અભિનેત્રી રવિના ટંડને પુત્રી રાશા સાથે સોમનાથ દાદાના કર્યા દર્શન, સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી


  • Published By :
  • Published Date : 2024-01-18 12:39:19

બોલિવૂડની એક સમયની લોકપ્રિય અભિનેત્રી રવિના ટંડને સોમનાથ મંદિરમાં સોમનાથ દાદાના દર્શન કર્યા હતા.  90ના દાયકાની ટોચની અભિનેત્રી રવિના ટંડન તેની પુત્રી રાશા ટંડન સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના અલૌકિક સ્વરૂપના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સોમનાથનો જલાભિષેક કરી હરહર મહાદેવના નાદ સાથે સોમનાથ મહાદેવને શીશ નમાવ્યું હતું. સોમનાથ ટ્રસ્ટ તરફથી પૂજારીએ અભિનેત્રી રવિના ટંડનને સોમનાથ મહાદેવનો પ્રસાદ તથા જ્યોતિર્લિંગની તસવીર આપી આશિર્વાદ પાઠવ્યા હતા. રવિના ટંડનને જોવા મંદિર પરીસર ખાતે લોકોની ભીડ એકઠી થઈ હતી.





સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી


રવિના અને રાશાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલ તસવીરોમાં બંને ભક્તિમાં ડૂબેલી જોઈ શકાય છે. મા-દીકરીએ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કર્યા.  માતા અને પુત્રી બંને ટ્રેડિશનલ લુકમાં છે અને બંનેએ માથા પર શિવ તિલક લાગેલું છે. બંનેના દર્શનના વીડિયો ઘણા વાયરલ થઈ રહ્યા છે. ઉલ્લેખનિય છે કે બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન છેલ્લા ઘણા સમયથી તે ધાર્મિક સ્થળ પર જોવા મળી રહી છે. રવિના ટંડન તેની પુત્રી રાશા સાથે 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી રહી છે, ત્યારે તેણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પણ દર્શન કર્યા છે.  



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.