ગુજરાતમાં રાજ્યસભાની 3 સીટો માટે ચૂંટણીની તારીખોની જાહેરાત, 13 જુલાઈએ ભરાશે નામાંકન, 24 જુલાઈએ ચૂંટણી


  • Published By :
  • Published Date : 2023-06-27 19:42:43

ગુજરાતમાં રાજ્યસભાની 3 સીટો માટે યોજાનારી ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યસભાની 3 સીટો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાશે. જે માટે કેન્દ્રીય ચૂંટણી પંચ 06 જુલાઈએ જાહેરનામું બહાર પાડશે. ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોએ માટે 13મી જુલાઈ ચૂંટણી ફોર્મ ભરવાનું રહેશે. 13મી જુલાઈ ચૂંટણી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. આ ચૂંટણીનું પરિણામ 24 જુલાઈએ સાંજે 5 વાગ્યે જાહેર કરવામાં આવશે. 


વિદેશ પ્રધાન એસ જયશંકર રીપિટ થશે?


ગુજરાતમાંથી વિદેશ પ્રધાન એસ જયશંકર રીપિટ થઈ શકે છે. જ્યારે ગુજરાતની અન્ય 2 બેઠક પર ભાજપ નવા ઉમેદવાર મુકે તેવી શક્યતા છે. જો કે આ વખતે જુગલજી ઠાકોર, દિનેશ અનાવડીયાને ફરી તક મળવાની શક્યતા ઓછી જણાઈ રહી છે, તેમના સ્થાને નવો ચહેરો આવી શકે છે.


ત્રણેય બેઠકો ભાજપ જીતશે


અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાત ઉપરાંત ગોવા, પશ્ચિમ બંગાળની રાજ્યસભાની 10 બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો છે. ગુજરાત વિધાનસભામાં ભાજપના 156 ધારાસભ્યોની મજબુત હાજરી જોતા ભાજપના ફાળે રાજ્યસભાની ત્રણેય બેઠકો બિનહરીફ જાય તેવી સંપુર્ણ શક્યતા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.