગઈકાલે રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટનામાં એક સૌથી મોટી અપડેટ સામે આવી છે.. ગેમ ઝોનમાંથી દારુની બોટલો મળી આવી છે.. ગેમઝોનની બિલ્ડીંગમાંથી, ગેમઝોનના સંચાલકની ઓફિસમાંથી દારૂની બોટલો તેમજ સિગરેટના ખાલી પેકેટો મળી આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ત્યાં દારૂપાર્ટી ચાલતી હોવાની શક્યતાઓ છે.. આ મામલે 6 લોકો વિરૂદ્ધ એફઆઈઆર કરવામાં આવી છે..    



શું ગેમ ઝોનમાં ચાલી રહી હતી પાર્ટી?

રાજકોટના ટીઆરપી મોલમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ જેમાં 28 જેટલા લોકોના મોત થઈ ગયા છે.. આ ઘટના બાદ ગેમ ઝોનના બાંધકામને લઈ અનેક સવાલો થયા છે.. આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે પાછળનું વાસ્તવિક કારણ સામે નથી આવ્યું, પરંતુ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે આ દુર્ઘટના પાછળ.. આ મામલે તપાસ કરવા માટે સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે.  પરંતુ આ મામલે એક મોટી અપડેટ સામે આવી છે કે ગેમ ઝોનમાંથી પરમિટ વાળી બિયરની ખાલી બોટલો મળી આવી છે.. તે ઉપરાંત સિગારેટના ખાલી પેકેટો મળી આવ્યા છે.. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ત્યાં પાર્ટી પણ ચાલી રહી હોવાની શક્યતાઓ છે.. આ મામલે જ્યારે પોલીસને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ મામલે બોલવાનું ટાળ્યું હતું.. એવી માહિતી સામે આવી છે કે પોલીસે આ બિયરની બોટલને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે