Rajkot Loksabha Seatના Congressના ઉમેદવાર પરેશ ધાનાણીએ કરી પ્રેસ કોન્ફરન્સ, ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ! સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-17 13:22:15

રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે... પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ છેડાયેલા વિવાદને કારણે આ સીટની ચર્ચાઓ થઈ રહી હતી. આ બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા ન હતા. કોંગ્રેસના કોણ ઉમેદવાર હશે તેની પર સૌ કોઈની નજર રહેલી હતી. રાજકોટ લોકસભા બેઠક પર ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસે પરેશ ધાનાણીને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા. ત્યારે આજે પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.   

પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપ્યું હતું નિવેદન 

ગુજરાતની 26 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે પરંતુ માત્ર અમુક જ બેઠક એવી છે જ્યાં લાગે છે કે ચૂંટણી રસાકસી વાળી થશે. એવી એક બેઠક છે રાજકોટ લોકસભા બેઠક. ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ઉઠી હતી. પરેશ ધાનાણીને કોંગ્રેસે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર બનાવ્યા હતા. પરેશ ધાનાણી ચૂંટણી નહીં લડે તેવી વાતો સામે આવી પરંતુ તેમને મનાવાઈ લેવાયા અને કોંગ્રેસે તેમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા.


પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કર્યા આકરા પ્રહાર 

રાજકોટ લોકસભા સીટ પર રાજકારણ ગરમાયું છે. પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જ્યારે વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે કવિતાના રૂપમાં અનેક વખત ભાજપ પર તેમણે કટાક્ષ કર્યો છે. ત્યારે હવે પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર પ્રહાર કર્યા છે.  પોતાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું હતું કે આજે પણ મને વિશ્વાસ છે કે, રાજકોટને રણ મેદાનમાં ફેરવવાનો ચોક્કસપૂર્વક ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થયો છે. બીજેપીના ઉમેદવાર અને સંભવિત ભાવી પ્રતિસ્પર્ધી પોતે શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે, ખૂબ જ્ઞાની છે. લોકો એવું માને છે કે,સારા વાચક પણ હશે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.