પાઠ્યપુસ્તક મંડળના 60 કરોડના કાગળ કૌભાંડની તપાસ વિજિલન્સ કરશે, કાગળનો ઓર્ડર સ્થગિત


  • Published By :
  • Published Date : 2023-05-11 16:13:42

રાજ્યમાં ધોરણ 1 થી 12 પાઠયપુસ્તકોનું પ્રકાશન કરતા ગુજરાત રાજય શાળા પાઠયપુસ્તક મંડળમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. પાઠ્યપુસ્તક મંડળમાં ચાલતો ભ્રષ્ટાચાર સામે આવ્યા બાદ તેની તપાસ રાજ્ય વિજિલન્સને સોંપવામાં આવી છે. વિજિલન્સને તપાસ સોંપતા ટેન્ડરની પ્રક્રિયાના તમામ દસ્તાવેજ વિજિલન્સ દ્વારા કબજે કરાયા બાદ હવે કાગળનો ઓર્ડર પણ સ્થગિત કરી દેવામાં આવ્યો છે.વિજિલન્સનો રિપોર્ટ આવ્યા બાદ ટેન્ડર અંગે આખરી નિર્ણય કરવામાં આવશે. જો ગેરરીતિ થઈ હશે તો સંડોવાયેલા લોકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાના આદેશ શિક્ષણ વિભાગ તરફથી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. 


સરકારી તિજોરીને 60 કરોડનું નુકસાન


પાઠ્યપુસ્તક મંડળ પાસેથી વિજિલન્સે કબજે કરેલા ટેન્ડરને લગતા તમામ ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં ટેન્ડર ફાળવણી દરમિયાન થયેલી ગેરરીતીના કારણે સરકારી તિજોરીને 60 કરોડના નુકસાનનો દાવો કરવામાં આવ્યો હતો. પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કાગળોની ખરીદી માટે ટેન્ડર મંગાવ્યા હતા અને બાદમાં કાગળ ખરીદવાના ઓર્ડર કરાયા હતા.દરમિયાન મુખ્યમંત્રી કક્ષાએ એક ફરિયાદ કરવામાં આવી કે ટેન્ડરમાં એક મિલ દ્વારા પ્રતિ કિલો કાગળનો ભાવ રૂ. 90 ભર્યો હતો આમ છતાં ટેન્ડર પ્રતિ કિલો રૂ.108.80 ભાવથી મંજૂર કરીને ઓર્ડર આપવામાં આવ્યો છે. ટેન્ડર ફાળવણીની ગરબડીમાં 60 કરોડ રૂપિયાનું સરકારી તિજોરીને નુકસાન થયું હોવાનો દાવો કરાયો છે.


કાગળનો ઓર્ડર સ્થગિત


પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આપવામાં આવેલો કાગળનો ઓર્ડર સ્થગિત કરવામાં આવ્યો છે. ટેન્ડર બાદ પાઠ્યપુસ્તક મંડળે 32 હજાર મેટ્રિક ટનનો ઓર્ડર આપ્યો હતો તે ઘટાડીને 12 હજાર મેટ્રિક ટનનો કરાયો હતો. વિજિલન્સને તપાસ સોંપાયા બાદ ઓર્ડર 12 હજાર મેટ્રિક ટનના બદલે 5 હજાર મેટ્રિક ટન કરી દેવાયો હતો. પુસ્તકોના છાપકામમાં અસર ન થાય માટે હાલ ટેન્ડર રદ્દ કરાયું નથી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.