PM Modiના ઘરે Ram Pratishtha મહોત્સવની કંઈ આ રીતે કરાઈ ઉજવણી, સંગીતના સુરો રેલાયા અને કરાઈ રંગોળી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-22 14:13:46

અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં આજે રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી . પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દિવાળી જેવો માહોલ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા હતા. પીએમ મોદીના માતા પ્રત્યેના લગાવને કોણ નથી જાણતું? પીએમ મોદીની માતા જ્યાં રહેતા હતા તે ઘરને સારી રીતે સજાવવામાં આવ્યું છે. 

દેશમાં દિવાળી જેવો માહોલ!

દેશવાસીઓમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ એવો ઉત્સાહ છે કે જાણે બીજી વખત દિવાળી ઉજવી રહ્યા હોય. ગુજરાત પણ રામમય બન્યું હોય તેવું લાગી રહ્યું છે. રસ્તાઓ પર રામ ભગવાનની ધ્વજાઓ ફરકાવવામાં આવી છે. રોશની કરવામાં આવી છે. આજના દિવસે ઘરમાં દીવા કરવામાં આવે તેવી વાત પીએમ મોદી દ્વારા કરવામાં આવી હતી. આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જે પીએમ મોદીના ઘરનો છે. પીએમ મોદીના માતા જે ઘરમાં રહેતા હતા તે ઘરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. 

પીએમ મોદીના ભત્રીજા અને ભત્રીજા વહુએ ઘરને સજાવ્યું!

પીએમ મોદીના માતાના રૂમને સજાવવામાં આવતા એક વીડિયો પણ સામે આવ્યો છે.પીએમ મોદીના ભત્રીજા અને ભત્રીજાવહુએ આ રૂમ સજાવ્યો હતો. જણાવી દઈએ કે પીએમ મોદીની માતા તેમના પુત્ર પંકજ મોદીના ઘરે રહેતા હતા. તેમના આ ઘરને શણગારવામાં આવી રહ્યું છે. ઘરની સજાવટનો જે વીડિયો સામે આવ્યો છે તે પીએમ મોદીના નાના ભાઈ પંકજ મોદીના ગાંધીનગર સ્થિત ઘરનો છે. પીએમ મોદીની માતા પણ અહીં રહેતા હતા. 


પંકજ મોદીના દીકરાએ વાંસળી વગાડી!

આ વીડિયોમાં પંકજ મોદીનો પુત્ર સચિન અને ભત્રીજા વહુ ઉન્નતિ રંગોળી બનાવતા અને વાંસળી વગાડતા જોવા મળે છે. વીડિયોમાં સચિન મુરલી પર ‘મેરી ઝોપડી કે ભાગ્ય આજ ખુલ જાયેંગે’ની ધૂન વગાડતા જોવા મળે છે જ્યારે તેમની પત્ની ઉન્નતિ ઘરને રંગોળી બનાવી રહ્યા છે. ઘરના છોડને પણ સજાવવામાં આવ્યા છે. રંગોળીની સાથે ઘરને ફૂલોથી પણ શણગારવામાં આવ્યું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.