રામ મંદિરને લઈ આવ્યા મોટા સમાચાર, આ દિવસે રામ લલાની મૂર્તિની થશે સ્થાપના, 70 ટકા કામ પૂર્ણ


  • Published By :
  • Published Date : 2023-03-16 20:53:09

અયોધ્યામાં નિર્મણાધીન ભગવાન શ્રી રામના મંદિરને લઈને મોટા સમાચાર આવ્યા છે. રામ મંદિરનું નિર્માણકાર્ય ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગીરીજી મહારાજે જાણકારી આપી છે કે મંદિરનું 70 ટકા કાર્ય પૂર્ણ થઈ ગયું છે. જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહ સુધીમાં ભગવાન શ્રી રામની મૂર્તિની સ્થાપના થઈ જશે. આ દિવસથી જ શ્રધ્ધાળુંઓ ભગવાન શ્રી રામના દર્શન અને પૂજા કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.


પીએમ મોદી કરશે મૂર્તિ સ્થાપના


સ્વામી ગોવિંદ દેવ ગીરી મહારાજે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ડોમ્બિવલીમાં આયોજીત એક કાર્યક્રમમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે જાન્યુઆરી 2024માં પીએમ મોદીના હસ્તે રામ લલાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. ચૂંટણીને લઈ સામે આવી રહેલા સમાચારોને અંગે તેમણે સ્પષ્ટતા કરી કે મંદિર નિર્માણ અને 2024ની લોકસભા ચૂંટણીને એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.