PM Modiના ઘરે Ram Pratishtha મહોત્સવની કંઈ આ રીતે કરાઈ ઉજવણી, સંગીતના સુરો રેલાયા અને કરાઈ રંગોળી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-22 14:13:46

અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં આજે રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી . પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દિવાળી જેવો માહોલ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા હતા. પીએમ મોદીના માતા પ્રત્યેના લગાવને કોણ નથી જાણતું? પીએમ મોદીની માતા જ્યાં રહેતા હતા તે ઘરને સારી રીતે સજાવવામાં આવ્યું છે. 

દેશમાં દિવાળી જેવો માહોલ!

દેશવાસીઓમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ એવો ઉત્સાહ છે કે જાણે બીજી વખત દિવાળી ઉજવી રહ્યા હોય. ગુજરાત પણ રામમય બન્યું હોય તેવું લાગી રહ્યું છે. રસ્તાઓ પર રામ ભગવાનની ધ્વજાઓ ફરકાવવામાં આવી છે. રોશની કરવામાં આવી છે. આજના દિવસે ઘરમાં દીવા કરવામાં આવે તેવી વાત પીએમ મોદી દ્વારા કરવામાં આવી હતી. આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જે પીએમ મોદીના ઘરનો છે. પીએમ મોદીના માતા જે ઘરમાં રહેતા હતા તે ઘરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. 

પીએમ મોદીના ભત્રીજા અને ભત્રીજા વહુએ ઘરને સજાવ્યું!

પીએમ મોદીના માતાના રૂમને સજાવવામાં આવતા એક વીડિયો પણ સામે આવ્યો છે.પીએમ મોદીના ભત્રીજા અને ભત્રીજાવહુએ આ રૂમ સજાવ્યો હતો. જણાવી દઈએ કે પીએમ મોદીની માતા તેમના પુત્ર પંકજ મોદીના ઘરે રહેતા હતા. તેમના આ ઘરને શણગારવામાં આવી રહ્યું છે. ઘરની સજાવટનો જે વીડિયો સામે આવ્યો છે તે પીએમ મોદીના નાના ભાઈ પંકજ મોદીના ગાંધીનગર સ્થિત ઘરનો છે. પીએમ મોદીની માતા પણ અહીં રહેતા હતા. 


પંકજ મોદીના દીકરાએ વાંસળી વગાડી!

આ વીડિયોમાં પંકજ મોદીનો પુત્ર સચિન અને ભત્રીજા વહુ ઉન્નતિ રંગોળી બનાવતા અને વાંસળી વગાડતા જોવા મળે છે. વીડિયોમાં સચિન મુરલી પર ‘મેરી ઝોપડી કે ભાગ્ય આજ ખુલ જાયેંગે’ની ધૂન વગાડતા જોવા મળે છે જ્યારે તેમની પત્ની ઉન્નતિ ઘરને રંગોળી બનાવી રહ્યા છે. ઘરના છોડને પણ સજાવવામાં આવ્યા છે. રંગોળીની સાથે ઘરને ફૂલોથી પણ શણગારવામાં આવ્યું છે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે