Cyber Crimeનો શિકાર બન્યા Ram mokariya, આટલા હજાર રુપિયા ટ્રાન્સફર કર્યા બાદ જાણ થઈ કે....


  • Published By :
  • Published Date : 2023-11-12 11:59:27

ટેક્નોલોજી જેમ જેમ વિકસી રહી છે તેમ તેમ માણસની પ્રગતિ થઈ રહી છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરી લોકો પોતાની આવડતને દુનિયા સમક્ષ મૂકતા હોય છે. જો ટેક્નોલોજીનો સારો ઉપયોગ કરવામાં આવે તો તે માણસના હિતમાં હોય છે પરંતુ જો તેનો દુરૂપયોગ કરવામાં આવે તો તે માનવસમાજને નુકસાન પહોંચાડી શકે છે. સાઈબર ક્રાઈમના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ઓનલાઈન ફ્રોડનો શિકાર સામાન્ય લોકો બની રહ્યા છે. પૈસા કમાવાની લાલચમાં અથવા તો લાઈક મેળવવાની લાલચમાં લોકો ઓનલાઈન ઠગાઈનો ભોગ બની રહ્યા છે. સામાન્ય માણસ તો ઓનલાઈન ઠગાઈનો શિકાર બનતા હોય છે પરંતુ આ વખતે ભાજપના સાંસદ રામ મોકરિયા ઓનલાઈન ફ્રોડનો શિકાર બની ગયા છે. એક વ્યક્તિએ સાંસદને 15000નો ચૂનો લગાવ્યો છે!

Rambhai Mokariya

ભાજપના સાંસદને લાગ્યો 15000 રુપિયાનો ચૂનો! 

ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ઓછા સમયમાં વધારે પૈસા કમાવવાની લાલચ લોકોના દિલમાં રહેલી હોય છે જેને કારણે આ ફ્રોડની ઘટનાઓ વધી રહી છે. મહેનત કરીને નહીં પરંતુ ઠગાઈ કરીને લોકો પાસેથી પૈસા આ ઠગો છીનવી લેતા હોય છે. એક લીંક ઓપન કરો અને બેન્ક બેલેન્સ ખાલી થઈ જાય તેવા કિસ્સાઓ અનેક વખત આપણી સામે આવ્યા છે. ઉપરાંત અને લોકો મની ટ્રાન્સફર કરાવી પણ આ ગુન્હાને આચરતા હોય છે. ત્યારે ભાજપના સાંસદ રામ મોકરિયા સાયબર ક્રાઈમનો શિકાર બન્યા છે. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિએ સાંસદને ફોન કર્યો અને કહ્યું કે તે ભાજપનો કાર્યકર છે અને તેને 15000 રુપિયાની જરૂર છે. પૈસા પડાવવા માટે ઠગે બહાનું કાઢ્યું કે પિતાનું મૃત્યુ થયું છે જેને કારણે પૈસાની જરૂર છે.

Fraud alert! Gurugram woman loses ₹76 lakh in app-based movie rating scam |  Mint

અનેક સામાન્ય લોકો બનેછે ઓનલાઈન ફ્રોડનો શિકાર

આ બાદ સાંસદ રામ મોકરિયાએ 15000 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. પૈસા ટ્રાન્સફર થયા બાદ જ્યારે તે યુવકનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું ત્યારે તેનું લોકેશન છત્તીસગઢ હોવાનું સામે આવ્યું. જે બાદ સાંસદને જાણ થઈ કે તેઓ છેતરપીંડિનો શિકાર બન્યા છે. મહત્વનું છે કે અનેક સામાન્ય માણસો આ ઓનલાઈન સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે. સાઈબર ફ્રોડના વધતા કેસોને જોતા સરકાર પણ આ વાતને ગંભીરતાથી લઈ રહી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.