PM Modiના ઘરે Ram Pratishtha મહોત્સવની કંઈ આ રીતે કરાઈ ઉજવણી, સંગીતના સુરો રેલાયા અને કરાઈ રંગોળી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-22 14:13:46

અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં આજે રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી . પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દિવાળી જેવો માહોલ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા હતા. પીએમ મોદીના માતા પ્રત્યેના લગાવને કોણ નથી જાણતું? પીએમ મોદીની માતા જ્યાં રહેતા હતા તે ઘરને સારી રીતે સજાવવામાં આવ્યું છે. 

દેશમાં દિવાળી જેવો માહોલ!

દેશવાસીઓમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ એવો ઉત્સાહ છે કે જાણે બીજી વખત દિવાળી ઉજવી રહ્યા હોય. ગુજરાત પણ રામમય બન્યું હોય તેવું લાગી રહ્યું છે. રસ્તાઓ પર રામ ભગવાનની ધ્વજાઓ ફરકાવવામાં આવી છે. રોશની કરવામાં આવી છે. આજના દિવસે ઘરમાં દીવા કરવામાં આવે તેવી વાત પીએમ મોદી દ્વારા કરવામાં આવી હતી. આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જે પીએમ મોદીના ઘરનો છે. પીએમ મોદીના માતા જે ઘરમાં રહેતા હતા તે ઘરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. 

પીએમ મોદીના ભત્રીજા અને ભત્રીજા વહુએ ઘરને સજાવ્યું!

પીએમ મોદીના માતાના રૂમને સજાવવામાં આવતા એક વીડિયો પણ સામે આવ્યો છે.પીએમ મોદીના ભત્રીજા અને ભત્રીજાવહુએ આ રૂમ સજાવ્યો હતો. જણાવી દઈએ કે પીએમ મોદીની માતા તેમના પુત્ર પંકજ મોદીના ઘરે રહેતા હતા. તેમના આ ઘરને શણગારવામાં આવી રહ્યું છે. ઘરની સજાવટનો જે વીડિયો સામે આવ્યો છે તે પીએમ મોદીના નાના ભાઈ પંકજ મોદીના ગાંધીનગર સ્થિત ઘરનો છે. પીએમ મોદીની માતા પણ અહીં રહેતા હતા. 


પંકજ મોદીના દીકરાએ વાંસળી વગાડી!

આ વીડિયોમાં પંકજ મોદીનો પુત્ર સચિન અને ભત્રીજા વહુ ઉન્નતિ રંગોળી બનાવતા અને વાંસળી વગાડતા જોવા મળે છે. વીડિયોમાં સચિન મુરલી પર ‘મેરી ઝોપડી કે ભાગ્ય આજ ખુલ જાયેંગે’ની ધૂન વગાડતા જોવા મળે છે જ્યારે તેમની પત્ની ઉન્નતિ ઘરને રંગોળી બનાવી રહ્યા છે. ઘરના છોડને પણ સજાવવામાં આવ્યા છે. રંગોળીની સાથે ઘરને ફૂલોથી પણ શણગારવામાં આવ્યું છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.