રાજકોટ: ચાલુ ક્લાસમાં વિદ્યાર્થી ઢળી પડ્યો અને થયું મોત, હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાની આશંકા


  • Published By :
  • Published Date : 2023-07-17 16:47:00

નાની ઉંમરે લોકોના મોત થઈ રહ્યા છે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું હોય. ધોરણ બારમા ભણતા વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકને કારણે થતા ચિંતા વ્યાપી ઉઠી હતી. તે પહેલા પણ સીડીઓ ચઢતી વખતે એક વિદ્યાર્થીનીનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. ત્યારે રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી અચાનક ચાલુ ક્લાસમાં ઢળી પડ્યો. ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અચાનક ઢળી પડતાં દોડધામ મચી હતી અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. વિદ્યાર્થીનું મોત થતાં પરિવારને જાણ કરવામાં આવી હતી. એવી આશંકા છે કે વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોય.    

આની પહેલા પણ વિદ્યાર્થીઓ બન્યા છે હાર્ટ એટેકનો ભોગ  

શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ અચાનક મોતને ભેટી રહ્યા છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ આવી રહ્યા છે જેમાં સ્વસ્થ દેખાતું વ્યક્તિ ગમે ત્યારે કાળનો કોળિયો બની જતો હોય છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ હવે હૃદય હુમલાના શિકાર બની રહ્યા છે. થોડા સમય પહેલા બે વિદ્યાર્થીઓના મોતના સમાચાર સામે આવ્યા હતા જેમના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય. મોતને કારણે પરિવારમાં તેમજ શાળામાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠતી હોય છે. 


હાર્ટ એટેકને કારણે મોત થઈ હોવાની આશંકા

ત્યારે આજે ફરી એક વખત રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી શાળાથી ઘટના સામે આવી છે જેમાં ભણતા ભણતા વિદ્યાર્થી ઢળી પડે છે. ધોરણ 12 કોમર્સમાં ભણતા 17 વર્ષીય મુદીત અક્ષય નામના વિદ્યાર્થીનું મોત થયું છે. 108ની મદદથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો. આ ઘટના સવારે 10 વાગ્યે બની હતી. હાલ તો એવી આશંકા છે કે વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. કયા કારણોસર વિદ્યાર્થીનું મોત થયું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.  મુદિતે કોરોના રસીના બે ડોઝ લીધા હતા.. લોકો કારણ કોરોના રસીને માની રહ્યા છે અને કહી રહ્યા છે કે તેનાથી લોહી જામી જાય છે. અમે ડોક્ટરને આ મામલે પૂછ્યું કે શું ખરેખર કોરોના રસીના કારણે આવું બધું થાય છે તો  ડોક્ટરે અમને કહ્યું કે....


અરવલ્લીથી સામે આવ્યો હતો આવો કિસ્સો

હમણાની જ વાત કરીએ તો ગઈકાલે જ અરવલ્લીના મોડાસામાં વીસ વર્ષના પર્વ સોની નામના છોકરાને હુમલો આવવાના સમચાર આવ્યા હતા અને હજુ એક બીજા સમાચાર સામે આવી ગયા છે. આવા સતત બનાવો વધી રહ્યા છે. કોઈ ચાલતા ચાલતા તો કોઈ બોલતા બોલતા તો કોઈ તો વળી બેઠા બેઠા ગુજરી જાય છે. ગુજરાતમાં બનાવો સામે આવ્યા તે ચોંકાવી દે તેવા છે. ક્રિકેટ રમવા જતા મોત થયું એ સાંભળીને હવે લોકોને નવું નથી લાગતું કે ક્રિકેટ રમતા રમતા મોત થયું પણ ગંભીરતાથી તેને જોવું પડશે કારણ કે એક સમયે 70 વર્ષના વ્યક્તિને હુમલો આવતો હતો હવે એ 20 કે 25 વર્ષના છોકરાઓને આવી રહ્યો છે. તેની પાછળના કારણો પણ નથી ખબર પડી રહ્યા. હવે તો પીક ટાઈમ આવી ગયો છે કે સરકારે આ મામલે ગંભીરતાથી ડોક્ટર્સ સાથે વાત કરીને ખાણીપીણી મામલે નિયમો બનાવવા પડશે કારણ કે લાઈફસ્ટાઈલ પણ મોટો ભાગ ભજવે છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.