Rajkot : જ્યારે GameZoneમાં આગ લાગી ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા હતા? આ ચા વાળાએ કરી લોકોની મદદ, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-28 13:41:13

ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે આપણે માનવતાને નેવે મૂકી દીધી છે.. અનેક વખત અમે પણ આ વાક્ય કહેતા હોઈએ છીએ પરંતુ અનેક લોકો એવા હોય છે માનવતાને મહેકાવે છે.. રાજકોટમાં બનેલી દુર્ઘટનાને પગલે શોક વ્યાપી ઉઠ્યો છે..27 જેટલી જિંદગી આગમાં હોમાઈ ગઈ છે.. જે લોકોના મોત આ દુર્ઘટનામાં થયા છે તેમાંથી અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા જેમાં બીજાની મદદ કરવામાં વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હોય.. ત્યારે ગેમ ઝોનની આસપાસ એક ચાની લારી ચલાવતા વ્યક્તિ મદદ માટે દોડી આવ્યા અને તેમનાથી બનતો તેમણે પ્રયત્ન કર્યો..

જી સુધી પરિવારજનો શોધી રહ્યા છે પોતાના વ્હાલસોયાને 

આપણે જ્યારે 46 ડિગ્રી ગરમીમાં બહાર નીકળીએ છીએ ત્યારે એમ થાય કે કેટલી ભયંકર ગરમી છે પરંતુ ગેમઝોનમાં મૃત્યુ પામેલા લોકો વિશે વિચાર્યું આપણે કે તેમની મોત કેવી પરિસ્થિતિમાં થઈ હશે? કેટલી ગરમી હશે જે જગ્યા પર જ્યારે આ ઘટના બની હશે.. આગમાં 27 જેટલા લોકોના મોત થયા છે અનેક મૃતકોનો મૃતદેહ પરિવારને મળ્યો છે પરંતુ અનેક એવા પરિવાર છે તે પોતાના વ્હાલસોયાની શોધમાં છે.. 


ચા વાળાએ લંબાવ્યો મદદનો હાથ 

જ્યારે આ ઘટના બની ત્યારે અનેક પ્રત્યક્ષદર્શીઓ હતા. ઘટના કેવી રીતે બની તે અંગે થોડી વાત તેમણે કરી.. અનેક લોકોએ કરી.. આગને બૂઝવવા માટે પ્રયત્નો પણ કરાયા પરંતુ આગ એટલી વિકરાળ હતી કે તેની પર કાબુ મેળવવો અશક્ય બન્યો.. લોકોને બચાવવા માટે અનેક લોકો આગળ આવ્યા ત્યારે ત્યાં ચાની લારી ચલાવવતા વ્યક્તિએ પણ યથાશક્તિ લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યો.. જમાવટની ટીમે તેમની સાથે વાત કરી અને જ્યારે દુર્ઘટના બની ત્યારે કેવો માહોલ હતો તે જણાવ્યું.. 


કેવો હતો માહોલ? 

વાતચીત દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે તેમણે તો અંદર રહેલા લોકોનો અવાજ તો સાંભળ્યો જ હશે પરંતુ તેમણે જે વાત કરી તે આશ્ચર્યવાળી હતી. ધૂમાડો એટલો હતો કે અવાજ પણ બહાર આવતો ન હતો તેવી વાત તેમણે કરી.. ધૂમાડાને કારણે પણ લોકો મૃત્યુ પામ્યા હોય તેવી વાત તેમણે કરી હતી.    



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે