રામ મંદિરને લઈ આવ્યા મોટા સમાચાર, આ દિવસે રામ લલાની મૂર્તિની થશે સ્થાપના, 70 ટકા કામ પૂર્ણ


  • Published By :
  • Published Date : 2023-03-16 20:53:09

અયોધ્યામાં નિર્મણાધીન ભગવાન શ્રી રામના મંદિરને લઈને મોટા સમાચાર આવ્યા છે. રામ મંદિરનું નિર્માણકાર્ય ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગીરીજી મહારાજે જાણકારી આપી છે કે મંદિરનું 70 ટકા કાર્ય પૂર્ણ થઈ ગયું છે. જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહ સુધીમાં ભગવાન શ્રી રામની મૂર્તિની સ્થાપના થઈ જશે. આ દિવસથી જ શ્રધ્ધાળુંઓ ભગવાન શ્રી રામના દર્શન અને પૂજા કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.


પીએમ મોદી કરશે મૂર્તિ સ્થાપના


સ્વામી ગોવિંદ દેવ ગીરી મહારાજે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ડોમ્બિવલીમાં આયોજીત એક કાર્યક્રમમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે જાન્યુઆરી 2024માં પીએમ મોદીના હસ્તે રામ લલાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. ચૂંટણીને લઈ સામે આવી રહેલા સમાચારોને અંગે તેમણે સ્પષ્ટતા કરી કે મંદિર નિર્માણ અને 2024ની લોકસભા ચૂંટણીને એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.