Rajkot Loksabha Seatના Congressના ઉમેદવાર Paresh Dhananiએ શેર કરી કવિતા, લખ્યું - હે ભાજપના ભિષ્મ પિતામહ...


  • Published By :
  • Published Date : 2024-04-15 11:43:56

ગઈકાલે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ક્ષત્રિય સમાજ પહેલા માત્ર પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો હતો પરંતુ હવે તે વિરોધ ભાજપના વિરોધમાં ધીરે ધીરે પરિવર્તિત થઈ રહ્યો છે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં ના આવ્યા હતા પરંતુ થોડા દિવસો પહેલા કોંગ્રેસે પરેશ ધાનાણીના નામની જાહેરાત કરી. પરેશ ધાનાણી છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર કવિતા પોસ્ટ કરી રહ્યા છે ત્યારે ફરી એક વખત કવિતા તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવી છે.... 

પરેશ ધાનાણીએ ફરી એક વખત પોસ્ટ કરી કવિતા 

એક તરફ ગુજરાતમાં પક્ષપલટાની મૌસમ જોવા મળી રહી છે તો બીજી તરફ રાજનેતાઓની અંદર રહેલો કવિ જાગી રહ્યો છે! છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર નેતાઓ દ્વારા કવિતા પોસ્ટ કરવામાં આવી રહી છે. કવિતા ટ્રેન્ડ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે.  પરેશ ધાનાણીએ અનેક વખત સોશિયલ મીડિયા પર કવિતાઓ પોસ્ટ કરી છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તેઓ કવિતા લખી રહ્યા છે. નામ લીધા પર તે પ્રહાર કરી રહ્યા છે. ત્યારે તેમણે રાજકોટમાં ચાલતા આંદોલનને લઈ એક કવિતા શેર કરી છે.



રાજકોટ ખાતે યોજાયું હતું ક્ષત્રિય સમાજનું મહાસંમેલન  

ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલતો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. આ વિરોધને શાંત કરવાનો પ્રયત્ન અનેક વખત કરવામાં આવ્યો પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ગઈકાલે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત એક કવિતા શેર કરી છે. મહત્વનું છે કે આની પહેલા પણ તેમના દ્વારા અનેક કવિતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી છે...     



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે