અમદાવાદના દરિયાપુરમાં રથયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના, કડિયાનાકા પાસે ઘરની બાલ્કની ધરાશાયી, એકનું મોત, 11 લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-06-20 20:52:58

અમદાવાદના દરિયાપુરમાં રથયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. દરિયાપુરમાં  કડિયા શેરી પાસે ઘરની બાલ્કની ધરાશાયી થતાં 11 લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. જો તે તેમાંથી એક ઘાયલનું તો સારવાર દરમિયાન જ થયું હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તોમાં 2 બાળકો, 3 મહિલા અને 6 પુરુષોનો પણ સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે કડિયાનાકા પાસે હનુમાનજી મંદિર પાસે સ્લેબ પડતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. દુર્ઘટના બાદ સીઆઈએસએફ અને સ્થાનિક પોલીસે લોકોને દુર્ઘટનાના સ્થળેથી દૂર ખસેડ્યા હતા.


ઘાયલોની ચાલી રહી છે સિવિલમાં સારવાર


અમદાવાદના દરિયાપુરમાં સ્લેબ તૂટવાની આ ઘટનામાં 10 થી 15 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. તમામ ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં 2 બાળકો, 3 મહિલા અને 6 પુરુષોનો પણ સમાવેશ થાય છે. તમામ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાના સમાચાર મળતા જ પોલીસ, હોમગાર્ડના જવાનો પહોંચ્યા હતા અને અને સ્થાનિકોની મદદથી ઘાયલોને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિલના ટ્રોમા સેન્ટરમાં ઘાયલોને ત્વરિત સારવાર આપવામાં આવી રહી છે. આ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના મતે જે ગેલેરી તૂટી પડી તેના પર પાંચથી છ લોકો ઉભા હતા.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.