Rajkot GameZone: ભાજપના નેતા ભરત કાનાબારે કહ્યું,આ દેશમાં લોકો જીવતા નથી ખદબદે છે, નેતાએ કહી વાસ્તવિક્તા!


  • Published By :
  • Published Date : 2024-05-27 17:19:22

આ દેશ માં લોકો જીવતા નથી

ખદબદે છે,


પ્રજાની દાઢમાથી ફુફાડાનું ઝેર જ કાઢી લીધું છે..

૧૪૫ કરોડ છીયે પણ

નાત-જાત માં વહેંચાયેલા છીએ..


ખરા કોન્ટ્રાક્ટરો તો અધિકારીઓ છે અહીં ..

કોન્ટ્રાક્ટરો છે પેટા ઠેકેદારો …

ને પ્રજા રોજમદાર છે અહીં....  


આ શબ્દો છે ભાજપના નેતાના... સિસ્ટમ, સરકાર, પ્રશાસન અને નેતાઓની દાનતની વાસ્તવિકતા અહીં રજૂ કરે છે.... રાજકોટના ગેમઝોનના અગ્નીકાંડમાં કલાકો વિત્યા પણ હજુ સુધી પરિવારજનો મૃતદેહોની રાહ જોઈ રહ્યાં છે... જીવતા પાછા આવે એની આશા પરિવારજનોને હોય પણ અહીંયા તો સ્થિતિ વિચારો કે કેટલી હદે કરુણ છે કે મૃતદેહો લેવા માટે પણ રાહ જોવી પડી રહી છે.... એવામાં સવાલો ઉઠે છે કે સરકાર કરી શું રહી છે? હવે તો આગકાંડની જે ઘટના રાજકોટમાં બની તેને લઈને ઉચ્ચ અધિકારીઓ પર સવાલો ઉઠી રહ્યાં છે.... કોની મિલિભગત છે આ ઘટનામાં... એ સવાલો છે.. અને આ બધાની વચ્ચે ભાજપના નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે... આપણે હવે એ વિચારવાનું છે કે, આપણે વધુ એક આવી દુર્ઘટનાની માત્ર રાહ જોવાની છે. ... ભાજપના નેતા ભરત કાનાબારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ્ પર પોસ્ટ કરીને લખ્યું છે... 


આ દેશ માં લોકો જીવતા નથી

ખદબદે છે,


સાચી વાત છે... કેમ કે જીવવામાં અને ખદબદવામાં બહુ ફેર હોય... જો તમે જીવતા હોય તો પૂરાવો આપવો જરુરી છે.... હજુ મૌન રહેશો તો એ મૌનનો માર આપણને જ પડશે.. આ મૌન મારી નાંખશે....... 1981માં સાતમી ડિસેમ્બરે અસારવામાં કંતાનનો હિમાલય બનાવાયો એ સળગ્યો ત્યારે 64 લોકો મૃત્યુ પામ્યા... લોકોએ એટલો આક્રોશ વ્યક્ત કર્યો હતો કે સરકાર હલી ગઈ હતી.. અને હોમ મિનિસ્ટરને રાત્રે ત્યાં દોડી જવુ પડ્યું હતું... ત્યાર પછી આ પ્રકારના ધંધા માટે મંજૂરી મળતી બંધ થઈ ગઈ હતી.. હવે એ  બધુ શરુ થઈ ગયું અને આપણે જોયું,,,, મોરબી ઝૂલતો પૂલ દૂર્ઘટના, વડોદરા હરણી બોટકાંડ, કાંકરિયા રાઈડકાંડ અને હવે ગેમઝોન.... બધામાં લોકોનો અવાજ દબાઈ ગયો... બંધ થઈ ગયો.. હવે એ ત્રાડ પાડીને સરકારને સવાલ કરતા લોકો ક્યાં.... ભરત કાનાબારે આગળ લખ્યું છે કે, 


પ્રજાની દાઢમાથી ફુફાડાનું ઝેર જ કાઢી લીધું છે..

૧૪૫ કરોડ છીયે પણ

નાત-જાત માં વહેંચાયેલા છીએ..


