રાજકોટ જિલ્લા પંચાયતના નેતા વિપક્ષ અર્જુન ખાટરિયાની કોંગ્રેસમાંથી હકાલપટ્ટી, BJPમાં જોડાઇ કેસરિયો ધારણ કરશે


  • Published By :
  • Published Date : 2024-01-13 14:26:25

લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં આયારામ-ગયારામનું રાજકારણ શરૂ થઈ ગયું છે. રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાવા માટે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.જોકે, અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાઇ એ પહેલા કોંગ્રેસ પાર્ટીએ તેમની હકાલપટ્ટી કરી દીધી છે. અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. હવે અર્જુન ખાટરિયા આગામી સમયમાં ભાજપમાં જોડાઇ કેસરિયો ધારણ કરે તેવી જાહેરાત પણ કરી છે. તેઓએ જણાવ્યું હતું કે, વિકાસની રાજનીતિ, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સહિતના મુદ્દાઓને લઈ કોંગ્રેસને ખટકી રહી છે. આ મુદ્દાઓની વાતને લઈને મને પદ પરથી હટાવ્યો હોય એવું બની શકે.


જિલ્લા પંચાયતની ચૂંટણી પછી ખાટરિયા બન્યા હતા નેતા વિપક્ષ   


જિલ્લા પંચાયતની ચૂંટણી પછી અર્જુન ખાટરિયાને પંચાયતના વિપક્ષી નેતા બનાવવામાં આવ્યા હતા. ધારાસભાની ચૂંટણી પહેલા તેમને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનાવામાં આવ્‍યા હતા. ચૂંટણી પૂરી થઇ ગઇ પછી ખાટરિયાએ પ્રમુખ પદેથી મુક્‍ત થવા ઇચ્‍છા વ્‍યકત કરી છે. જે તે વખતે તેમણે ધારાસભાની ચૂંટણીને ધ્‍યાને રાખીને પ્રમુખ પદ સ્‍વીકારેલ. હવે તેઓ માત્ર પંચાયતના વિપક્ષી નેતા તરીકે રહેવા માગે છે. પ્રમુખ તરીકે અન્‍ય તક મળે અને પોતાની જવાબદારી હળવી થાય તે માટે ચૂંટણી પછી તુરંત પક્ષના પ્રમુખ પદેથી રાજીનામુ આપતો પત્ર પ્રદેશ કોંગ્રેસને મોકલી આપ્‍યો હતો. તેઓ વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં ગોંડલ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને 15,397 મતથી હાર્યા હતા. આગામી દિવસોમાં રાજકોટ જિલ્લામાંથી અન્ય કોંગ્રેસના આગેવાનો પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. અર્જુન ખાટરિયા સહકારી આગેવાન ઘનશ્યામભાઈ ખાટરિયાના પુત્ર છે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે