મુઘલ ગાર્ડનને મળી નવી ઓળખ, રાષ્ટ્રપતિ ભવનનો આ બગીચો હવે 'અમૃત ઉદ્યાન' તરીકે ઓળખાશે


  • Published By :
  • Published Date : 2023-01-28 18:35:37

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી વિવિધ સ્થળો, માર્ગ અને ઈમારતો તથા સ્મારકોના નામ બદલવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા ઔરંગઝેબ રોડનું નામ બદલીને એપીજે અબ્દુલ કલામ રોડ કરવામાં આવ્યું હતું. તે જ પ્રકારે હવે સરકારે રાષ્ટ્રપતિ ભવનના પ્રખ્યાત મુઘલ ગાર્ડનનું નામ બદલી નાખ્યું છે. મોદી સરકારે આજે મુઘલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન રાખ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે મુઘલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન હવે 'અમૃત ઉદ્યાન'ના નામથી ઓળખાશે. રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન તેની સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે, તેને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે.


શા માટે બદલાયું નામ?


આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સ્વતંત્રતાના અમૃત મહોત્સવ’ અંતર્ગત ભારતના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના બગીચાનું ‘અમૃત ઉદ્યાન ‘ સ્વરૂપે ઉદ્ઘાટન કર્યું છે. ગાર્ડનને એક સામાન્ય નામ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિના નાયબ પ્રેસ સચિવ નાવિકા ગુપ્તાએ આ અંગે જાણકારી આપી હતી. 


'અમૃત ઉદ્યાન' 31 જાન્યુ.થી 26 માર્ચ સુધી ખુલ્લો રહેશે


રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમૃત ઉદ્યાન (મુગલ ગાર્ડન) આ વર્ષે 31મી જાન્યુઆરીથી 26મી માર્ચ સુધી જનતા માટે ખુલ્લો રહેશે. આ પછી તે 28 માર્ચે ફક્ત ખેડૂતો માટે અને 29 માર્ચે દિવ્યાંગ લોકો માટે ખોલવામાં આવશે. આ પછી 30 માર્ચે પોલીસ, સુરક્ષા દળો અને સેનાના પરિવારો માટે ગાર્ડન ખુલ્લો મુકવામાં આવશે. આ દરમિયાન મુલાકાતીઓ સુંદર ફૂલોનો આનંદ માણી શકશે. અમૃત ઉદ્યાનના 7500 મુલાકાતીઓને સવારે 10 વાગ્યાથી 12 વાગ્યાં સુધી ટિકીટ આપવામાં આવશે, ત્યારબાદ 12થી 4 વાહ્યાં સુધી 10,000 લોકોને પ્રવેશ મળશે.


'અમૃત ઉદ્યાન'ની વિશેષતા શું છે? 


રાષ્ટ્રપતિ ભવનનો અમૃત ઉદ્યાન (મુઘલ ગાર્ડન) તેની સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ બગીચો 5 એકરમાં ફેલાયેલો છે. તેને જોવા માટે દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. અહીં 138 પ્રકારના ગુલાબ, 10,000 થી વધુ ટ્યૂલિપ બલ્બ અને 70 વિવિધ પ્રજાતિઓના લગભગ 5,000 મોસમી ફૂલોની પ્રજાતિઓ છે. આ બગીચો દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યો હતો, ત્યારથી દર વર્ષે વસંત ઋતુમાં તેને લોકો માટે ખોલવામાં આવે છે. આ ગાર્ડન આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ છે. લોકો QR કોડથી છોડની જાણકારી મેળવી શકે છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.