જામનગરમાં વધતી ગુનાખોરી અંગે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પક્ષોને કરી આ અપીલ


  • Published By :
  • Published Date : 2022-11-04 16:27:28

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેર થઈ છે. રાજકીય પાર્ટીઓ પણ તેમના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જો કે ગુજરાતના રાજકીય પક્ષોમાં ગુનેગારોનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે તે ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યના કેટલાક શહેરોમાં વધી રહેલી ગુનાખોરીથી પણ જાગૃત નાગરિકો ચિંતિત છે. જેમ કે સૌરાષ્ટ્ર કેટલાક શહેરોમાં ગુનાખોરી ખુબ વધી છે, ભૂમાફિયાનો ત્રાસ સૌથી મોટો મુદ્દો છે જામનગર પણ તેમાનું એક શહેર છે. સામાન્ય માણસ તો ઠીક પણ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ આ દુષણને લઈ રાજકીય પક્ષોને અપીલ કરી છે.


પરિમલ નથવાણીએ શું કહ્યું?


રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ એક ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વિટના માધ્યમથી તમામ રાજકીય પક્ષોને જાહેર અપીલ કરી છે કે, જામનગરને ગુનાખોરીમાં હોમે તેવા ઉમેદવારો આપશો નહીં. તેમણે કહ્યું કે નકારાત્મક અને ગુનાખોરી વૃતિ ધરાવતા નેતાઓને કોઈ પણ પક્ષે ટિકિટ આપવી ન જોઈએ. તેમણે જામનગરને શિક્ષિત-સંસ્કારી અને શ્રેષ્ઠ નેતાગીરી મળવી જોઈએ. જેથી જામનગરની શાંતિ-સલામતી-સમૃધ્ધ- વિકાસ આગળ વધે.  


પરિમલ નથવાણીએ શા માટે આ ટ્વીટ કર્યું?


પરિમલ નથવાણીએ ખાસ જામનગરમાં વધેલી ગુનાખોરી પર શા માટે ટ્વિટ કર્યું તેવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. સ્થાનિક વેપારીઓના કહેવા પ્રમાણે જામનગરમાં ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજાનો બહું ત્રાસ છે.. જો કે ભાજપના ટોચના નેતાઓ સાથે હકુભાને સારા વ્યાપારીક સંબંધો છે અને એટલે જ સ્થાનિક નેતાઓને પણ પોલીસ છાવરી લે છે. સ્થાનિક સુત્રોના જણાવ્યા પ્રમાણે હકુભાની લોકપ્રિયતાના કારણે આ ચૂંટણીમાં પણ ભાજપ તેમને જામનગર વિધાનસભા સીટ જામનગર 78 માટે તેમને ટિકિટ આપશે.


જામનગરમાં ગુનાખોરી બેફામ


જામનગરમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા તત્વોની ભરમાર છે. જામનગર શહેરમાં કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલથી લોકો ત્રાસી ગયા હતા. હાલ તે લંડનની એક જેલમાં બધ છે. જયેશ પટેલ પર તો ખૂન, ફાયરિંગ, ખોટી રીતે જમીન પડાવી પાડવાના ગુનાઓ, કાવતરાં, પુરાવાઓનો નાશ કરવો અને સરકારી જાહેરનામાના ભંગના અનેક ગુનાઓ નોંધાયેલા છે. તે ઉપરાંત વશરામ આહીર, કુખ્યાત જાડેજા બંધુઓ યશપાલ અને જયપાલસિંહ જાડેજા, નિલેશ ટોલીયા, અતુલ ભંડેરી, રમેશ માનસતા, મુકેશ અભંગી, સુનિલ ચાંગાણી, મહેશ છૈયાનો સમાવેશ થાય છે.


હકુભા જેવા નેતાઓ રાજકીય પક્ષોની મજબુરી છે?


રાજકારણમાં મની અને મશલ્સ પાવરની જોર વધુ ગયું છે. સામાન્ય માણસ માટે ચૂંટણી લડવી અને જીતવી લોઢાવા ચણા ચાવવા જેવી બાબત બની ગઈ છે. લોકો ધાકધમકીથી પણ મત આપતા હોય છે. જેમ કે જામનગરમાં હકુભા જાડેજા, કુતિયાણા કાંધલ જાડેજા, પંચમહાલમાં પ્રભાતસિંહ, ચૌહાણ અને જેઠા ભરવાડ, વાઘોડિયાના ધારા સભ્ય મધુ શ્રીવાસ્તવ સહિતાના નેતાઓ તેમના મસલ્સ પાવરના કારણે ચૂંટણી જીતી જાય છે. રાજકીય પક્ષોને તો નંબરથી મતલબ હોય છે. વિધાનસભામાં જેટલા ધારાસભ્યો વધુ તેટલો પક્ષોને ફાયદો થતો હોય છે. પક્ષો પણ એટલા માટે જ ગુનાખોરીનો ઈતિહાસ ધરાવતા તત્વોને ટિકિટ આપે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.