મુઘલ ગાર્ડનને મળી નવી ઓળખ, રાષ્ટ્રપતિ ભવનનો આ બગીચો હવે 'અમૃત ઉદ્યાન' તરીકે ઓળખાશે


  • Published By :
  • Published Date : 2023-01-28 18:35:37

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી વિવિધ સ્થળો, માર્ગ અને ઈમારતો તથા સ્મારકોના નામ બદલવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા ઔરંગઝેબ રોડનું નામ બદલીને એપીજે અબ્દુલ કલામ રોડ કરવામાં આવ્યું હતું. તે જ પ્રકારે હવે સરકારે રાષ્ટ્રપતિ ભવનના પ્રખ્યાત મુઘલ ગાર્ડનનું નામ બદલી નાખ્યું છે. મોદી સરકારે આજે મુઘલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન રાખ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે મુઘલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન હવે 'અમૃત ઉદ્યાન'ના નામથી ઓળખાશે. રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન તેની સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે, તેને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે.


શા માટે બદલાયું નામ?


આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સ્વતંત્રતાના અમૃત મહોત્સવ’ અંતર્ગત ભારતના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના બગીચાનું ‘અમૃત ઉદ્યાન ‘ સ્વરૂપે ઉદ્ઘાટન કર્યું છે. ગાર્ડનને એક સામાન્ય નામ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિના નાયબ પ્રેસ સચિવ નાવિકા ગુપ્તાએ આ અંગે જાણકારી આપી હતી. 


'અમૃત ઉદ્યાન' 31 જાન્યુ.થી 26 માર્ચ સુધી ખુલ્લો રહેશે


રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમૃત ઉદ્યાન (મુગલ ગાર્ડન) આ વર્ષે 31મી જાન્યુઆરીથી 26મી માર્ચ સુધી જનતા માટે ખુલ્લો રહેશે. આ પછી તે 28 માર્ચે ફક્ત ખેડૂતો માટે અને 29 માર્ચે દિવ્યાંગ લોકો માટે ખોલવામાં આવશે. આ પછી 30 માર્ચે પોલીસ, સુરક્ષા દળો અને સેનાના પરિવારો માટે ગાર્ડન ખુલ્લો મુકવામાં આવશે. આ દરમિયાન મુલાકાતીઓ સુંદર ફૂલોનો આનંદ માણી શકશે. અમૃત ઉદ્યાનના 7500 મુલાકાતીઓને સવારે 10 વાગ્યાથી 12 વાગ્યાં સુધી ટિકીટ આપવામાં આવશે, ત્યારબાદ 12થી 4 વાહ્યાં સુધી 10,000 લોકોને પ્રવેશ મળશે.


'અમૃત ઉદ્યાન'ની વિશેષતા શું છે? 


રાષ્ટ્રપતિ ભવનનો અમૃત ઉદ્યાન (મુઘલ ગાર્ડન) તેની સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ બગીચો 5 એકરમાં ફેલાયેલો છે. તેને જોવા માટે દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. અહીં 138 પ્રકારના ગુલાબ, 10,000 થી વધુ ટ્યૂલિપ બલ્બ અને 70 વિવિધ પ્રજાતિઓના લગભગ 5,000 મોસમી ફૂલોની પ્રજાતિઓ છે. આ બગીચો દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યો હતો, ત્યારથી દર વર્ષે વસંત ઋતુમાં તેને લોકો માટે ખોલવામાં આવે છે. આ ગાર્ડન આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ છે. લોકો QR કોડથી છોડની જાણકારી મેળવી શકે છે. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.