મુઘલ ગાર્ડનને મળી નવી ઓળખ, રાષ્ટ્રપતિ ભવનનો આ બગીચો હવે 'અમૃત ઉદ્યાન' તરીકે ઓળખાશે


  • Published By :
  • Published Date : 2023-01-28 18:35:37

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી વિવિધ સ્થળો, માર્ગ અને ઈમારતો તથા સ્મારકોના નામ બદલવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા ઔરંગઝેબ રોડનું નામ બદલીને એપીજે અબ્દુલ કલામ રોડ કરવામાં આવ્યું હતું. તે જ પ્રકારે હવે સરકારે રાષ્ટ્રપતિ ભવનના પ્રખ્યાત મુઘલ ગાર્ડનનું નામ બદલી નાખ્યું છે. મોદી સરકારે આજે મુઘલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન રાખ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે મુઘલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન હવે 'અમૃત ઉદ્યાન'ના નામથી ઓળખાશે. રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન તેની સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે, તેને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે.


શા માટે બદલાયું નામ?


આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સ્વતંત્રતાના અમૃત મહોત્સવ’ અંતર્ગત ભારતના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના બગીચાનું ‘અમૃત ઉદ્યાન ‘ સ્વરૂપે ઉદ્ઘાટન કર્યું છે. ગાર્ડનને એક સામાન્ય નામ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિના નાયબ પ્રેસ સચિવ નાવિકા ગુપ્તાએ આ અંગે જાણકારી આપી હતી. 


'અમૃત ઉદ્યાન' 31 જાન્યુ.થી 26 માર્ચ સુધી ખુલ્લો રહેશે


રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમૃત ઉદ્યાન (મુગલ ગાર્ડન) આ વર્ષે 31મી જાન્યુઆરીથી 26મી માર્ચ સુધી જનતા માટે ખુલ્લો રહેશે. આ પછી તે 28 માર્ચે ફક્ત ખેડૂતો માટે અને 29 માર્ચે દિવ્યાંગ લોકો માટે ખોલવામાં આવશે. આ પછી 30 માર્ચે પોલીસ, સુરક્ષા દળો અને સેનાના પરિવારો માટે ગાર્ડન ખુલ્લો મુકવામાં આવશે. આ દરમિયાન મુલાકાતીઓ સુંદર ફૂલોનો આનંદ માણી શકશે. અમૃત ઉદ્યાનના 7500 મુલાકાતીઓને સવારે 10 વાગ્યાથી 12 વાગ્યાં સુધી ટિકીટ આપવામાં આવશે, ત્યારબાદ 12થી 4 વાહ્યાં સુધી 10,000 લોકોને પ્રવેશ મળશે.


'અમૃત ઉદ્યાન'ની વિશેષતા શું છે? 


રાષ્ટ્રપતિ ભવનનો અમૃત ઉદ્યાન (મુઘલ ગાર્ડન) તેની સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ બગીચો 5 એકરમાં ફેલાયેલો છે. તેને જોવા માટે દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. અહીં 138 પ્રકારના ગુલાબ, 10,000 થી વધુ ટ્યૂલિપ બલ્બ અને 70 વિવિધ પ્રજાતિઓના લગભગ 5,000 મોસમી ફૂલોની પ્રજાતિઓ છે. આ બગીચો દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યો હતો, ત્યારથી દર વર્ષે વસંત ઋતુમાં તેને લોકો માટે ખોલવામાં આવે છે. આ ગાર્ડન આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ છે. લોકો QR કોડથી છોડની જાણકારી મેળવી શકે છે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.