અભિનેત્રી રવિના ટંડને પુત્રી રાશા સાથે સોમનાથ દાદાના કર્યા દર્શન, સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી


  • Published By :
  • Published Date : 2024-01-18 12:39:19

બોલિવૂડની એક સમયની લોકપ્રિય અભિનેત્રી રવિના ટંડને સોમનાથ મંદિરમાં સોમનાથ દાદાના દર્શન કર્યા હતા.  90ના દાયકાની ટોચની અભિનેત્રી રવિના ટંડન તેની પુત્રી રાશા ટંડન સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના અલૌકિક સ્વરૂપના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સોમનાથનો જલાભિષેક કરી હરહર મહાદેવના નાદ સાથે સોમનાથ મહાદેવને શીશ નમાવ્યું હતું. સોમનાથ ટ્રસ્ટ તરફથી પૂજારીએ અભિનેત્રી રવિના ટંડનને સોમનાથ મહાદેવનો પ્રસાદ તથા જ્યોતિર્લિંગની તસવીર આપી આશિર્વાદ પાઠવ્યા હતા. રવિના ટંડનને જોવા મંદિર પરીસર ખાતે લોકોની ભીડ એકઠી થઈ હતી.





સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી


રવિના અને રાશાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલ તસવીરોમાં બંને ભક્તિમાં ડૂબેલી જોઈ શકાય છે. મા-દીકરીએ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કર્યા.  માતા અને પુત્રી બંને ટ્રેડિશનલ લુકમાં છે અને બંનેએ માથા પર શિવ તિલક લાગેલું છે. બંનેના દર્શનના વીડિયો ઘણા વાયરલ થઈ રહ્યા છે. ઉલ્લેખનિય છે કે બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન છેલ્લા ઘણા સમયથી તે ધાર્મિક સ્થળ પર જોવા મળી રહી છે. રવિના ટંડન તેની પુત્રી રાશા સાથે 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી રહી છે, ત્યારે તેણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પણ દર્શન કર્યા છે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.