જામનગરમાં વધતી ગુનાખોરી અંગે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પક્ષોને કરી આ અપીલ


  • Published By :
  • Published Date : 2022-11-04 16:27:28

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેર થઈ છે. રાજકીય પાર્ટીઓ પણ તેમના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જો કે ગુજરાતના રાજકીય પક્ષોમાં ગુનેગારોનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે તે ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યના કેટલાક શહેરોમાં વધી રહેલી ગુનાખોરીથી પણ જાગૃત નાગરિકો ચિંતિત છે. જેમ કે સૌરાષ્ટ્ર કેટલાક શહેરોમાં ગુનાખોરી ખુબ વધી છે, ભૂમાફિયાનો ત્રાસ સૌથી મોટો મુદ્દો છે જામનગર પણ તેમાનું એક શહેર છે. સામાન્ય માણસ તો ઠીક પણ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ આ દુષણને લઈ રાજકીય પક્ષોને અપીલ કરી છે.


પરિમલ નથવાણીએ શું કહ્યું?


રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ એક ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વિટના માધ્યમથી તમામ રાજકીય પક્ષોને જાહેર અપીલ કરી છે કે, જામનગરને ગુનાખોરીમાં હોમે તેવા ઉમેદવારો આપશો નહીં. તેમણે કહ્યું કે નકારાત્મક અને ગુનાખોરી વૃતિ ધરાવતા નેતાઓને કોઈ પણ પક્ષે ટિકિટ આપવી ન જોઈએ. તેમણે જામનગરને શિક્ષિત-સંસ્કારી અને શ્રેષ્ઠ નેતાગીરી મળવી જોઈએ. જેથી જામનગરની શાંતિ-સલામતી-સમૃધ્ધ- વિકાસ આગળ વધે.  


પરિમલ નથવાણીએ શા માટે આ ટ્વીટ કર્યું?


પરિમલ નથવાણીએ ખાસ જામનગરમાં વધેલી ગુનાખોરી પર શા માટે ટ્વિટ કર્યું તેવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. સ્થાનિક વેપારીઓના કહેવા પ્રમાણે જામનગરમાં ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજાનો બહું ત્રાસ છે.. જો કે ભાજપના ટોચના નેતાઓ સાથે હકુભાને સારા વ્યાપારીક સંબંધો છે અને એટલે જ સ્થાનિક નેતાઓને પણ પોલીસ છાવરી લે છે. સ્થાનિક સુત્રોના જણાવ્યા પ્રમાણે હકુભાની લોકપ્રિયતાના કારણે આ ચૂંટણીમાં પણ ભાજપ તેમને જામનગર વિધાનસભા સીટ જામનગર 78 માટે તેમને ટિકિટ આપશે.


જામનગરમાં ગુનાખોરી બેફામ


જામનગરમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા તત્વોની ભરમાર છે. જામનગર શહેરમાં કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલથી લોકો ત્રાસી ગયા હતા. હાલ તે લંડનની એક જેલમાં બધ છે. જયેશ પટેલ પર તો ખૂન, ફાયરિંગ, ખોટી રીતે જમીન પડાવી પાડવાના ગુનાઓ, કાવતરાં, પુરાવાઓનો નાશ કરવો અને સરકારી જાહેરનામાના ભંગના અનેક ગુનાઓ નોંધાયેલા છે. તે ઉપરાંત વશરામ આહીર, કુખ્યાત જાડેજા બંધુઓ યશપાલ અને જયપાલસિંહ જાડેજા, નિલેશ ટોલીયા, અતુલ ભંડેરી, રમેશ માનસતા, મુકેશ અભંગી, સુનિલ ચાંગાણી, મહેશ છૈયાનો સમાવેશ થાય છે.


હકુભા જેવા નેતાઓ રાજકીય પક્ષોની મજબુરી છે?


રાજકારણમાં મની અને મશલ્સ પાવરની જોર વધુ ગયું છે. સામાન્ય માણસ માટે ચૂંટણી લડવી અને જીતવી લોઢાવા ચણા ચાવવા જેવી બાબત બની ગઈ છે. લોકો ધાકધમકીથી પણ મત આપતા હોય છે. જેમ કે જામનગરમાં હકુભા જાડેજા, કુતિયાણા કાંધલ જાડેજા, પંચમહાલમાં પ્રભાતસિંહ, ચૌહાણ અને જેઠા ભરવાડ, વાઘોડિયાના ધારા સભ્ય મધુ શ્રીવાસ્તવ સહિતાના નેતાઓ તેમના મસલ્સ પાવરના કારણે ચૂંટણી જીતી જાય છે. રાજકીય પક્ષોને તો નંબરથી મતલબ હોય છે. વિધાનસભામાં જેટલા ધારાસભ્યો વધુ તેટલો પક્ષોને ફાયદો થતો હોય છે. પક્ષો પણ એટલા માટે જ ગુનાખોરીનો ઈતિહાસ ધરાવતા તત્વોને ટિકિટ આપે છે.



સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...