રાજકોટ જિલ્લા પંચાયતના નેતા વિપક્ષ અર્જુન ખાટરિયાની કોંગ્રેસમાંથી હકાલપટ્ટી, BJPમાં જોડાઇ કેસરિયો ધારણ કરશે


  • Published By :
  • Published Date : 2024-01-13 14:26:25

લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં આયારામ-ગયારામનું રાજકારણ શરૂ થઈ ગયું છે. રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાવા માટે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.જોકે, અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાઇ એ પહેલા કોંગ્રેસ પાર્ટીએ તેમની હકાલપટ્ટી કરી દીધી છે. અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. હવે અર્જુન ખાટરિયા આગામી સમયમાં ભાજપમાં જોડાઇ કેસરિયો ધારણ કરે તેવી જાહેરાત પણ કરી છે. તેઓએ જણાવ્યું હતું કે, વિકાસની રાજનીતિ, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સહિતના મુદ્દાઓને લઈ કોંગ્રેસને ખટકી રહી છે. આ મુદ્દાઓની વાતને લઈને મને પદ પરથી હટાવ્યો હોય એવું બની શકે.


જિલ્લા પંચાયતની ચૂંટણી પછી ખાટરિયા બન્યા હતા નેતા વિપક્ષ   


જિલ્લા પંચાયતની ચૂંટણી પછી અર્જુન ખાટરિયાને પંચાયતના વિપક્ષી નેતા બનાવવામાં આવ્યા હતા. ધારાસભાની ચૂંટણી પહેલા તેમને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનાવામાં આવ્‍યા હતા. ચૂંટણી પૂરી થઇ ગઇ પછી ખાટરિયાએ પ્રમુખ પદેથી મુક્‍ત થવા ઇચ્‍છા વ્‍યકત કરી છે. જે તે વખતે તેમણે ધારાસભાની ચૂંટણીને ધ્‍યાને રાખીને પ્રમુખ પદ સ્‍વીકારેલ. હવે તેઓ માત્ર પંચાયતના વિપક્ષી નેતા તરીકે રહેવા માગે છે. પ્રમુખ તરીકે અન્‍ય તક મળે અને પોતાની જવાબદારી હળવી થાય તે માટે ચૂંટણી પછી તુરંત પક્ષના પ્રમુખ પદેથી રાજીનામુ આપતો પત્ર પ્રદેશ કોંગ્રેસને મોકલી આપ્‍યો હતો. તેઓ વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં ગોંડલ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને 15,397 મતથી હાર્યા હતા. આગામી દિવસોમાં રાજકોટ જિલ્લામાંથી અન્ય કોંગ્રેસના આગેવાનો પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. અર્જુન ખાટરિયા સહકારી આગેવાન ઘનશ્યામભાઈ ખાટરિયાના પુત્ર છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.