રાજકોટના આ જ્વેલર્સને ત્યાં ITની રેડ, 1300 કરોડના બેનામી ટ્રાન્ઝેક્સન મળ્યા, સોનીબજારમાં ફફડાટ


  • Published By :
  • Published Date : 2023-07-17 20:23:18

રાજકોટ અને જુનાગઢમાં પાંચ વર્ષમાં સૌથી મોટું ઓપરેશન ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યુ છે. આ ઓપરેશન હેઠળ રાજકોટ અને જુનાગઢના જ્વેલર્સને ત્યાં છેલ્લા 6 દિવસોથી IT વિભાગના દરોડા ચાલી રહ્યા છે. આ દરોડાની કાર્યવાહી દરમિયાન કરોડોના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. જેમાં આઈટી વિભાગને 1300 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. IT વિભાગે 32 જેટલા સ્થળોએ તપાસ શરૂ કરી છે જેમાં અનેક બેનામી મિલ્કત સંબંધીત ફાઈલો પણ મળી આવી છે આ મામલે IT અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. આ રેડ અંગે અમદાવાદની ઈન્કમટેક્સ ઓફિસના ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.


ITના દરોડાથી જ્વેલર્સમાં ફફડાટ


રાજકોટના ત્રણ જાણીતા જ્વેલર્સ અને તેમના નિવાસ્થાનેથી મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળ્યા છે. રાજકોટના મોટા જ્વેલર્સ શિલ્પા, રાધિકા અને જે પી જ્વેલર્સને ત્યાં IT વિભાગની કાર્યવાહી યથાવત છે. કુલ 200 જેટલા અધિકારીઓ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્રણેય જવેલર્સના મેનેજર, કર્મચારીઓના બેન્ક એકાઉન્ટ અને મોબાઈલની પણ તપાસ થઈ રહી છે. અત્યાર સુધીમાં 1300 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો મળ્યા છે. જેમાં 12 કરોડની જ્વેલરી અને રોકડ મળી આવી છે. આ દરોડામાં જ્વેલર્સના બેંક લોકર સીલ કરી દેવાયા છે. રાજકોટ IT દરોડાથી સોની બજારમાં સોપો પડી ગયો છે, સોની બજારમાં કેટલીક દુકાનો ખુલી જ નથી. જ્વેલર્સનું કલકત્તાનું કનેક્શન ખૂલતા ITની તવાઈ આવી હોવાની આશંકા છે. અમદાવાદ રાજકોટના ITનાં અધિકારી સહિત સ્ટાફની ટીમો તપાસમાં લાગી હતી.


આ જ્વેલર્સ પર ITની તવાઈ


(1)રાજકોટના રાધિકા જ્વેલર્સના માલિક અને ઉદ્યોગપતિ પ્રભુદાસ પારેખના એટલાન્ટિસ ખાતે B-3 ના પાંચમા માળે આવેલા ફ્લેટ ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવી. પેલેસ રોડ અને કાલાવડ રોડ સ્થિત શોરૂમ, અશોક ઝીંઝુવાડિયા અને હરેશ ઝીંઝુવાડિયાના નિવાસસ્થાને તપાસ, એટલાન્ટિસ ફ્લેટના પાંચમા માળે જ રહેતા હિરેન પારેખને ત્યાં પણ IT વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. એટલાન્ટિસમાં જ આઠમા માળે રહેતા ભાસ્કર પારેખને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હિરેન પારેખ, ભાસ્કર પારેખ, અશોક બાબરાવાળા અને હરેશ બાબરાવાળાના નિવાસ સ્થાને અને શો-રૂમમાં દરોડા પાડવામાં આવ્યા છે. (2) શિલ્પા જ્વેલર્સ-કોઠારિયા નાકા,150 ફુટ રિંગરોડ, અક્ષર માર્ગ પર આવેલા શોરૂમ તથા પેઢીના માલિકો પ્રભુદાસ પારેખ,ભાસ્કર અને હરેનના નિવાસસ્થાને અને કોલકત્તા ખાતેના યુનિટમાં પણ તપાસ (3)જે.પી.જ્વેલર્સમાં પણ હાથ ધરાઇ તપાસ, તેના રાજકોટ અને અમદાવાદ ખાતેના યુનિટમાં તપાસ (4)જુનાગઢના સીવીએમ જ્વેલર્સમાં પણ કાર્યવાહી. તે ઉપરાંત જ્વેલર્સ સાથે સંકળાયેલા વિમલ પાદરીયા, કેતન પટેલ અને મિલન મહેતા નામના બિલ્ડરના ઘર અને તેની ઓફિસોમાં પણ આઇટીની તપાસ ચાલી રહી છે.


શા માટે  IT વિભાગે દરોડા પાડ્યા?


રાજકોટ અને જુનાગઢના જ્વેલર્સને ત્યાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા મામલે આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં રાજકોટની સોની બજારમાં મોટા ટ્રાન્જેકશન થયા હતા. એક શક્યતા પ્રમાણે GST વિભાગ દ્રારા આ અંગેની માહિતી ઇન્કમટેક્સ વિભાગને પહોંચાડી હતી. થોડા દિવસો પહેલા બે હજારની ગુલાબી નોટ સરકાર દ્રારા પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે સૌથી મોટા ટ્રાજેક્શન રાજકોટની સોની બજારમાં થયા હતા. જેના કારણે મોટી પેઢીઓ ITના રડારમાં આવી હતી. એટલું જ નહીં રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સ બિલ્ડર લોબી અને ફાયનાન્સર સાથે પણ સંકળાયેલા છે. જેને લઇને મોટા વ્યવહાર બહાર આવે તેવી શક્યતા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.