રાજકોટ: ચાલુ ક્લાસમાં વિદ્યાર્થી ઢળી પડ્યો અને થયું મોત, હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાની આશંકા


  • Published By :
  • Published Date : 2023-07-17 16:47:00

નાની ઉંમરે લોકોના મોત થઈ રહ્યા છે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું હોય. ધોરણ બારમા ભણતા વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકને કારણે થતા ચિંતા વ્યાપી ઉઠી હતી. તે પહેલા પણ સીડીઓ ચઢતી વખતે એક વિદ્યાર્થીનીનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. ત્યારે રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી અચાનક ચાલુ ક્લાસમાં ઢળી પડ્યો. ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અચાનક ઢળી પડતાં દોડધામ મચી હતી અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. વિદ્યાર્થીનું મોત થતાં પરિવારને જાણ કરવામાં આવી હતી. એવી આશંકા છે કે વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોય.    

આની પહેલા પણ વિદ્યાર્થીઓ બન્યા છે હાર્ટ એટેકનો ભોગ  

શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ અચાનક મોતને ભેટી રહ્યા છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ આવી રહ્યા છે જેમાં સ્વસ્થ દેખાતું વ્યક્તિ ગમે ત્યારે કાળનો કોળિયો બની જતો હોય છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ હવે હૃદય હુમલાના શિકાર બની રહ્યા છે. થોડા સમય પહેલા બે વિદ્યાર્થીઓના મોતના સમાચાર સામે આવ્યા હતા જેમના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય. મોતને કારણે પરિવારમાં તેમજ શાળામાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠતી હોય છે. 


હાર્ટ એટેકને કારણે મોત થઈ હોવાની આશંકા

ત્યારે આજે ફરી એક વખત રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી શાળાથી ઘટના સામે આવી છે જેમાં ભણતા ભણતા વિદ્યાર્થી ઢળી પડે છે. ધોરણ 12 કોમર્સમાં ભણતા 17 વર્ષીય મુદીત અક્ષય નામના વિદ્યાર્થીનું મોત થયું છે. 108ની મદદથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો. આ ઘટના સવારે 10 વાગ્યે બની હતી. હાલ તો એવી આશંકા છે કે વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. કયા કારણોસર વિદ્યાર્થીનું મોત થયું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.  મુદિતે કોરોના રસીના બે ડોઝ લીધા હતા.. લોકો કારણ કોરોના રસીને માની રહ્યા છે અને કહી રહ્યા છે કે તેનાથી લોહી જામી જાય છે. અમે ડોક્ટરને આ મામલે પૂછ્યું કે શું ખરેખર કોરોના રસીના કારણે આવું બધું થાય છે તો  ડોક્ટરે અમને કહ્યું કે....


અરવલ્લીથી સામે આવ્યો હતો આવો કિસ્સો

હમણાની જ વાત કરીએ તો ગઈકાલે જ અરવલ્લીના મોડાસામાં વીસ વર્ષના પર્વ સોની નામના છોકરાને હુમલો આવવાના સમચાર આવ્યા હતા અને હજુ એક બીજા સમાચાર સામે આવી ગયા છે. આવા સતત બનાવો વધી રહ્યા છે. કોઈ ચાલતા ચાલતા તો કોઈ બોલતા બોલતા તો કોઈ તો વળી બેઠા બેઠા ગુજરી જાય છે. ગુજરાતમાં બનાવો સામે આવ્યા તે ચોંકાવી દે તેવા છે. ક્રિકેટ રમવા જતા મોત થયું એ સાંભળીને હવે લોકોને નવું નથી લાગતું કે ક્રિકેટ રમતા રમતા મોત થયું પણ ગંભીરતાથી તેને જોવું પડશે કારણ કે એક સમયે 70 વર્ષના વ્યક્તિને હુમલો આવતો હતો હવે એ 20 કે 25 વર્ષના છોકરાઓને આવી રહ્યો છે. તેની પાછળના કારણો પણ નથી ખબર પડી રહ્યા. હવે તો પીક ટાઈમ આવી ગયો છે કે સરકારે આ મામલે ગંભીરતાથી ડોક્ટર્સ સાથે વાત કરીને ખાણીપીણી મામલે નિયમો બનાવવા પડશે કારણ કે લાઈફસ્ટાઈલ પણ મોટો ભાગ ભજવે છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.