Rajkot : જ્યારે GameZoneમાં આગ લાગી ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા હતા? આ ચા વાળાએ કરી લોકોની મદદ, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-28 13:41:13

ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે આપણે માનવતાને નેવે મૂકી દીધી છે.. અનેક વખત અમે પણ આ વાક્ય કહેતા હોઈએ છીએ પરંતુ અનેક લોકો એવા હોય છે માનવતાને મહેકાવે છે.. રાજકોટમાં બનેલી દુર્ઘટનાને પગલે શોક વ્યાપી ઉઠ્યો છે..27 જેટલી જિંદગી આગમાં હોમાઈ ગઈ છે.. જે લોકોના મોત આ દુર્ઘટનામાં થયા છે તેમાંથી અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા જેમાં બીજાની મદદ કરવામાં વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હોય.. ત્યારે ગેમ ઝોનની આસપાસ એક ચાની લારી ચલાવતા વ્યક્તિ મદદ માટે દોડી આવ્યા અને તેમનાથી બનતો તેમણે પ્રયત્ન કર્યો..

જી સુધી પરિવારજનો શોધી રહ્યા છે પોતાના વ્હાલસોયાને 

આપણે જ્યારે 46 ડિગ્રી ગરમીમાં બહાર નીકળીએ છીએ ત્યારે એમ થાય કે કેટલી ભયંકર ગરમી છે પરંતુ ગેમઝોનમાં મૃત્યુ પામેલા લોકો વિશે વિચાર્યું આપણે કે તેમની મોત કેવી પરિસ્થિતિમાં થઈ હશે? કેટલી ગરમી હશે જે જગ્યા પર જ્યારે આ ઘટના બની હશે.. આગમાં 27 જેટલા લોકોના મોત થયા છે અનેક મૃતકોનો મૃતદેહ પરિવારને મળ્યો છે પરંતુ અનેક એવા પરિવાર છે તે પોતાના વ્હાલસોયાની શોધમાં છે.. 


ચા વાળાએ લંબાવ્યો મદદનો હાથ 

જ્યારે આ ઘટના બની ત્યારે અનેક પ્રત્યક્ષદર્શીઓ હતા. ઘટના કેવી રીતે બની તે અંગે થોડી વાત તેમણે કરી.. અનેક લોકોએ કરી.. આગને બૂઝવવા માટે પ્રયત્નો પણ કરાયા પરંતુ આગ એટલી વિકરાળ હતી કે તેની પર કાબુ મેળવવો અશક્ય બન્યો.. લોકોને બચાવવા માટે અનેક લોકો આગળ આવ્યા ત્યારે ત્યાં ચાની લારી ચલાવવતા વ્યક્તિએ પણ યથાશક્તિ લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યો.. જમાવટની ટીમે તેમની સાથે વાત કરી અને જ્યારે દુર્ઘટના બની ત્યારે કેવો માહોલ હતો તે જણાવ્યું.. 


કેવો હતો માહોલ? 

વાતચીત દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે તેમણે તો અંદર રહેલા લોકોનો અવાજ તો સાંભળ્યો જ હશે પરંતુ તેમણે જે વાત કરી તે આશ્ચર્યવાળી હતી. ધૂમાડો એટલો હતો કે અવાજ પણ બહાર આવતો ન હતો તેવી વાત તેમણે કરી.. ધૂમાડાને કારણે પણ લોકો મૃત્યુ પામ્યા હોય તેવી વાત તેમણે કરી હતી.    



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે