Rajkot : જ્યારે GameZoneમાં આગ લાગી ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા હતા? આ ચા વાળાએ કરી લોકોની મદદ, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-28 13:41:13

ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે આપણે માનવતાને નેવે મૂકી દીધી છે.. અનેક વખત અમે પણ આ વાક્ય કહેતા હોઈએ છીએ પરંતુ અનેક લોકો એવા હોય છે માનવતાને મહેકાવે છે.. રાજકોટમાં બનેલી દુર્ઘટનાને પગલે શોક વ્યાપી ઉઠ્યો છે..27 જેટલી જિંદગી આગમાં હોમાઈ ગઈ છે.. જે લોકોના મોત આ દુર્ઘટનામાં થયા છે તેમાંથી અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા જેમાં બીજાની મદદ કરવામાં વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હોય.. ત્યારે ગેમ ઝોનની આસપાસ એક ચાની લારી ચલાવતા વ્યક્તિ મદદ માટે દોડી આવ્યા અને તેમનાથી બનતો તેમણે પ્રયત્ન કર્યો..

જી સુધી પરિવારજનો શોધી રહ્યા છે પોતાના વ્હાલસોયાને 

આપણે જ્યારે 46 ડિગ્રી ગરમીમાં બહાર નીકળીએ છીએ ત્યારે એમ થાય કે કેટલી ભયંકર ગરમી છે પરંતુ ગેમઝોનમાં મૃત્યુ પામેલા લોકો વિશે વિચાર્યું આપણે કે તેમની મોત કેવી પરિસ્થિતિમાં થઈ હશે? કેટલી ગરમી હશે જે જગ્યા પર જ્યારે આ ઘટના બની હશે.. આગમાં 27 જેટલા લોકોના મોત થયા છે અનેક મૃતકોનો મૃતદેહ પરિવારને મળ્યો છે પરંતુ અનેક એવા પરિવાર છે તે પોતાના વ્હાલસોયાની શોધમાં છે.. 


ચા વાળાએ લંબાવ્યો મદદનો હાથ 

જ્યારે આ ઘટના બની ત્યારે અનેક પ્રત્યક્ષદર્શીઓ હતા. ઘટના કેવી રીતે બની તે અંગે થોડી વાત તેમણે કરી.. અનેક લોકોએ કરી.. આગને બૂઝવવા માટે પ્રયત્નો પણ કરાયા પરંતુ આગ એટલી વિકરાળ હતી કે તેની પર કાબુ મેળવવો અશક્ય બન્યો.. લોકોને બચાવવા માટે અનેક લોકો આગળ આવ્યા ત્યારે ત્યાં ચાની લારી ચલાવવતા વ્યક્તિએ પણ યથાશક્તિ લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યો.. જમાવટની ટીમે તેમની સાથે વાત કરી અને જ્યારે દુર્ઘટના બની ત્યારે કેવો માહોલ હતો તે જણાવ્યું.. 


કેવો હતો માહોલ? 

વાતચીત દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે તેમણે તો અંદર રહેલા લોકોનો અવાજ તો સાંભળ્યો જ હશે પરંતુ તેમણે જે વાત કરી તે આશ્ચર્યવાળી હતી. ધૂમાડો એટલો હતો કે અવાજ પણ બહાર આવતો ન હતો તેવી વાત તેમણે કરી.. ધૂમાડાને કારણે પણ લોકો મૃત્યુ પામ્યા હોય તેવી વાત તેમણે કરી હતી.    



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.