ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે માતાના મઢ પહોંચ્યા, મા આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી


  • Published By :
  • Published Date : 2023-06-28 14:09:43

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો સમાવેશ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ અને વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં કરવામાં આવ્યો છે. IPL સીઝન દરમિયાન સારા દેખાવ બાદ ફાઈનલ મેચની જીતમાં મહત્વનું યોગદાન આપનારા રવીન્દ્ર જાડેજા તેમના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને તેમના પરિવારજનો સાથે ધાર્મિક યાત્રા કરી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા તેમના પત્ની રિવાબા સાથે કચ્છના પ્રવાસ પર છે. રવિન્દ્ર જાડેજા તેમના પત્ની રિવાબા સાથે માતાજીના મઢે પહોંચ્યા છે.


આશાપુરા માતાના મંદિરે દર્શન કર્યા


રવિન્દ્ર જાડેજા તેમજ તેમના ધર્મપત્ની અને ઉત્તર જામનગર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજાએ આજે બુધવારે વહેલી સવારે માતાના મઢ સ્થિત આશાપુરા માતાજીના દર્શન કરી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. માતાના મઢ સ્થાનકે આવેલા જાડેજા દંપત્તિએ સર્વે લોકોની સુખાકારી માટે માતાજી પાસે પ્રાર્થના કરી હતી. રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ ટ્વિટર તેમની આ તસવીરો શેઅર કરી હતી.આ તસવીરોને અત્યાર સુધીમાં હજારો લોકોએ લાઈક કરી છે, અનેક ચાહકોએ આ તસવીરો પર કોમેન્ટ કરી હતી.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.