ચૂંટણી આવે એટલે આપણે કહીએ નેતાઓ મારી જાતિનો જ જોઈશે..... રાજકોટના આ ગેમઝોનમાં આગ લાગી, આગે કોઈને પૂછ્યુ હતું કે તું કઈ જાતિનો છે... જે પ્રજાનું ભલુ કરે એ જનપ્રતિનિધિ કહેવાય... પણ હવે 145 કરોડ લોકોને જ્ઞાતિ-જાતિમાં વેહેંચીને જનતાની દાઢમાં ફૂંફાડાનું ઝેર સરકારે કાઢી લીધું.,.. ન કોઈ બોલે, ન કોઈ ત્રાડ પાડે, ન કોઈને જવાબ આપવો પડે..... 


ભરત કાનાબાર આગળ લખે છે.... 


ખરા કોન્ટ્રાક્ટરો તો અધિકારીઓ છે અહીં ..

કોન્ટ્રાક્ટરો છે પેટા ઠેકેદારો …


રાજકોટના ગેમઝોનની જે દૂર્ઘટના થઈ હું નથી માનતી કે કોઈપણ વ્યક્તિ એને શબ્દોમાં વ્યક્ત કરી શકે... સારામાં સારો લેખક કે સારામાં સારો કવિ એ દારુણ , કરુણ, હૃદય હચમચાવી નાંખે એવી સ્થિતિને વ્યક્ત નહીં કરી શકે....આ પરિસ્થિતિનું સર્જન કેમ થયું.. કોની રહેમનજર હેઠળ થયું...અધિકારીઓની જવાબદેહી ક્યાં છે... રાજકોટના પોલીસ કમિશ્નર કહે છે કે ગેમઝોનને 1 મહિનાની પરમિશન પહેલા આપી હતી... ફાયરની એનોસી લેવાની અરજી કરી હતી... બીજી બાજુ મનપાના કમિશ્નર કહી રહ્યાં છે કે ફાયર એનોસી માટે અરજી કરી જ નહોતી. 


ચીફ ફાયર ઓફિસર પણ કહી રહ્યાં છે કે, અરજી નહોતી કરી.. અને આ ઘટનામાં 6 લોકોને સસ્પેન્ડ કરાયા... આપણે હંમેશા કહેતા હોઈએ છીએને કે આવી કોઈ દૂર્ઘટના બને અને સરકાર નાની માછલીઓ પર પગલા લઈ અને મોટા મગરમચ્છોને છાવરવાની કોશિષ કરતી હોય છે એ થાય પણ છે.. અને જવાબદાર અને કહેવાત ઉચ્ચ અધિકારીઓ બચીજાય છે... અહીંયા પણ એ નથી સમજાતું કે અધિકારીઓની મિલિભગતમાં એ પરિવારો જેણે પોતાનું વ્હાલસોયું ખોયું એમનો શું વાંક.. અને એટલે ભરત કાનાબારે જે શબ્દો કહ્યાં કે ખરા કોન્ટ્રાક્ટરો તો અધિકારીઓ છે.. જે તમારા, મારા, આપણા સૌના જીવનો કોન્ટ્રાક્ટ કરીને મસ્ત મલાઈ ખાઈને બેસી જાય છે... અને કોન્ટ્રાક્ટરો એમના ઠેકેદારો છે. 


જેને મારા ગલ્લામાં પૈસા આવ્યા આજનું કામ પુરુ એનાથી જ મતલબ હોય છે... પ્રજા ખરેખર રોજમદાર છે... આ દેશની સત્તાઓએ પ્રજાને શ્રમિક અને ગુલામ બનાવીને રાખી દીધી છે.. દરેકને પોતાની ખુરશીથી મતલબ છે... સલામ છે ભાજપના એ નેતાને કે જે દરેક વખતે આવી કોઈ ઘટનામાં એટલિસ્ટ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે છે અને બોલે છે. સાબિત કરે છે કે હું જીવતો છું... પણ કમનસીબી છે કે આપણે જાગવુ પડશે... અને આપણે હવે જીવતા હોવાનો પૂરાવો આપવો પડશે.... નહીંતર આ સિલસિલો આમ જ ચાલતો રહેશે અને કોઈને કશો જ ફેર ન પડે... મૃતકોના પરિવારજનો કહે છે ને કે એતો જેના ગયા હોય એને ખબર પડે...



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.