રાજકોટના આ જ્વેલર્સને ત્યાં ITની રેડ, 1300 કરોડના બેનામી ટ્રાન્ઝેક્સન મળ્યા, સોનીબજારમાં ફફડાટ


  • Published By :
  • Published Date : 2023-07-17 20:23:18

રાજકોટ અને જુનાગઢમાં પાંચ વર્ષમાં સૌથી મોટું ઓપરેશન ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યુ છે. આ ઓપરેશન હેઠળ રાજકોટ અને જુનાગઢના જ્વેલર્સને ત્યાં છેલ્લા 6 દિવસોથી IT વિભાગના દરોડા ચાલી રહ્યા છે. આ દરોડાની કાર્યવાહી દરમિયાન કરોડોના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. જેમાં આઈટી વિભાગને 1300 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. IT વિભાગે 32 જેટલા સ્થળોએ તપાસ શરૂ કરી છે જેમાં અનેક બેનામી મિલ્કત સંબંધીત ફાઈલો પણ મળી આવી છે આ મામલે IT અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. આ રેડ અંગે અમદાવાદની ઈન્કમટેક્સ ઓફિસના ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.


ITના દરોડાથી જ્વેલર્સમાં ફફડાટ


રાજકોટના ત્રણ જાણીતા જ્વેલર્સ અને તેમના નિવાસ્થાનેથી મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળ્યા છે. રાજકોટના મોટા જ્વેલર્સ શિલ્પા, રાધિકા અને જે પી જ્વેલર્સને ત્યાં IT વિભાગની કાર્યવાહી યથાવત છે. કુલ 200 જેટલા અધિકારીઓ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્રણેય જવેલર્સના મેનેજર, કર્મચારીઓના બેન્ક એકાઉન્ટ અને મોબાઈલની પણ તપાસ થઈ રહી છે. અત્યાર સુધીમાં 1300 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો મળ્યા છે. જેમાં 12 કરોડની જ્વેલરી અને રોકડ મળી આવી છે. આ દરોડામાં જ્વેલર્સના બેંક લોકર સીલ કરી દેવાયા છે. રાજકોટ IT દરોડાથી સોની બજારમાં સોપો પડી ગયો છે, સોની બજારમાં કેટલીક દુકાનો ખુલી જ નથી. જ્વેલર્સનું કલકત્તાનું કનેક્શન ખૂલતા ITની તવાઈ આવી હોવાની આશંકા છે. અમદાવાદ રાજકોટના ITનાં અધિકારી સહિત સ્ટાફની ટીમો તપાસમાં લાગી હતી.


આ જ્વેલર્સ પર ITની તવાઈ


(1)રાજકોટના રાધિકા જ્વેલર્સના માલિક અને ઉદ્યોગપતિ પ્રભુદાસ પારેખના એટલાન્ટિસ ખાતે B-3 ના પાંચમા માળે આવેલા ફ્લેટ ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવી. પેલેસ રોડ અને કાલાવડ રોડ સ્થિત શોરૂમ, અશોક ઝીંઝુવાડિયા અને હરેશ ઝીંઝુવાડિયાના નિવાસસ્થાને તપાસ, એટલાન્ટિસ ફ્લેટના પાંચમા માળે જ રહેતા હિરેન પારેખને ત્યાં પણ IT વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. એટલાન્ટિસમાં જ આઠમા માળે રહેતા ભાસ્કર પારેખને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હિરેન પારેખ, ભાસ્કર પારેખ, અશોક બાબરાવાળા અને હરેશ બાબરાવાળાના નિવાસ સ્થાને અને શો-રૂમમાં દરોડા પાડવામાં આવ્યા છે. (2) શિલ્પા જ્વેલર્સ-કોઠારિયા નાકા,150 ફુટ રિંગરોડ, અક્ષર માર્ગ પર આવેલા શોરૂમ તથા પેઢીના માલિકો પ્રભુદાસ પારેખ,ભાસ્કર અને હરેનના નિવાસસ્થાને અને કોલકત્તા ખાતેના યુનિટમાં પણ તપાસ (3)જે.પી.જ્વેલર્સમાં પણ હાથ ધરાઇ તપાસ, તેના રાજકોટ અને અમદાવાદ ખાતેના યુનિટમાં તપાસ (4)જુનાગઢના સીવીએમ જ્વેલર્સમાં પણ કાર્યવાહી. તે ઉપરાંત જ્વેલર્સ સાથે સંકળાયેલા વિમલ પાદરીયા, કેતન પટેલ અને મિલન મહેતા નામના બિલ્ડરના ઘર અને તેની ઓફિસોમાં પણ આઇટીની તપાસ ચાલી રહી છે.


શા માટે  IT વિભાગે દરોડા પાડ્યા?


રાજકોટ અને જુનાગઢના જ્વેલર્સને ત્યાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા મામલે આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં રાજકોટની સોની બજારમાં મોટા ટ્રાન્જેકશન થયા હતા. એક શક્યતા પ્રમાણે GST વિભાગ દ્રારા આ અંગેની માહિતી ઇન્કમટેક્સ વિભાગને પહોંચાડી હતી. થોડા દિવસો પહેલા બે હજારની ગુલાબી નોટ સરકાર દ્રારા પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે સૌથી મોટા ટ્રાજેક્શન રાજકોટની સોની બજારમાં થયા હતા. જેના કારણે મોટી પેઢીઓ ITના રડારમાં આવી હતી. એટલું જ નહીં રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સ બિલ્ડર લોબી અને ફાયનાન્સર સાથે પણ સંકળાયેલા છે. જેને લઇને મોટા વ્યવહાર બહાર આવે તેવી શક્યતા છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.