Cyber Crimeનો શિકાર બન્યા Ram mokariya, આટલા હજાર રુપિયા ટ્રાન્સફર કર્યા બાદ જાણ થઈ કે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-12 11:59:27

ટેક્નોલોજી જેમ જેમ વિકસી રહી છે તેમ તેમ માણસની પ્રગતિ થઈ રહી છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરી લોકો પોતાની આવડતને દુનિયા સમક્ષ મૂકતા હોય છે. જો ટેક્નોલોજીનો સારો ઉપયોગ કરવામાં આવે તો તે માણસના હિતમાં હોય છે પરંતુ જો તેનો દુરૂપયોગ કરવામાં આવે તો તે માનવસમાજને નુકસાન પહોંચાડી શકે છે. સાઈબર ક્રાઈમના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ઓનલાઈન ફ્રોડનો શિકાર સામાન્ય લોકો બની રહ્યા છે. પૈસા કમાવાની લાલચમાં અથવા તો લાઈક મેળવવાની લાલચમાં લોકો ઓનલાઈન ઠગાઈનો ભોગ બની રહ્યા છે. સામાન્ય માણસ તો ઓનલાઈન ઠગાઈનો શિકાર બનતા હોય છે પરંતુ આ વખતે ભાજપના સાંસદ રામ મોકરિયા ઓનલાઈન ફ્રોડનો શિકાર બની ગયા છે. એક વ્યક્તિએ સાંસદને 15000નો ચૂનો લગાવ્યો છે!

Rambhai Mokariya

ભાજપના સાંસદને લાગ્યો 15000 રુપિયાનો ચૂનો! 

ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ઓછા સમયમાં વધારે પૈસા કમાવવાની લાલચ લોકોના દિલમાં રહેલી હોય છે જેને કારણે આ ફ્રોડની ઘટનાઓ વધી રહી છે. મહેનત કરીને નહીં પરંતુ ઠગાઈ કરીને લોકો પાસેથી પૈસા આ ઠગો છીનવી લેતા હોય છે. એક લીંક ઓપન કરો અને બેન્ક બેલેન્સ ખાલી થઈ જાય તેવા કિસ્સાઓ અનેક વખત આપણી સામે આવ્યા છે. ઉપરાંત અને લોકો મની ટ્રાન્સફર કરાવી પણ આ ગુન્હાને આચરતા હોય છે. ત્યારે ભાજપના સાંસદ રામ મોકરિયા સાયબર ક્રાઈમનો શિકાર બન્યા છે. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિએ સાંસદને ફોન કર્યો અને કહ્યું કે તે ભાજપનો કાર્યકર છે અને તેને 15000 રુપિયાની જરૂર છે. પૈસા પડાવવા માટે ઠગે બહાનું કાઢ્યું કે પિતાનું મૃત્યુ થયું છે જેને કારણે પૈસાની જરૂર છે.

Fraud alert! Gurugram woman loses ₹76 lakh in app-based movie rating scam |  Mint

અનેક સામાન્ય લોકો બનેછે ઓનલાઈન ફ્રોડનો શિકાર

આ બાદ સાંસદ રામ મોકરિયાએ 15000 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. પૈસા ટ્રાન્સફર થયા બાદ જ્યારે તે યુવકનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું ત્યારે તેનું લોકેશન છત્તીસગઢ હોવાનું સામે આવ્યું. જે બાદ સાંસદને જાણ થઈ કે તેઓ છેતરપીંડિનો શિકાર બન્યા છે. મહત્વનું છે કે અનેક સામાન્ય માણસો આ ઓનલાઈન સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે. સાઈબર ફ્રોડના વધતા કેસોને જોતા સરકાર પણ આ વાતને ગંભીરતાથી લઈ રહી છે. 



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.