રામ મંદિરને લઈ આવ્યા મોટા સમાચાર, આ દિવસે રામ લલાની મૂર્તિની થશે સ્થાપના, 70 ટકા કામ પૂર્ણ


  • Published By :
  • Published Date : 2023-03-16 20:53:09

અયોધ્યામાં નિર્મણાધીન ભગવાન શ્રી રામના મંદિરને લઈને મોટા સમાચાર આવ્યા છે. રામ મંદિરનું નિર્માણકાર્ય ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગીરીજી મહારાજે જાણકારી આપી છે કે મંદિરનું 70 ટકા કાર્ય પૂર્ણ થઈ ગયું છે. જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહ સુધીમાં ભગવાન શ્રી રામની મૂર્તિની સ્થાપના થઈ જશે. આ દિવસથી જ શ્રધ્ધાળુંઓ ભગવાન શ્રી રામના દર્શન અને પૂજા કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.


પીએમ મોદી કરશે મૂર્તિ સ્થાપના


સ્વામી ગોવિંદ દેવ ગીરી મહારાજે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ડોમ્બિવલીમાં આયોજીત એક કાર્યક્રમમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે જાન્યુઆરી 2024માં પીએમ મોદીના હસ્તે રામ લલાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. ચૂંટણીને લઈ સામે આવી રહેલા સમાચારોને અંગે તેમણે સ્પષ્ટતા કરી કે મંદિર નિર્માણ અને 2024ની લોકસભા ચૂંટણીને એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.