રાજકોટ: ચાલુ ક્લાસમાં વિદ્યાર્થી ઢળી પડ્યો અને થયું મોત, હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાની આશંકા


  • Published By :
  • Published Date : 2023-07-17 16:47:00

નાની ઉંમરે લોકોના મોત થઈ રહ્યા છે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું હોય. ધોરણ બારમા ભણતા વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકને કારણે થતા ચિંતા વ્યાપી ઉઠી હતી. તે પહેલા પણ સીડીઓ ચઢતી વખતે એક વિદ્યાર્થીનીનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. ત્યારે રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી અચાનક ચાલુ ક્લાસમાં ઢળી પડ્યો. ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અચાનક ઢળી પડતાં દોડધામ મચી હતી અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. વિદ્યાર્થીનું મોત થતાં પરિવારને જાણ કરવામાં આવી હતી. એવી આશંકા છે કે વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોય.    

આની પહેલા પણ વિદ્યાર્થીઓ બન્યા છે હાર્ટ એટેકનો ભોગ  

શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ અચાનક મોતને ભેટી રહ્યા છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ આવી રહ્યા છે જેમાં સ્વસ્થ દેખાતું વ્યક્તિ ગમે ત્યારે કાળનો કોળિયો બની જતો હોય છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ હવે હૃદય હુમલાના શિકાર બની રહ્યા છે. થોડા સમય પહેલા બે વિદ્યાર્થીઓના મોતના સમાચાર સામે આવ્યા હતા જેમના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય. મોતને કારણે પરિવારમાં તેમજ શાળામાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠતી હોય છે. 


હાર્ટ એટેકને કારણે મોત થઈ હોવાની આશંકા

ત્યારે આજે ફરી એક વખત રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી શાળાથી ઘટના સામે આવી છે જેમાં ભણતા ભણતા વિદ્યાર્થી ઢળી પડે છે. ધોરણ 12 કોમર્સમાં ભણતા 17 વર્ષીય મુદીત અક્ષય નામના વિદ્યાર્થીનું મોત થયું છે. 108ની મદદથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો. આ ઘટના સવારે 10 વાગ્યે બની હતી. હાલ તો એવી આશંકા છે કે વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. કયા કારણોસર વિદ્યાર્થીનું મોત થયું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.  મુદિતે કોરોના રસીના બે ડોઝ લીધા હતા.. લોકો કારણ કોરોના રસીને માની રહ્યા છે અને કહી રહ્યા છે કે તેનાથી લોહી જામી જાય છે. અમે ડોક્ટરને આ મામલે પૂછ્યું કે શું ખરેખર કોરોના રસીના કારણે આવું બધું થાય છે તો  ડોક્ટરે અમને કહ્યું કે....


અરવલ્લીથી સામે આવ્યો હતો આવો કિસ્સો

હમણાની જ વાત કરીએ તો ગઈકાલે જ અરવલ્લીના મોડાસામાં વીસ વર્ષના પર્વ સોની નામના છોકરાને હુમલો આવવાના સમચાર આવ્યા હતા અને હજુ એક બીજા સમાચાર સામે આવી ગયા છે. આવા સતત બનાવો વધી રહ્યા છે. કોઈ ચાલતા ચાલતા તો કોઈ બોલતા બોલતા તો કોઈ તો વળી બેઠા બેઠા ગુજરી જાય છે. ગુજરાતમાં બનાવો સામે આવ્યા તે ચોંકાવી દે તેવા છે. ક્રિકેટ રમવા જતા મોત થયું એ સાંભળીને હવે લોકોને નવું નથી લાગતું કે ક્રિકેટ રમતા રમતા મોત થયું પણ ગંભીરતાથી તેને જોવું પડશે કારણ કે એક સમયે 70 વર્ષના વ્યક્તિને હુમલો આવતો હતો હવે એ 20 કે 25 વર્ષના છોકરાઓને આવી રહ્યો છે. તેની પાછળના કારણો પણ નથી ખબર પડી રહ્યા. હવે તો પીક ટાઈમ આવી ગયો છે કે સરકારે આ મામલે ગંભીરતાથી ડોક્ટર્સ સાથે વાત કરીને ખાણીપીણી મામલે નિયમો બનાવવા પડશે કારણ કે લાઈફસ્ટાઈલ પણ મોટો ભાગ ભજવે છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.