ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે માતાના મઢ પહોંચ્યા, મા આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી


  • Published By :
  • Published Date : 2023-06-28 14:09:43

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો સમાવેશ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ અને વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં કરવામાં આવ્યો છે. IPL સીઝન દરમિયાન સારા દેખાવ બાદ ફાઈનલ મેચની જીતમાં મહત્વનું યોગદાન આપનારા રવીન્દ્ર જાડેજા તેમના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને તેમના પરિવારજનો સાથે ધાર્મિક યાત્રા કરી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા તેમના પત્ની રિવાબા સાથે કચ્છના પ્રવાસ પર છે. રવિન્દ્ર જાડેજા તેમના પત્ની રિવાબા સાથે માતાજીના મઢે પહોંચ્યા છે.


આશાપુરા માતાના મંદિરે દર્શન કર્યા


રવિન્દ્ર જાડેજા તેમજ તેમના ધર્મપત્ની અને ઉત્તર જામનગર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજાએ આજે બુધવારે વહેલી સવારે માતાના મઢ સ્થિત આશાપુરા માતાજીના દર્શન કરી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. માતાના મઢ સ્થાનકે આવેલા જાડેજા દંપત્તિએ સર્વે લોકોની સુખાકારી માટે માતાજી પાસે પ્રાર્થના કરી હતી. રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ ટ્વિટર તેમની આ તસવીરો શેઅર કરી હતી.આ તસવીરોને અત્યાર સુધીમાં હજારો લોકોએ લાઈક કરી છે, અનેક ચાહકોએ આ તસવીરો પર કોમેન્ટ કરી હતી.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.